શરીરમાં વઘી ગયેલ ચરબી અને મોટાપા ને કારણે ઘણા લોકો પરેશાન થઈ ગયા છે. માટે જો તમે વજન ઓછું કરવા ઈચ્છતા હોય તો ત્રિફળા ચૂરણનું સેવન સેવન કરવું જોઈએ. જેથી શરીરની વઘી ગયેલ ચરબી અને મોટાપાને દૂર કરવામાં મદદ કરશે.
આ ઉપરાંત ત્રિફળા ચૂરણનું સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક લાભ પણ થાય છે. જો તમે વજન ઘટાડવા માટે જિમ કે કસરત કરીને થાકી ગયા હોય તો આ ત્રિફળાનું સેવન કરવું જોઈએ. જેથી શરીરમાં વઘેલી ચરબીને ઓગાળી દેશે.
વઘારે વજન મહિલાઓની પરેશાની વઘારી શકે છે. માટે જે મહિલા વજન ઓછું કરવા માંગે છે તેમના માટે અને જે મહિલાઓ ફિટ છે તે તેમનું વજન વઘારવા નથી માંગતા તેમના માટે આ ચૂર્ણ ખુબ જ ફાયદાકારક છે. કારણકે વઘારે વજન અને ચરબી અનેક સ્વાસ્થ્ય સંબંઘીત સમસ્યા થઈ શકે છે.
મહિલાઓ વજન ઘટાડવા માટે અનેક પ્રયત્નો કરતા હોય છે. પરંતુ એવી કેટલીક ઔષધી છે જેનો ઉપયોગ કરીને તમે આસાનીથી વજન ઘટાડી શકો છો. વજન ઓછું કરવા માટે ત્રિફળા એક સૌથી સારી ઔષઘી માનવામાં આવે છે.
આ ત્રિફળા ચૂરણનું સેવન કરવાથી પેટ સાફ રહે અને નાના આંતરડા અને મોટા આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેનું સેવન કરવાથી મેટાબોલિઝમને વઘારે છે અને વજન ને ઘટાડવામાં મદદ કરે છે. આ ત્રિફળા ચૂરણમાં એન્ટી એપ્ટિક અને એન્ટી બાયોટિક મળી આવે છે. જે વાત, પિત્ત અને કફને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
આપણા શરીરમાં વાત, પિત્ત અને કફ અસંતુલિત થવાના કારણે બીમાર થઇ જવાય છે. માટે દરરોજ આ ત્રિફળાનું સેવન કરવાથી શરીરના અનેક રોગ દૂર થશે. ત્રિફળાનું સેવન કરવાથી ચયાપચયની ક્રિયા સુઘારવામાં મદદ કરે છે. જેના કારણે પેટ સાફ રહે છે અને વજન ઉતારવામાં મદદરૂપ સાબિત થાય છે.
આ ઉપરાંત તેનું સેવન કરવાથી ભૂખ લાગવામાં વધારો કરે છે અને લાલ રક્તકણોની સંખ્યામાં વઘારો કરે છે અને શરીરની ચરબી ઘટાડશે. વજન અને ચરબીને દૂર કરવા માટે ત્રિફળાનો ઉકાળો અને ત્રિફળાની ચા કેવી રીતે બનાવવી તેના વિશે જણાવીશું જેથી તમે ઝડપથી વજન ઘટાડી શકશો
વજન અને ચરબી ઘટાડવા માટે સૌથી પહેલા એક ગ્લાસ પાણી લઈને તેમાં બે ચમચી ત્રિફળા ચૂરણ નાખીને આખી રાત ઢાંકીને રહેવા દો. ત્યાર બાદ સવારે ઉઠીને તે પાણીને ઉકાળો, ત્યાર પછી થોડૂં ઠંડુ થાય ત્યારે તે પાણીને ખાલી પેટ પી જવાનું છે. આ ઉકાળાનું સેવન કરવાથી ખુબ જ ઝડપથી વજન ઉતરવા લાગશે.
ત્રિફળા ચા બનાવવા માટે સૌથી પહેલા એક કપ પાણીમાં એક ચમચી ત્રિફળા ચૂરણ નાખીને ઉકાળો, ત્યાર પછી તેને એક કપ માં કાઢીને થોડું ઠંડુ થવા દો, ત્યાર પછી તેમાં અડધઘી ચમચી અળસીનો પાવડર અને એક ચમચી લીંબુનો રસ મિક્સ કરીને બરાબર હલાવો.
તમારા માટે ઉકાળો અને ચા બંને ખુબ જ ફાયદાકારક સાબિત થશે. જો તમે જિમ કે કસરત કરીને પણ વજન ઉતરતું નથી તો આ ઉપાય ને અપનાવી જોવો. ખુબ જ ઝડપથી વજન અને ચરબીને ઓગાળી દેશે.