આજે આ આર્ટિકલમાં અમે તમને એવી કેટલીક ટ્રીક જણાઈશું જેનો ઉપયોગ તમે કરશો તો તમને ખુબ જ સારી ઊંઘ આવી જશે. આપણી વ્યસ્ત જીવનશૈલીના કારણે ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. જયારે વ્યક્તિ તણાવ, ચિંતા અને ટેન્શનમાં હોય ત્યારે તેમને રાત્રે ઊંઘ નથી આવતી.

આ ઉપરાંત આપણી કેટલીક આદતો ના કારણે પણ આપણે સારી ઊંઘ લઈ નથી શકતા. ઊંઘ પુરી ના થવાના કારણે આપણી શારીરિક અને માનસિક સમસ્યાનો વિકાસ થાય છે. જેથી આપણા શરીરમાં અનેક રોગો થવાનું જોખમ રહે છે.

માટે રાત્રીના ભોજન પછી અને રાત્રે સુતા પહેલા તમારે કેટલીક વસ્તુનું ઘ્યાન રાખવું જોઈએ. જેથી તમારું મન શાંત થાય અને તમને રાત્રે સારી ઊંઘ આવશે. રાત્રે ખુબ જ સારી ઊંઘ લાવવા માટે શું કરવું તેના વિશે જણાવીશું.

ઘ્યાન કરવું: રાત્રે સુતા પહેલા 10-15 મિનિટનો ટાઈમ કાઠીને ઘ્યાન કરવું જોઈએ. જેથી તમારું મન એકદમ શાંત થઈ જાય. ઘ્યાન કરવાથી રાત્રે ખુબ જ સારી ઊંઘ આવશે. જેથી તમારો બીજો દિવસ ફ્રેશ રહેશે અને શરીરમાં થાક કે નબળાઈ પણ દૂર થશે.

20-25 મિનિટ ચાલવું: રાત્રે જમ્યાના 15 -20 મિનિટ પછી ચાલવા જવું. તમે ગાર્ડનમાં, ખુલ્લા રસ્તા પર, કે પછી ઘાબા પર ચાલવું જોઈએ. 20 મિનિટ ચાલવાથી આપણે ખાઘેલ ખોરાક આશાનીથી પચાવવામાં મદદ કરે છે. જેથી પાચન તંત્ર મજબૂત થાય છે. જેથી તમને સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે.

રાત્રે હળવો ખોરાક લેવો: રાત્રે ભારે ખોરાક ખાવાથી ખોરાક પચતો નથી. જેના કારણે પેટ ભરેલું હોય તેવું લાગે છે. આવી સ્થિતિમાં ઊંઘ ના આવા જેવી સમસ્યા રહેતી હોય છે. માટે રાત્રિનો ખોરાક હળવો ખાવો જોઈએ જેથી આશાનીથી પચે અને સારી ઊંઘ આવે.

શરીરને હાઈડ્રેટ રાખવું જરૂરી: આપણા શરીરની પાણી ની કમીના કારણે અનિદ્રા ની સમસ્યા સિવાય અનેક સમસ્યા થઈ શકે છે માટે આખા દિવસ દરમિયાન 4 લીટર પાણી પીવું જોઈએ. આ ઉપરાંત રાત્રે સુતા પહેલા એક ગ્લાસ પાણી પીને ઊંઘવું જોઈએ. જેથી આપણું શરીર હાઈડ્રેટ રહે જેથી શરીરમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાને બહાર કાઠી દે છે, જેથી અનિદ્રાની સમસ્યાથી છૂટકળો મળી જશે.

નસો ના કરવો: રાત્રે સુતા પહેલા સિગરેટ, દારૂ, કેફીન યુક્ત પદાર્થનો ઉપયોગ ના કરવો જોઈએ. રાત્રે વઘારે પડતા સેવનથી ઊંઘના આવવાની સમસ્યા થઈ શકે છે. તમે બઘા જાણો જ છો કે વઘારે પડતા સેવનથી શરીને અનેક રીતે નુકસાનકારક છે. જેથી સુતા પહેલા સેવન ના કરવું.

રાત્રે મોબાઈલનો ઉપયોગ ટાળવો: ઘણા લોકોની ટેવ હોય છે કે તે મોડી રાત સુઘી ટીવી, મોબાઈલ, લેપટોપ નો ઉપયોગ કરે છે. પરંતુ તે યોગ્ય નથી.તે મનને વિચલિત કરી દે છે. જેના કારણે ઊંઘ ના આવવા ની સમસ્યા થઇ શકે છે. માટે રાત્રે ઊંઘવા ના 30 મિનિટ પહેલા આ બધી વસ્તુનો ઉપયોગ બંઘ કરી દેવો જોઈએ. જેથી ખુબ જ સારી ઊંઘ આવશે.

જો તમને રાત્રે ઊંઘ ના આવવાની સમસ્યા હોય તો તમે પણ આ બાબતોનું ઘ્યાન રાખશો તો ચોક્કસ અનિદ્રાની સમસ્યા દૂર થઈ જશે. અમે આપેલી માહિતી તમને કેવી લાગી જરૂર જણાવજો. અમે આશા રાખીએ છીએ કે તમે પણ હંમેશા સ્વસ્થ રહો અને હેલ્ધી રહો અને હંમેશા નિરોગી રહો. આવી હેલ્થ વિશે માહિતી જાણવા અમારા સાથે જોડાયેલા રહો.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *