આજના સમયમાં થાઈરોઈડની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે. ખાસ કરીને થાઈરોઈડની સમસ્યા મહિલાઓમાં વધુ જોવા મળે છે. થાઇરોઈડની સમસ્યા ગ્રંથિમાં બગડતા હોર્મોનલ સંતુલનને કારણે થાય છે આ સાથે અસંતુલિત આહાર, કામના અનિયમિત કલાકો અને તણાવ પણ થાઇરોડ ના કારણો હોઈ શકે છે.
મહિલાઓમાં થાઈરોઈડનો ખતરો વધતી ઉંમરની સાથે પણ વધી જાય છે. આથી દરેક મહિલાઓએ થાઈરોઈડ રોગ વિશેની જાણકારી રાખવી ખૂબ જ જરૂરી છે. થાઈરોઈડની સમસ્યા મહિલાઓમાં હેલ્ધી કાર્બોહાઈડ્રેટ્સ ન લેવાથી, વધુ મીઠું ખાવાથી અને હાશિમોટો રોગને કારણે થઈ શકે છે.
આ સિવાય શરીરમાં આયોડીન અને વિટામિન બી12ની કમીને કારણે પણ થાઈરોઈડ થવાની સંભાવના વધી જાય છે. થાઇરોઈડના ઘણા બધા લક્ષણો હોય છે જેમાં વજનમાં વધારો અને ધટાડો થવો, ગળામાં સોજો જવો, હૃદયની હિલચાલમાં ફેરફાર થવો, મૂડ ખરાબ થવો અને વાળ ખરવા વગેરેનો સમાવેશ થાય છે.
અહીંયા તમને થાઇરોઈડ હોર્મોન્સને નિયંત્રણમાં રાખવા માટે કેટલીક વસ્તુ જણાવીશું જે વસ્તુઓનો તમારા આહારમાં સમાવેશ કરવાથી થાઇરોઈડની સમસ્યાને જડમૂળથી દૂર કરી શકાય છે.
મગની દાળ: મગની દાળનો ઉપયોગ ભોજનમાં ખુબજ કરવામાં આવે છે. મગની દાળમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, વિટામીન, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ્સ અને મિનરલ્સ હોય છે. આહારમાં મગની દાળનો ઉપયોગ કરવાથી શરીરમાં આયોડીનની ઉણપને દૂર થાય છે અને પાચનમાં પણ મદદ થાય છે.
આ સિવાય તે થાક અને વજન બંનેને ઘટાડવામાં ખૂબ મદદરૂપ થાય છે. આ સાથે તમને જણાવીએ કે ઉચ્ચ પ્રોટીન ખોરાક પણ થાઇરોઈડ હોર્મોન્સ માટે ફાયદાકારક છે. તુલસીના પાન:- આયુર્વેદના ગ્રંથોમાં લખેલું છે કે થાઇરોઈડના દર્દીઓ દરરોજ 4 થી 5 તુલસીના પાન ચાવી ચાવીને ખાય તો થાઇરોઈડ રોગ આસાનીથી મટી શકે છે.
દહીં અને દૂધ:- થાઇરોઈડના દર્દીઓએ રોજ બપોરે એક વાટકી દહીં ભોજન સાથે લેવું જોઇએ અને રાતના ભોજન સમયે 1 ગ્લાસ દૂધ નું સેવન કરવું જોઇએ. આ બંને વસ્તુના સેવનથી થાઇરોઇડની સમસ્યામાં ખૂબ જ રાહત થાય છે.
ડુંગળી: થાઈરોઈડની દવા લેવાની સાથે કેટલાક ઘરેલુ ઉપાય પણ કારગર સાબિત થઈ શકે છે. આ ઉપાય માટે તમે ડુંગળીનો ઉપયોગ કરી શકો છો. આ ઉપાય માટે તમે ડુંગળીથી ગળા પર મસાજ કરી શકો છો. ડુંગળીને વચ્ચેથી કાપી એક ટુકડો લઈ રોજ રાતે સૂતા પહેલાં ક્લોક વાઈસ ગળા પર તેનાથી મસાજ કરો. પછી સવારે પાણીથી ગરદન ધોઈ લો. થોડાં દિવસ આ ઉપાય કરવાથી ખુબજ ફાયદો થશે.
હળદરવાળું દૂધ: દરરોજ હળદરવાળું દૂધ પીવાથી પણ થાઈરોઈડની સમસ્યામાં ઘણો ફાયદો થઇ શકે છે. હળદર થાઈરોઈડ ગ્લેન્ડને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જો તમને દૂધમાં હળદર પસંદ નથી તો તમે નવશેકા પાણીમાં પણ મિક્સ કરી પી શકો છો.
ગ્રીન ટી:–સવારે ગ્રીન ટીનું સેવન શરીરમાં એનર્જી ભરવા માટે ખૂબ જ ઉપયોગી છે. આ સાથે તે વજનને પણ નિયંત્રિત રાખવામાં પણ ખુબજ મદદરૂપ સાબિત થાય છે. થાઇરોઇડ ના દર્દીઓ માટે ચા કે કોફી કરતાં ગ્રીન ટીનું સેવન કરવાથી ખૂબ જ ફાયદો થાય છે.
નાળિયેર: થાઈરોઈડના દર્દીઓ માટે નારિયેળ ખુબજ ફાયદાકારક સાબિત થઇ શકે છે. નાળિયેરમાં હાજર મિડિયમ ચેઈન ફેટી એસિડ્સ અને મિડિયમ ચેઈન ટ્રાઈગ્લિસરાઈડ્સ પાચનમાં સુધારો કરે છે.
થાઈરોઈડના દર્દીઓએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ: થાઈરોઈડની તકલીફ થાય અથવા તમે થાઇરોઇડ ના દર્દી છો તો આલ્કોહોલનું સેવન કરવાથી મોટાપો વધી શકે છે. તે ઉપરાંત તેનાથી એનર્જી લેવલ પણ ઓછું થઇ શકે છે, અને રાત્રે ઊંઘ ન આવવી, બેચેની જેવી તકલીફો પણ થઇ શકે છે.
થાઈરોઈડની દર્દીએ દવા નિયમિત અને યોગ્ય સમયે લેવી જોઈએ જેથી તમારું વજન વધે નહીં. ઘણા લોકો થાઈરોઈડની તકલીફને સામાન્ય સમજીને તેને ઇગ્નોર કરતા હોય છે પરંતુ તમારે તેને સામાન્ય ન સમજવી જોઈએ.