તુલસી એક પૂજનીય છોડ છે જેની દરેક ભારતીય હિંદુ ઘરમાં તેની પૂજા કરવામાં આવે છે. પરંતુ, ઘણા લોકો તેની પૂજા કરતા હોવા છતાં તેના ફાયદા વિષે અજાણ હોય છે. આયુર્વેદમાં તુલસીને ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે . તુલસીનું સેવન કરવાથી શરીરને અનેક રોગોના ભયથી બચાવી શકાય છે.

તુલસીના બીજ અને તેના પાન તમામ સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર છે. તુલસીની ચા અને તુલસીના પાણીનું સેવન કરવાથી તણાવ ઓછો થાય છે અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકાય છે. તુલસીમાં જોવા મળતા પોષક તત્વો રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે. મજબૂત રોગપ્રતિકારક શક્તિ શરીરને ઘણા ચેપથી બચાવવામાં મદદ કરી શકે છે.

તુલસીમાં એન્ટિ-ઓક્સિડન્ટ, એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-વાયરલ, એન્ટિ-ફ્લૂ, એન્ટિ-બાયોટિક, એન્ટિ-ઇન્ફ્લેમેટરી, વિટામિન એ, વિટામિન સી, ઝિંક, કેલ્શિયમ અને આયર્ન જેવા ગુણો છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તો ચાલો જાણીએ તુલસીના અમૂલ્ય ફાયદાઓ વિષે.

તણાવ: ઘણા અભ્યાસો પરથી જાણવા મળ્યું છે કે તુલસીના પાણીનું નિયમિત સેવન તણાવ જેવી સમસ્યાઓને ઘટાડવામાં મદદ કરી શકે છે. તે મારણ તરીકે કામ કરે છે અને મનને શાંત કરીને તણાવને દૂર કરવામાં મદદ કરી શકે છે.

વજન ઘટાડવું: વજન ઘટાડવા માટે તુલસી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ સુપર હેલ્ધી ડ્રિંક તમને તમારા ચયાપચયને વધારવાની સાથે તમારી તમારા પેટની ચરબી દૂર કરી વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.

રોગપ્રતિકારક શક્તિ: સવારે ખાલી પેટે તુલસીના પાન ખાવાથી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી શકાય છે. એટલું જ નહીં, ખાલી પેટે પાણીમાં તુલસીનો રસ મિક્સ કરીને પીવાથી રોગપ્રતિકારક શક્તિ ઉપરાંત કફ અને શરદીથી પણ બચી શકાય છે. પ્રાચીન સમયથી તુલસીનો ઉપયોગ કફ અને શરદી માટે થતો આવ્યો છે.

શરદી-ઉધરસ: તુલસીમાં એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-વાયરલ, એન્ટિ-ફ્લૂ, એન્ટિ-બાયોટિક ગુણો હોય છે, જે શિયાળાની ઋતુમાં શરદી અને ઉધરસમાં રાહત આપવામાં મદદ કરે છે. તમે તુલસીના પાનને ચાવી ચાવીને પણ ખાઈ શકો છો.

ફેફસા: તુલસીના પાંદડા ની અંદર વિટામીન સી, યુજેનોલ અને કેફીન સારી માત્રામાં હોય છે જેને કારણે તુલસીના પાનને ચાવી ચાવીને ખાવાથી આપણે ફેફસા ને ઘણાબધા સંક્રમણો થી બચાવી શકીએ છીએ.

મોઢાની દુર્ગંધ: તુલસીનું સેવન કરવાથી મોંની દુર્ગંધને દૂર કરી શકાય છે. મોઢામાંથી દુર્ગંધ દૂર કરવા માટે તુલસીના પાંદડા ની પેસ્ટ બનાવી તેની અંદર થોડું સરસવનું તેલ ઉમેરી અને આ પેસ્ટ તમારા દાંત પર લગાવવાથી દાંત ને ફાયદો કરે છે આ ઉપરાંત મોઢામાંથી દુર્ગંધ દૂર થાય છે તેમજ તેની અંદર એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે ઘણા બધા બેક્ટેરિયાથી આપણું રક્ષણ કરે છે

અહીંયા જણાવેલી માહિતી સામાન્ય છે. કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા તમારા ફેમિલી ડોક્ટરની સલાહ જરૂર લો. તમને માહિતી ગમી હોય તો ગુજરાત હેલ્થ અને ફિટનેસ સાથે જોડાયેલા રહો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *