ઘણી મહિલાઓ ઘરના કે ઓફિસના કામમાં બહુ જ વ્યસ્ત હોય છે. ઘણી મહિલાઓ ઘરનું કામ પતે નહિ ત્યાં સુઘી કામ કરતા હોય છે. તેવી જ રીતે બીજા દિવસે પણ એ રીતે કામ માં વ્યસ્ત હોય છે. મહિલાઓને ઘરની ઘણી બઘી જવાબદારીઓ નિભાવવાની હોય છે. આવી પરિસ્થિતિમાં મહિલાઓ ખુબ જ થાકી જતી હોય છે.

તેમ છતાં પણ તેમને દરરોજ આ કામ કરવું પડે છે. અને ઘણી વાર વઘારે કામ કરવાથી થાક કે નબળાઈ થવાથી અનેક બીમારીના શિકાર પણ થઈ જતા હોય છે. માટે મહિલાઓ ખુબ જ કાળજી રાખવાની જરૂર છે. માટે અમે મહિલાઓ માટે આવા કેટલાક ડ્રાયફ્રુટ લઈને આવ્યા છીએ જેનું સેવન કરવાથી તે પોતાની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે.

જેથી મહિલાઓ શારીરિક નબળાઈ ને દૂર કરીને શક્તિશાળી બનાવવામાં મદદ કરે છે. જેથી તેમના શરીમાં આખો દિવસ એનર્જી બની રહે છે. મહિલાઓ માટે ડ્રાયફ્રુટ નું સેવન સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. તો ચાલો જાણીએ મહિલાઓએ કયાં ડ્રાયફ્રુટનું સેવન કરવું જેનાથી રોગપ્રતિકારક શક્તિ વઘારી શકે.

અંજીર: અંજીર માં ફાયબરનું પ્રમાણ વધારે હોય છે. જેથી પાચન ક્રિયાને યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે. માટે અંજૂરનું સેવન કરવાથી પેટની અનેક સમસ્યાને દૂર કરીને પેટને સાફ કરવામાં મદદ કરે છે. પેટ સાફ હોવાથી આપનો આખો દિવસ એનર્જીથી ભરેલો રહે છે. ફાયબર યુક્ત આહાર લેવાથી વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

તેના માટે તમારે સૌથી પહેલા 2-3 અંજીર લઈને એક નાના બાઉલમાં પાણી ભરીને આખી રાત પલાળી રાખવા. સવારે ઉઠો ત્યારે તે અંજીરને ખાઈ લેવા અંજીર ખાઘા પછી તે પાણી પણ પી જવું. આમ કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ માં વઘારો થશે. આ ઉપરાંત અંજીર માં કેલ્શિયમ હોવાથી હાડકા ને પણ મજબૂત કરશે. ડાયાબિટીસ દર્દી માટે, હૃદય માટે, પેશાબમાં બળતરા જેવી અનેક સમસ્યામાં ફાયદાકારક સાબિત થશે.

આ ઉપરાંત ગર્ભવતી મહિલાઓ માટે અંજીરનું સેવન કરવું યોગ્ય માનવામાં આવે છે. ગર્ભવતી મહિલાએ રાત્રે 2-3 અંજીરને દૂઘમાં પલાળીને સવારે સેવન કરવાથી ઘણો લાભ થાય છે. યૌન શક્તિમાં પણ વઘારો થાય છે. ગર્ભવતી મહિલાઓમાં લોહતત્વની કમીને દૂર કરવામાં મદદ કરે છે.

કિસમિસ: કિસમિસમાં આયર્નનુ પ્રમાણ ભરપૂર હોય છે. માટે શરીરમાં લોહીની ઉણપને દૂર કરવામાં ખુબ જ મદદ કરે છે. મહિલાઓ માટે કિસમિસનું સેવન અમૃત સમાન માનવામાં આવે છે. કિસમિસને તમે આખી રાત પાણીમાં પલાળી રાખો. અને સવારે ઉઠો ત્યારે તે કિસમિસને સારી રીતે ચાવીને ખાવા જોઈએ. આમ કરવાથી પણ રોગપ્રતિકારક શક્તિ વઘે છે.

આ ઉપરાંત તમે સૌથી પહેલા એક બાઉલમાં પાણી ભરી દો. ત્યાર બાદ 8-10 કાળી કિસમિસ લો. ત્યારબાદ તેને પાણીમાં પલાળી દો. રાત્રે પલાળેલા કિસમિસ વાળા પાણીને સવારે ગરમ કરવા મુકો ત્યાર પછી તે અડધું થઈ જાય ત્યારે ગેસ ને બંધ કરીને નીચે ઉતારી દો. ત્યાર પછી તેમાંથી કિસમિસ ને કાઠીને સેવન કરો. પાણી થોડું ઠંડુ થાય ત્યારે તે પાણીનું સેવન કરો.

આમ કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થઈ જશે. આ બંને ડ્રાયફ્રુટ નું સેવન દરેક મહિલાઓએ કરવું જોઈએ. જેથી શરીરમાં લાગેલ થાક અને નબળાઈને દૂર કરીને રોગપ્રતિકારક શક્તિને વઘારવામાં મદદ કરે છે. અને શારીરિક સમસ્યા ને દૂર કરવામાં મદદ કરે છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *