ડાયાબિટીસ એક ખતરનાક રોગ છે, જેને જડમૂળમાંથી દૂર કરવો થોડો મુશ્કેલ છે પરંતુ એને કંટ્રોલમાં રાખી શકાય છે. આ માટે આપણે આપણી લાઈફસ્ટાઈલ અને આહાર લેવામાં ઘણી તકેદારી રાખવી જોઈએ, જેથી ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીમાં રાહત મેળવી શકીશું.

ડાયાબિટીસ બે પ્રકારની આવે છે એક ટાઈપ-1 ડાયાબિટીસ અને બીજી ટાઈપ-2 ડાયાબિટીસ. ટાઈપ -1 ને કંટ્રોલમાં રાખવા માટે આપણે ઘણી દવાઓ અને ઈન્સ્યુલીનની જરૂર પડતી હોય છે, અને ટાઈપ-2 ડાયાબિટીસ ને આપણે રોજિંદા જીવનમાં આહાર પર કંટ્રોલ કરીને નિયંત્રણમાં રાખી શકાય છે.

આજકાલની વ્યસ્ત અને ભાગદોડ ભરી જીવન શૈલીમાં શારીરિક પરિશ્રમ નો અભાવ જોવા મળી રહ્યો છે જેના કારણે ઘણી બધી નાની મોટી સમસ્યાઓ નો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારના સમયમાં ભોજનમાં ખાંડનો સૌથી વધુ ઉપયોગ થઈ રહ્યો છે તેવામાં ખાંડ આપણા સુગર લેવલને વધારે છે. માટે ડાયાબિટીસ ધરાવતા દર્દીએ ખાંડનો ઉપયોગ બંધ કરવો જોઈએ.

ડાયાબિટીસને કંટ્રોલને કંટ્રોલમાં રાખવા માટે આપણે શું કરવું જોઈએ અને કઈ વાત નું ખાસ ઘ્યાન રાખવાથી કંટ્રોલમાં કરી શકાય તેના વિષે જણાવીશું, ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે આપણે રોજિંદા લાઈફસ્ટાઈલમાં આ વસ્તુનો સમાવેશ કરીને નિયત્રંણમાં લાવી શકાય છે.

કસરત અને યોગા કરવા: કસરત અને અને યોગા કરવાએ શારીરિક પરિશ્રમ છે જેને રોજે કરવાથી ઈન્સ્યુલીન સેન્સિટિવને વધારે છે. જે બ્લડ માં રહેલ સુગર લેવલને નિયંત્રણમાં રાખે છે. આ સાથે તમે ડાયબિટિસને કંટ્રોલમાં લાવવા માટે સાયકલિંગ કરીને કેલરીને બર્ન કરી શકો છો, જે ડાયાબિટીસ દર્દી માટે ખુબ જ લાભદાયક સાબિત થાય છે. આ માટે રોજિંદ લાઈફસ્ટાઈલમાં કસરત યોગ અને સાયકલિંગ નો સમાવેશ કરવો જોઈએ.

સૂર્યપ્રકાશ ના કિરણો: બાલ્ડ સુગરને કંટ્રોલમાં રાખવા માટે વિટામિન-ડી ખુબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. વ્યક્તીના શરીરમાં વિટામિન-ડી ની ખામી હોય તેમને ડાયાબિટીસ થવાનું જોખમ રહેલું હોય છે. માટે ડાયબિટીસ ટાઈપ-2 ને કંટ્રોલમાં રાખવા માટે વિટામિન-ડી નોઇ સ્ત્રોત સૌથી ઉત્તમ માનવામાં આવે છે,

માટે સૂર્યપ્રકાશના પહેલા કિરણો માંથી મળી આવતું વિટામિન-ડી લેવું જોઈએ, આ માટે તમારે સવારે 20 મિનિટ સૂર્ય પ્રકાશના કિરણો સામે ઉભા રહેવું જોઈએ. જે વિટામિન-ડીની કમી પુરી કરશે અને સુગર લેવલને કંટ્રોલમાં રાખવામાં મદદ કરશે.

ફાયબર યુક્ત આહાર લેવો: ફાયબર યુક્ત આહાર લેવાથી આપણે માત્ર વજન ઓછું નથી કરી શકતા પરંતુ તટે સુગર લેવલને નિયંત્રણમાં રાખવામાં પણ મદદ કરે છે. ફાયબર યુક્ત આહાર લેવાથી આપણી પાચન પ્રણાલીમાં સુધારો થાય છે. આ માટે ફાયૂબર હી ભરપૂર તેવા આહારને ભોજનમાં સમાવેશ કરવો જોઈએ.

બ્લેક કોફી: બ્લકે કોફીની અંદર પોલિફીનોલ્સ નામના એન્ટીઑકિસડન્ટ્સ પણ મળી આવે છે, જે ઈન્સ્યુલીન લેવલને વધારવામાં મદદ કરે છે, જેથી સુગરના લેવલને સ્તરને ઓછું કરવામાં મદદ મેળવી શકાય છે. આ ઉપરાંત તે પાચનક્રિયાને સુધારીને વજનને કંટ્રોલમાં લાવવાનું કામ કરે છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *