આપણા ભારત દેશમાં વર્ષોથી હળદરનો ઉપયોગ રસોઈમાં કરવામાં આવે છે, કારણકે હળદરમાં અનેક ગણા ઔષધીય ગુણો મળી આવે છે, જેથી તે રસોઈનો સ્વાદ વધારવાની સાથે આરોગ્ય માટે પણ ઘણું બધું ફાયદાકારક છે.
હળદરનો ઉપયોગ સુંદરતા વધરાવની સાથે ઘા ભરવામાં પણ ખુબ જ ઉપયોગમાં લેવામાં આવે છે, હાથ પગમાં આવેલ મચકોડ ને ઠીક કરવા માટે હળદરનો લેપ કરવામાં આવે છે. હળદર માં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ મળી આવે છે.
હળદર આપણા સ્વાસ્થ્ય માટે કલહબ જ ફાયદાકારક છે, જયારે પણ આપણે ખાંસી થઈ હોય કફ થયો હોય તો તેને દૂર કરવા માટે પણ ખુબ ઉપયોગી છે. હળદર નાની મોટી ઘણી બધી બીમારીઓ માં ઉપયોગ કરી રાહત મેળવી શકાય છે. હળદરને પાણી સાથે લેવાથી ઘણા બધા ફાયદા થાય છે, આ માટે અમે તમને આજે હળદરનું પાણી પીવાના ફાયદા વિષે જણાવીશું.
કેન્સર સામે રક્ષણ આપે: હળદરનું પાણી પીવાથી વધતા ટ્યુમરને રોકવામાં મદદ કરે છે, આ પાણીમાં એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી બેકેરીયલ ગન મળી આવે છે જે કેન્સર જેવા રોગો ના કોષો સામે લાદવામાં સક્ષમ હોય છે જે કેન્સરને ધટાડવામાં મદદ કરે છે.
હૃદયને સ્વસ્થ બનાવે: હળદરમાં કરક્યુમીન નામનું તત્વ મળી આવે છે, હળદરની પાણી પીવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ને દૂર કરે છે જેથી હાર્ટ અટેક અને સ્ટોકના જોખમને ઓછું કરે છે જેથી હૃદય સ્વસ્થ અને હેલ્ધી રહે છે. માટે હૃદયને સ્વસ્થ રાખવા માટે હળદરનું પાણી ખુબ જ ફાયદાકારક છે.
વજન ઓછું કરે: શરીને ધટાડવા માટે મેટાબોલિઝમ રેટને ઓછું કરવું જોઈએ આ માટે હળદર નું પાણી ખુબ જ ફાયદાકારક છે, જે ચરબીને વધતી અટકાવે અને ચરબીને ઓગાળવાનું કામ કરે છે. જેથી વજન સરળતાથી ઓછું કરી શકાય છે.
પાચનક્રિયા સુધારે: હળદર મંદ પડી ગયેલ પાચનક્રિયાને સુધારવાનું કામ કરે છે, માટે હળદરનું પાણી પીવાથી આંતરડામાં જમા થયેલ મળ અને પેટને સાફ કરવામાં મદદ કરે છે, જેથી આપણી ડાયજેશન સિસ્ટમમાં સુધારો થાય છે અને પાચનતંત્ર ને મજબૂત બનાવે છે.
જવાન બનાવી રાખે: હળદર માં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ મળી આવે છે જે ત્વચામાં નિખાર લાવવામાં મદદ કરે છે, આ ઉપરાંત વૃદ્ધા વસ્થાના ચિન્હોને ગાયબ કરી દે છે, જેથી ચહેરો 60 વર્ષની ઉંમરે પણ સુંદર અને જવાના દેખાય છે. માટે જવાન દેખાવા માટે હળદરનું પાણી દિવસમાં એક વખત પીવું જોઈએ.
શરીરનો ઝેરી કચરો દૂર કરે: આપણા શરીરમાં ઘણા ઝેરી તત્વો ઉત્પન્ન થતા હોય છે, જે કચરાને દૂર કરવા માટે હળદરનું પાણી પીવું જોઈએ જેથી શરીર સાફ રહે અને શરીરનો બધો જ ટોક્સિન બહાર નીકાળી દેશે. માટે હળદરનું પાણી આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.
હળદરનું પાણી રાતે સુતા પહેલા પીવાનું છે જેથી આપણે કોઈ પણ ખોરાક ખાધો હોય તેને પચાવામાં મદદ મેળવી શકાય છે, જેથી આપણા શરીરમા વધારાનો કચરો ભેગો થતો નથી. માટે હળદર વાળું પાણી આપણા સ્વાસ્થ્ય માટે રામબાણ સાબિત થશે.
હળદરનું પાણી બનાવવાની રીત: આ માટે એક ગ્લાસ હૂંફાળા પાણીમાં એક ચમચી હળદર મિક્સ કરી હલાવીને નીચે ઉતારી લો અને પછી એ થોડું ઠંડુ થઈ જાય ત્યારે પી જવાનું છે, આ હળદરનું પાણી રાતે સુવાના 30 મિનિટ પહેલા પી લેવાનું છે.