અણગમતી રૂંવાટી આવવી તે ખુબ જ સામાન્ય સમસ્યા છે. મહિલાઓમાં સૌથી વધુ સમસ્યા અણગમતા વાળની રહેતી હોય છે. અણગમતા વાળ હોવાના કારણે વ્યક્તિ ગમે તેટલો ગોરો હોય તો પણ તેની સુંદરતા ઓછી દેખાતી હોય છે.
આ સુંદરતાને વધારવા માટે અણગમતા વાળને દૂર કરવા જોઈએ. અણગમતી રૂંવાટી મૂછો પર અને દાઢીના ભાગમાં જોવા મળતી હોય છે. જેને દૂર કરવા માટે મહિલાઓ અનેક પ્રકારના પ્રત્યનો કરતા હોય છે.
હોઠના ઉપરના ભાગમાં આવતી રૂંવાટીને કારણે વ્યક્તિના દેખાવ પર અસર પડે છે. આ માટે આજે અમે તમને એવા કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું જેનો ઉપયોગ કરીને યુવતીઓ અને મહિલાઓ તેમની સુંદરતા માં વઘારો કરી શકે છે.
અણગમતી રૂંવાટીને દૂર કરવાના ઘરેલુ ઉપાય:
દૂઘનો ઉપયોગ: રૂંવાટી દૂર કરવા માટે દૂઘ સૌથી ફાયદાકારક છે. આ માટે એક બાઉલમાં ત્રણ થી ચાર ચમચી દૂઘ લો ત્યાર બાદ તેમાં રૂ ડાબોળી ને રૂંવાટીવાળી જગ્યાએ લગાવી ને તેને સુકાવવા માટે 20 મિનિટ રહેવા દો, સારી રીતે સુકાઈ જાય ત્યારબાદ કોટર્ન નું કપડું લેવાનું છે,
અને તેના વડે ઘસીને નીકાળી દેવું, ત્યારબાદ પાણી વડે ઘોઈ લો અને કોટર્ન ના કપડાં વડે સાફ કરો. આ રીતે અઠવાડિયામાં ત્રણ થી ચાર વખત કરવાથી દાઢી અને મૂછ પર આવતી અણગમતી રૂંવાટી ને દૂર કરી શકાય છે.
મીણબત્તી નો ઉપયોગ: આ માટે સૌથી પહેલા થોડી મીણબત્તી ને છીણી લો ત્યારપછી તેને રૂંવાટી વાળી જગ્યાએ લગાવી દો અને 15-20 મિનિટ સુધી રહેવા દો, પછી કોટર્નના કપડાં વડે ઘસીને સાફ કરી લો અને પછી પાણી ઘોઈ સાફ કરો. આ રીતે મીણબત્તી નો ઉપયોગ કરવાથી અણગમતી રૂંવાટીઓ દૂર થાય છે.
ચણાનો લોટ: ચણા નો લોટ ચહેરાની સુંદરતા વધારવા માટે પ્રસિદ્ધ છે, જેને રૂંવાટી નીકાળવા માટે કરવાનો છે. આ માટે તમે સૌથી પહેલા એક બાઉલ માં ચણા નો લોટ લઈ પાણી ઉમેરી પેસ્ટ તૈયાર કરો, તે પેસ્ટ ને લગાવી સુકાઈ જાય ત્યારે રૂ વડે ઘી ને સાફ કરી લો,
આ રીતે ચણા ના લોટનો ઉપયોગ અઠવાડિયામાં ત્રણ વખત કરવાથી ગમતીના હોય તેવી રૂંવાટીઓ પણ દૂર થઈ જાય છે. જે ચહેરાની સુંદરતા વઘારવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે.
હળદર અને દૂઘ: હળદર અને દૂધ ની પેસ્ટ બનાવીને દાઢી અને મૂછની અણગમતી રૂંવાટી પર લગાવાથી ગમે તેવી રૂંવાટી હશે તો તેને દૂર કરવામાં મદદ કરશે, જેથી ચહેરો કોમળ અને સુંદર દેખાવા લાગશે.
જો તમે દાઢી કે મૂછ પરની અણગમતી રૂંવાટી ને દૂર કરવા માગતા હોય તો તમારા માટે આ ઉપાય ખુબ જ અસરકારક સાબિત થઈ શકે છે જે ચહેરાની સુંદરતામાં વઘારો કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.