શિયાળામાં આપણા શરીરને સ્વસ્થ અને હેલ્ધી રાખવું જરૂરી છે. તે માટે આપણે કેટલાક ડ્રાયફ્રુટસનું સેવન કરવું જોઈએ. ડ્રાયફ્રૂટ્સ માં એવા કેટલાક પોષક તત્વો મળી આવે છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.

શિયાળામાં ખાસ કરીને દરેક વ્યક્તિએ લીલા શાકભાજી, ફળો અને સૂકા મેવા જેવા ડ્રાયફ્રુટનું સેવન કરવું જોઈએ. ખાસ કરીને 40 વર્ષની ઉમર પછી દરેક વ્યક્તિએ ગુંદ, ગોળ, કિસમિસ, કાજુ, બદામ, કેસર વગેરેનું સેવન કરવું ફાયદાકારક માનવામાં આવે છે.

ડ્રાયફ્રુટસનું સેવન કરવાથી તેમાં રહેલ પોષક ટાટવીના કારણે શરીરના દરેક હાડકાને અંદરથી મજબૂત કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત તણાવ, ડિપ્રેશન ને દૂર કરીને હદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

ડ્રાયફ્રુટનું સેવન યોગ્ય સમયે અને યોગ માત્રા માં કરવાથી તેના ફાયદા વધુ જોવા મળે છે. ડ્રાયફ્રુટનું સેવન કરવાથી શરીરમાં નબળાઈ અને અનેક એલર્જી સામે લડવામાં મદદ કરે છે. તો ચાલો જાણીએ શિયાળામાં કયાં ડ્રાયફ્રૂટસનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તેના વિશે જણાવીશું.

બદામ: બદામમાં ફાયબર, પોટેશિયમ, આયર્ન અને કેલ્શિયમ જેવા તત્વો મળી આવે છે. ત્વચા સંબંધિત સમસ્યા જેવી કે ખંજવાળ, ફોલ્લીઓ, ત્વચાની એલર્જી જેવી સમસ્યા શિયાળામાં વઘારે થઈ શકે છે. માટે તે સમસ્યામાં રાહત મેળવવા માટે બદામનું સેવન કરવું ફાયદાકારક માનવામાં આવે છે.

બદામનું સેવન કરવાથી ત્વચા ભેજવાળી અને નરમ રહે છે. આ ઉપરાંત ત્વચા પર તમે બદામ તેલથી માલિશ કરી શકો છો. બદામને રાત્રે પલાળીને સેવન કરવાથી તેના ગુણ વધુ મળે છે. આ ઉપરાંત બદામનું નિયમિત સેવન કરવાથી ત્વચા કોમળ, મુલાયમ અને સુંદર બને છે.

અખરોટ: અખરોટનું સેવન વાળ અને ત્વચા બંને માટે ખુબ જ ફાયદાકારક છે. અખરોટનું સેવન કરવાથી શરીર મજબૂત થાય છે. તેમાં ઓમેગા-3 ફેટી એસિડ, એન્ટી ઓક્સીડેન્ટ, પ્રોટીન, વિટામિન જેવા પોશાક તટાવી મળી આવે છે. અખરોટનું સેવન કરવાથી એલર્જી અને અસ્થમા જેવા રોગમાં ખુબ જ ગુણકારી સાબિત થાય છે.

કાજુ: કાજૂનું સેવન કરવાથી ટાઈપ-2 ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. કાજૂમાં મેહનેશિયમ, વિટામિન-બી6, ઝીંક, ફોસ્ફરસ, વિટામિન-કે જેવા મહત્વ પૂર્ણ તત્વો મળી આવે છે. જે શરીરમાં થઈ રહેલ એલર્જીને દૂર કરવામાં મદદ કરે છે.

અંજીર: શિયાળામાં અંજીર ખાવાથી સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે. અંજીરમાં ફાયબર, આયર્ન, પોટેશિયમ, વિટામિન-એ, વિટામિન-સી, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા તત્વો મળી આવે છે જે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. આ ઉપરાંત પેટને લગતી સમસ્યા ને પણ દૂર કરવામાં મદદ કરે છે.

કિસમિસ: કિસમિસમાં એન્ટીઓક્સીડેન્ટ, આયર્ન, પોટેશિયમ, મેંગેનીઝ, કોપર, વિટામિન-બી6 જેવા પોશાક તત્વો આવેલ છે. જે શરીરમાં કોઈ પણ એલર્જી સામે રક્ષણ આપવાનું કામ કરે છે. કિસ્મિસનું સેવન કરવાથી ઉમર વધવાના સાથે પણ તમને જુવાન દેખાવામાં મદદ કરશે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *