આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

મિત્રો થાઈરોઈડ જે મહિલાઓમાં જોવા મળતો રોગ છે. અત્યારના સમયમાં ઘણી મહિલાઓમાં થાઈરોઈડની સમસ્યા જોવા મળે છે. કફ, પિત્ત અને વાત દોષને કારણે  થાઈરોઈડ રોગ થાય છે. થાઈરોઈડની સમસ્યામાં દર્દીના હૃદય, કોલેસ્ટ્રોલ, સ્નાયુઓ અને હાડકાંનું સ્વાસ્થ્ય ખરાબ રીતે પ્રભાવિત થાય છે.

આ સાથે થાઈરોઈડની સમસ્યા મુખ્યત્વે શરીરમાં આયોડીનની ઉણપને કારણે પણ ઊભી થાય છે. તમને જણાવીએ કે થાઇરોઇડ એ ગરદનના નીચેના ભાગમાં એક નાની બટરફ્લાય આકારની ગ્રંથિ છે, જે શરીરના ચયાપચયને નિયંત્રિત કરે છે. મહિલાઓમાં થાઈરોઈડ વધવાને કારણે શરીરમાં દુખાવો, શરીરમાં નબળાઈ, અનિયંત્રિત ધબકારા, વાળ ખરવા અને ઝડપથી વજન ઘટવા જેવી સમસ્યાઓ સર્જાય છે.

થાઇરોઇડ ને મટાડવા માટે ઘણા લોકો જુદા જુદા પ્રયત્નો કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે થાઈરોઈડ જેવી સમસ્યાઓથી  એલોવેરાનો ઉપયોગ કરવાથી બચી શકાય છે?.

તમે જાણતા હશો કે એલોવેરા ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે, જેનાથી ઘણા સ્વાસ્થ્ય લાભો તો થાય જ છે પરંતુ તે થાઈરોઈડની બીમારીને દૂર કરવા માટે પણ અસરકારક માનવામાં આવે છે. માટે જ થાઈરોઈડની બીમારીથી પીડિત લોકોને એલોવેરા જ્યુસ પીવાથી ઘણો ફાયદો થાય છે.

આ ઉપાય માટે એક ચમચી એલોવેરાના રસમાં 4 ચમચી તુલસી મિક્સ કરીને સવારે ખાલી પેટ તેનું સેવન કરવાથી થાઈરોઈડની સમસ્યાથી છુટકારો મળી શકે છે. તમને જણાવીએ કે એક રિસર્ચ અનુસાર, દરરોજ 60 મિલી એલોવેરા જ્યુસનું સેવન કરવાથી થાઈરોઈડની સમસ્યાને ઓછી કરવામાં ઘણી મદદ મળે છે.

ઘણા ઓછા લોકો જાણતા હશે કે શરીરમાં આયોડીનની માત્રા ઓછી કે વધુ હોવાને કારણે થાઈરોઈડ ગ્રંથિ ખરાબ રીતે પ્રભાવિત થઈ શકે છે, જેના કારણે થાઈરોઈડની સમસ્યા થઈ શકે છે. આ સાથે ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓમાં થાઇરોઇડ હોર્મોન્સ અસંતુલિત બની શકે છે, જેનાથી થાઇરોઇડ રોગ થવાનું જોખમ પણ વધારે હોય છે.

આ સાથે વધુ તેલયુક્ત ખોરાક લેવાથી શરીરમાં થાઈરોઈડ રોગનું જોખમ વધી શકે છે. થાઇરોઇડ રોગ આનુવંશિક છે એટલે કે પરિવારના કોઈપણ સભ્યને થાઈરોઈડની સમસ્યા હોય તો આ સમસ્યા અન્ય સભ્યોને પણ થઈ શકે છે.

વળી જે લોકો લાંબા સમયથી તણાવથી પીડિત છે તેમને થાઇરોઇડની સમસ્યામાંથી પસાર થવું પડી શકે છે કારણ કે તે થાઇરોઇડ હોર્મોનની પ્રવૃત્તિને અસર કરી શકે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *