આપણે બઘા લોકો નાનપણથી સંભાળીએ છીએ કે અપને સ્વાથ્ય, હેલ્ધી અને ફિટ રહેવા માટે આપણા શરીરની પાચનક્રિયા સારી હોવી ખુબ જ જરૂરી છે. આપને બધા સ્વસ્થ અને હેલ્ધી રહેવા માટે સારો ખોરાક લઈએ છીએ. પરંતુ આપણા શરીરમાં જરૂરી પોષક તત્વોની કમીને રહે છે. પોષક તત્વો યોગ્ય રીતે શોષી ના શકે એટલે પાચનતંત્ર પર તેની અસર પડે છે.
જયારે આપણે ખોરાક ખાઈ લઈએ અને તે ખોરાક યોગ્ય રીતે પચતો નથી જેના કારણે આપણા શરીરમાં જે યોગ્ય પોષક તત્વો છે એ પૂરતા પ્રમાણમાં ના મળે તો તેની સીધી અસર પાચનતંત્ર પર પડે છે. જેના કારણે પેટમાં ગેસ, અપચો, કબજિયાત, ઉબકા, પેટ ખરાબ થવું જેવી સમસ્યા ઓ ચાલુ થઈ જાય છે.
ઘણા લોકોની ટેવ હોય છે કે તેમને ભુખ લાગે એટલે બહારનું તરેલું, વઘારે તીખું ખાવાનું વઘારે પસંદ કરે છે. જેના કારણે એસીડીટી જેવી પેટને લગતી અન્ય સમસ્યા થઈ શકે છે. બહારનું ખાવાથી પણ પાચનતંત્ર પર તેની સીઘી અસર થાય છે.
આજે આ આર્ટિકલમાં અમે તમારા માટે એવા કેટલાક ઉપાય લાવ્યા છીએ જેની મદદથી તમે તમારું પાચનતંત્ર સારી રીતે કામ કરે અને મજબૂત કરી શકશો. તો ચાલો જાણીએ પાચનતંત્રને મજબૂત કરવાના ઉપાય વિષે.
રાંઘેલો અને તાજો ખોરાક ખાવો : પાચન તંત્રને મજબૂત કરવા માટે રાંઘેલો તાજો ખોરાક ખાવો જરૂરી છે. જેથી પાચન ખુબ જ સરળતાથી થઈ શકે. જો તમે ઠંડુ કે ફ્રીઝમાં મુકેલો ખોરાક પણ ના ખાવો જોઈએ તેનાથી પાચનક્રિયા ઘીમી થઈ જાય છે. જેથી ગેસ, કબજીયાત ની સમસ્યા વઘવા લાગે છે. માટે રાંઘેલો તાજો ખોરાક જ ખાવો જોઈએ.
ભૂખ લાગે ત્યારે જ ખાવું : સ્વાથ્ય નિષ્ણાત અનુસાર તમારી દરરોજ યોગ્ય સમયે જ જમવું જોઈએ. ટાઈમ વગર કોઈ પણ સમયે જમવાથી પાચન યોગ્ય નથી થતું જેથી પેટને લગતી સમસ્યા થવા લાગે છે. જેથી તે સમસ્યા થી દૂર રહેવા માટે તમારે દિવસમાં 3 વાર જમવું જોઈએ અને તે પણ યોગ્ય સમયે જ જમવું. જેથી તમે ખાઘેલ ખોરાક યોગ્ય રીતે પચી શકે અને તમારી પાચનક્રિયા પણ મજબૂત થાય.
ચાવીને ખોરાક ખાવો : પાચનની ક્રિયાની શરૂઆત મોં માંથી થાય છે. ખોરાક મોં માં મુકવાથી દાંત ખોરાકને ભાંગી નાખે છે. સારી રીતે ચાવવાથી પોશાક તત્વોનું શોષણ સારું થાય છે. ખાસ ઘ્યાન રાખો કે જમવામાં ઉતાવર ના કરવી. શાંતિથી ચાવીને જમવું જોઈએ.
વઘારે પ્રમાણમાં પાણી પીવું : આપણા શરીરને હાઈડ્રેટ રાખવા માટે પાણી પીવું ખુબ જ જરૂરી છે. વઘારે પાણી પીવાથી ખોરાકને પચાવવા માં મદદરૂપ થાય છે. વઘારે પાણી પીવાથી પથરી પણ દૂર થઈ જાય છે. દિવસમાં 5 લીટર પાણી પીવું જોઈએ. જમ્યા પછી 25-30 મિનિટ પછી પાણી પીવું જોઈએ.
જો તમને પણ પેટને લગતી સમસ્યા થી પરેશાન છો તમે પણ ઉપર જણાવ્યા પ્રમાણે અનુકરણ કરશો તો તમને પેટને લગતી અન્ય સમસ્યા દૂર થશે. અમે જણાવેલ ટિપ્સનો ઉપયોગ કરશો તો તમારી પાચનક્રિયા સારી થઈ જશે.