અત્યારે દરેકના ઘરે આસાનીથી લસણ મળી આવે છે કારણકે લસણ નો ઉપયોગ રસોઈ બનાવામાં ઉપયોગ કરવામાં આવે છે. લસણ ને રસોઈમાં નાખીને તેનો સ્વાદ વઘારી શકાય છે. લસણ સ્વાદ વઘારવા ઉપરાંત આયુર્વેદિક ગુણ પણ મળી આવે છે. શિયાળામાં લસણનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.

લસણ ગરમ હોવાના કારણે તે અનેક રોગ સામે લડવામાં સક્ષમ છે. લસણનો ઉપયોગ કરીને શરદી, ખાંસી, કેન્સર, શારીરિક કમજોરી દૂર કરવા જેવા અનેક રોગો માં લસણ ખુબ જ ફાયદાકારક છે. તો ચાલો જાણીએ દરરોજ માત્ર એક શેકેલા લસણ ની કળીનું સેવન કરવાથી કયા રોગને દૂર કરી શકાય છે તેના વિશે જણાવીશું.

શરદી-ખાંસી: શિયાળામાં ઘણા લોકો વાયરલ ઈન્ફેક્શનના શિકાર થઈ જતા હોય છે. સામાન્ય રીતે ઘણા લોકોને શરદી, ખાંસી, છાતીમાં કફ જેવી સમસ્યા થતી હોય છે. લસણ ગરમ હોવાથી છાતીમાં જામેલા કફને દૂર કરી દેશે. જેથી ખાંસી માં રાહત મળે છે.

લસણમાં આયર્ન, કેલ્શિયમ, વિટામિન, પોતેહીયામ, મેંગેનીઝ જેવા પોષક તત્વો મળી આવે છે. માટે દરરોજ સવારે ખાલી પેટ એક શેકેલા લસણની કળીનું સેવન કરવાથી ઠંડી થી બચી શકાય છે અને શરદી, ખાંસીમાં પણ જલ્દી રાહત આપવાનું કામ કરે છે.

હદય રોગથી બચાવે: શેકેલા લસણમાં એલીસીન તત્વ મળી આવે છે હદય રોગની બીમારી સામે લડવામાં મદદ કરે છે. આ ઉપરાંત શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રણમાં લાવે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ને બહાર કાઠવામાં મદદ કરે છે. શેકેલા લસણની એક કળીનું સેવન કરવાથી લોહીને જામ થવા દેતું નથી. જેથી હાર્ટ અટેક થવાનું જોખમ રહેતું નથી.

રોગપ્રતિકારક શક્તિ વઘારે: શરીરમાં રોગપ્રતિકારક શકતીને મજબૂત કરવા માટે દરરોજ એક શેકેલા લસણની કળી ખાઈ લેવી જોઈએ. આ ઉપરાંત શેકેલા લસણની કળીની સાથે એક ચમચી મઘ નું સેવન કરવાથી અનેક રોગ સામે લડવાની તાકાતમાં વઘારો થાય છે.

કિડની માટે: શરીરમાં રહેલા બીનજરુરી ટોક્સીનને બહાર નીકાળવા માટે દરરોજ એક શેકેલા લસણની કળીનું સેવન કરવું જોઈએ. લસણનું સેવન કરવાથી લીવર અને કિડની બંનેને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત કિડની અને લીવરની કોઈ પણ બીમારીને દૂર કરવામાં મદદ કરે છે.

પેટની સમસ્યા: જો પેટમાં કોઈ પણ ઈન્ફેકશન થઈ ગયું હોય તો લસણનું સેવન કરવું ફાયદાકારક છે. શેકેલા લસણનું સેવન કરવાથી પેટમાં દુખાવો,પેટમાં બળતરા, પેટમાં ગડબડ જેવી સમસ્યાને દૂર કરે છે.

કેન્સર: લસણમાં એન્ટી કાર્સીનોજિનકેએલિમેન્ટ જેવું મહત્વ પૂર્ણ તત્વ મળી આવે છે. જે કેન્સર જેવી બીમારીથી બચવામાં મદદ કરે છે. શેકેલા ચણાનું સેવન કરવાથી શરીરમાં ગરમાવટ રહે છે. એક કળી શેકીને ખાવાથી બેસ્ટ કેન્સરથી બચાવવામાં મદદ કરે છે.

શારીરિક કમજોરી દૂર કરે: શરીરમાં શારીરિક કમજોરીને દૂર કરવા માટે શેકેલું લસણ ખુબ જ અસરકારક છે. માટે દરરોજ માત્ર એક શેકેલા લસણની કળીનું સેવન કરવાથી શરીરમાં દરેક કમજોરીને દૂર કરવામાં મદદ કરશે. શેકેલા લસણનું સેવન કરવાથી પુરુષોના હોર્મોન્સમાં વઘારો થાય છે.

પાચન તંત્રને મજબૂત કરવા: લસણમાં ફાયબર મળી આવે છે જે પાચન ક્રિયાને સુઘારવામાં મદદ કરે છે. જેથી ગેસ, કબજિયાત, અપચો ની સમસ્યા થતી નથી. માટે દરરોજ એક શેકેલા લસણની કળીનું સેવન કરવાથી પાચન તંત્ર મજબૂત થાય છે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *