આજના સમયમાં મોટાભાગના લોકોને જોઈન્ટ પેઈન અને સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છે, આ ઉપરાંત ઘણા લોકોને ઢીંચણમાં અસહ્ય દુખાવો, કમરનો દુખાવો,ખાંભામાં દુખાવા, સ્નાયુ અને માંશપેશી ના દુખાવા યુરિક એસિડ વધવાના કારણે થતા જોવા છે.

આપણા શરીરમાં આ બધી સમસ્યા થવાનું સૌથી મોટું કારણ પોષક તત્વોનો અભાવ, શારીરિક પરિશ્રમ નો અભાવ, બેઠાળુ જીવન હોવાના કારણે શરીરમાં આવી બધી સાંધા અને હાડકાને લગતી અનેક પ્રકારની બીમારીના શિકાર બની શકાય છે.

શરીરમાં જયારે વાત પિત્ત અને કફ નું બેલેન્સ ખરાબ થાય છે ત્યારે આપણા શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ થવાનું ચાલુ થઈ જતું હોય છે. માટે વાત પિત્ત અને કફને બેલેન્સ માં રાખવું પડશે.

સાંઘાના દુખાવા શરીરમાં કેલ્શિયમ ની ઉણપ હોવાના કારણે પણ હાડકાના દુખવામની સમસ્યા થઈ શકે છે, વાયુનો પ્રકોપ વધવાના કારણે પણ સાંધા અને જોઈન્ટ માં દુખાવો થાય છે. શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધવાના કારણે પણ હાડકાને લગતી અનેક સમસ્યા થવાનું જોખમ રહેતું હોય છે.

સાંઘા થતા દુખાવાને દૂર કરવા માટે કેટલાક ઘરેલુ ઉપાય અપનાવવા જોઈએ જેથી આપણે ખુબ જ આસાનીથી દુખાવામાં રાહત મેળવી શકીશું. નાની ઉંમરે થતા જોવા મળતા સાંધા ના દુખાવા, કમરના દુખાવા, ઢીચણ ના દુખાવામાં ખુબ જ કારગર સાબિત થશે.

વાયુનો પ્રકોપ થવાના કારણે તે વાયુ આપણા જોઈન્ટ અને સાંધા માં ભરાય છે ત્યારે જોઈન્ટમાં દુખાવા, સાંધા ના દુખાવા, કમરના થવાનું શરુ થઈ જાય છે, આ માટે આ દુખાવા દૂર કરવા માટે સરસવના તેલની માલિશ કરવી જોઈએ. જેની મદદથી ખુબ જ રાહત મળે છે જયારે આપણે તેલની માલિશ કરીયે છીએ ત્યારે જોઈન્ટ માં ભરાઈ ગયેલ વાયુ દૂર થઈ જાય છે અને ઓઈલનું પ્રમાણ વધારે છે.

આ માટે આપણે સવારે નાહવા જઈએ તે પહેલા 5-10 મિનિટ તેલની માલિશ કરવી જોઈએ જેથી આપણા જોઈન્ટ માં જે સૂકું પણું આવ્યું હશે તે દૂર થઈ જશે અને લાંબા સમય સુધી હાડકાને મજબૂત બનાવી રાખે છે.

યુરિક એસિડ વધવાના કારણે જેમને દુખાવા થતા હોય તેમના માટે ગળો સૌથી બેસ્ટ છે. ગળો ઔષધીય ગુણો થી ભરપૂર છે. યુરિક એસિડને દૂર કરવા માટે અડધી ચમચી ગળો નો પાવડર અને અડધી ચમચી દેશી ગાયનું ઘી અને એક ચપટી સુંઠ પાવડર લેવાનું છે. હવે બધાને સારી રીતે મિક્સ કરી લો,

હવે તેનું સેવન સવારે ખાલી પેટ કરવાનું છે, આ પેસ્ટ નિયમિત પણે ખાવાથી યુરિક એસિડનું પ્રમાણ દૂર થઈ સાંઘાના દુખાવા, કમરના દુખાવા, ઢીચણ ના દુખાવામાં ખુબ જ ઝડપથી રાહત મળશે.

જોઈન્ટમાં ભરાઈ ગયેલ વાયુને દૂર કરવા માટે સૌથી પેહલા એક ગ્લાસ હૂંફાળું પાણી ગરમ કરીને પી જાઓ તેના 15 મિનિટ પછી એક ચમચી શુદ્ધ દેશી ગાયનું ઘી ખાઈ લેવાનું છે, હૂંફાળું પાણી પીવાથી સાંધા અને જોઈન્ટ માં જે વાયુ ભરાઈ ગયો છે તે દૂર થશે અને દેશી ઘી જોઈન્ટ માં ઓઈલિંગ કરે છે અને દુખાવામાં ખુબ જ ઝડપથી આરામ આપે છે.

જેમને નાની ઉંમરમાં જ સાંધા ના દુખાવા, હાડકામાં કડકડ અવાજ આવવો, ઢીચણ ના દુખાવા, કમરના દુખાવા જેવી સમસ્યા થતી હોય છે તેમના માટે આ ઉપાય ખુબ જ ફાયદાકારક સાબિત થશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *