ખોરાકમાંથી શરીરને ઉર્જા મળે છે અને ખોરાકમાંથી પોષક તત્વોને શોષવામાં પાચનતંત્ર મહત્વનો ભાગ ભજવે છે. આપણે પાચનક્રિયાને સ્વસ્થ રાખવી ખૂબ જ જરૂરી છે. પાચનતંત્રમાં એક મહત્વ પૂર્ણ અંગ છે કોલોન, જેને મોટા આંતરડા તરીકે પણ ઓળખવામાં આવે છે.

યોગ્ય પાચન માટે મોટા આંતરડાનું સ્વસ્થ હોવું જરૂરી છે. શરીરના આ આંતરિક ભાગને સ્વચ્છ રાખવું અને તેને રોગોથી બચાવવું ખૂબ જ જરૂરી છે. જે રીતે શરીરની બહારની સફાઈ કરવી જરૂરી છે, તેવી જ રીતે શરીરની અંદરની સફાઈ કરવી પણ જરૂરી છે.

ભારતીય યોગ ગુરુ, લેખક, સંશોધક અને ટીવી પર્સનાલિટી ડૉ. હંસા યોગેન્દ્રના જણાવ્યા અનુસાર, મોટા આંતરડાને સાફ કરવાનો અર્થ એ છે કે તેમાંથી ઝેરી તત્વો અને પરોપજીવીઓને દૂર કરવા. ઘણા સંશોધનોમાં એ વાત સામે આવી છે કે મોટા આંતરડાને સાફ રાખવાથી પાચનક્રિયા સ્વસ્થ રહે છે અને આંતરડાના કેન્સરનું જોખમ પણ ઓછું થાય છે.

હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે આંતરડા સાફ કરવા શું કરવું. આંતરડા સાફ કરવાનો અર્થ છે કે આહારમાં આવા ખોરાકનું સેવન કરવું, જે શરીરમાં રહેલા ઝેરી તત્વોને દૂર કરશે અને શરીર પણ સ્વસ્થ રહેશે. હેલ્થલાઈન અનુસાર કેટલાક જ્યુસનું સેવન આંતરડાની સફાઈ માટે ખૂબ જ અસરકારક સાબિત થાય છે.

આ રસ પીવાથી કબજિયાતમાં રાહત મળે છે અને પાચનક્રિયા સ્વસ્થ રહે છે. તો આવો જાણીએ કે મોટા આંતરડાની સફાઈ માટે કયા જ્યુસનું સેવન કરવું જોઈએ.

સફરજનનો જ્યુસ પીવાથી આંતરડા સ્વસ્થ રહેશે : સફરજનનું સેવન સ્વાસ્થ્ય માટે જેટલું ફાયદાકારક છે, તેટલું જ તેનો રસ પણ ફાયદાકારક છે. હેલ્થલાઇનના સમાચાર અનુસાર, સફરજનના રસનું સેવન કરવાથી પેટ સાફ થાય છે. પેટમાં જમા થયેલી ગંદકી અને ઝેરી તત્વો મળ દ્વારા શરીરમાંથી બહાર નીકળી જાય છે. સફરજનનો રસ ગટ ડિટોક્સ માટે ખૂબ જ ફાયદાકારક છે.

શાકભાજીનો જ્યુસ પીવો, આંતરડા સાફ થશે: આંતરડાના સારા સ્વાસ્થ્ય માટે શાકભાજીના રસનું સેવન કરો. શાકભાજીના જ્યુસમાં તમારે પાલક, ટામેટા, ગાજર, કોબીજ, બ્રોકોલી, દૂધી અને કારેલાના રસનું સેવન કરવું જોઈએ. આ રસ શરીરમાંથી ઝેર દૂર કરે છે અને કોલોન સાફ કરે છે. આ જ્યુસનું સેવન તમે સવારે ખાલી પેટ કરી શકો છો.

~

પાણીમાં મીઠું મિક્સ કરીને પીવો : હેલ્થ એક્સપર્ટના મતે મીઠું ભેળવીને પાણી પીવાથી આંતરડા સારી રીતે સાફ થાય છે. 2010ના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મીઠું મિશ્રિત પાણી પીવાથી આંતરડા સાફ થઈ શકે છે. એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચી મીઠું ભેળવીને તેનું સેવન કરો, આંતરડા સારી રીતે સાફ થશે. આ પાણીનું ધીમે ધીમે સેવન કરો.

લીંબુના રસનું સેવન કરો: વિટામિન સીથી ભરપૂર લીંબુનો રસ એસિડિટી દૂર કરે છે અને પાચનમાં સુધારો કરે છે. આ જ્યૂસ પેટમાં છુપાયેલા હાનિકારક બેક્ટેરિયાને મારી નાખે છે. આનું સેવન કરવાથી આંતરડા વધુ સારી રીતે સાફ થાય છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *