આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

હળદર એક ઔષધીય ગુણોથી ભરપૂર છે, જેનો ઉપયોગ વિવિધ રસોઈમાં બનાવતી વખતે ઉપયોગ કરવામાં આવતો હોય છે. હળદરનો ઉપયોગ વર્ષોથી અનેક બીમારીને દૂર કરવામાં આવે છે માટે હળદર આરોગ્ય માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે.

શરદી ખાંસી જેવી વાયરલ બીમારી થાય છે ત્યારે હળદર નો ઉપયોગ કરવામાં આવે છે, આ ઉપરાંત પગ મચકોડ આવ્યો હોય, હાથ પગમાં સોજો આવ્યો હોય કે પછી ઘા માં રૂઝ લાવવા માટે હળદરનો પ્રયોગ કરવામાં આવે છે.

હળદર દરેકના ઘરે ખુબ જ આસાનીથી મળી આવે છે. માટે તેના કેટલાક ઘરેલુ ઉપાય કરવાથી શરીરમાં થતી નાની મોટી બીમારીઓને દૂર કરી શકાય છે. હળદરનો ઉપયોગ લગ્ન પ્રસંગમાં પણ કરવામાં આવે છે જેને ખુબ જ શુભ માનવામાં આવે છે.

હળદર નો ઉપયોગ કરવાથી ચહેરાની પ્રાકૃતિક ચમક પણ લાવી શકાય છે. હળદરનો ઉપયોગ કરવાથી કયા કયા ફાયદા થાય છે તેના વિષે આજે અમે તમને જણાવીશું. હળદર નો ઉપયોગ શરદી ખાંસી થઈ હોય ત્યારે દૂધમાં હળદર મિક્સ કરીને પીવાથી આરામ મળે છે.

હળદરમાં મીઠું મિક્સ કરીને ઉપરથી હૂંફાળું પાણી પીવાથી પણ ખાંસી દૂર થાય છે, કફની સમસ્યામાં હોય તો હળદર મીઠું ખાવાથી કફને તોડીને ગળફા વાટે બહાર નીકાળવામાં મદદ કરે છે. ગળા અને ફેફસામાં જામેલ કફને છૂટો કરવા માટે હળદર ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.

દૂધ અને હળદર મિક્સ કરીને પીવાથી સહરીરમાં લાગતો વારે વારે થાક અને નબળાઈ ને દૂર કરે છે, અને શરીરમાં ભરપૂર એનર્જી અને સ્ફૂતિ આપે છે. હળદરનું દૂધ માનસિક તણાવ ને દૂર કરી મગજને શાંત કરે છે.

હળદરને સ્કિન પાર લાગવાથી કુદરતી ચમક મેળવી શકાય છે, આ માટે હળદરની પેસ્ટ બનાવી ચહેરા પર લગાવીને મિનિટ રહેવા દઈને પછી ધોઈ દો, સ્કિન પર ચોટેલ બધો જ કચરો દૂર થઈ જશે અને ચહેરાને ચમકીલો બનાવશે.

ઘણા લોકો ઓઈલી સ્કિન અને ખીલને દૂર કરવા માટે અનેક પ્રકારના બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે, જે ખુબ જ મોંઘી હોય છે જેથી દરેક વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકતા નથી, પરંતુ કેમિકલ યુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કરવા કરતા આ નેચરલી વસ્તુનો ઉપયોગ કરવો ખુબ જ ફાયદાકારક સાબિત થશે.

આ માટે હળદરમાં ચંદન પાવડર મિક્સ કરી ને પેસ્ટ તૈયાર કરો અને તે પેસ્ટને ચહેરા પર લગાવી દો. પછી ચહેરાઓ ધોવાથી ચહેરા પર ની ઓઈલી સ્કિન અને ખીલ દૂર થાય છે.

સ્નાન કર્યા પહેલા એક બાઉલમાં હળદરની પેસ્ટ બનાવી આખા શરીર પર લગાવી દો, પછી સ્નાન કરતી વખતે ધોઈ લો, આવી રીતે હળદરનો ઉપયોગ કરવાથી સ્કિન ચમકીલી અને કોમળ બની રહે છે.

હળદરનો ઉપયોગ આવી રીતે કરવાથી કરચલીઓ દૂર થાય છે અને વૃદ્ધાવસ્થાના ચિન્હો ને અટકાવે છે. હળદરનો ઉપયોગ આવી રીતે કરવાથી લામાબા સમય સુધી સ્કિન હેલ્ધી અને ચમકદાર બની રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *