આજના સમયમાં વાળ ખરવા એ સૌથી મોટી સમસ્યા થઈ ગઈ છે. નાની ઉંમરથી લઈને મોટી ઉંમરના વ્યક્તિમાં આ એક સમસ્યા જોવા મળતી હોય છે. આ સમસ્યા 100 માંથી 95 લોકોને હોય જ છે. જે ખુબ જ ચિંતા જનક આંકડો કહેવાય છે.

આજે દરેક વ્યક્તિ આ સમસ્યાનો અનુભવ કરી રહ્યા છે. વાળ ખારવા એ બહુ મોટી બીમારી તો નથી પરંતુ પાણી કેટલીક ખરાબ ટેવ અને આપણી કેટલીક બેદરકારીના કારણે પણ આ સમસ્યા થઈ શકે છે. ઘણા લોકો સ્નાન કરતા હોય ત્યારે પણ તેમને વાળ ખરતા હોય છે.

આ ઉપરાંત ઘણા લોકો સ્નાન કરીને આવે છે તેના પછી વાળને જયારે ઓળાવવા જાય છે ત્યારે પણ વાળ ઉતરતા હોય છે. જે આપણી માનસિક ચિંતામાં વઘારો કરી દે છે. વાળ ખરવાના ઘણા બઘા કારણો હોય છે. ઘણા લોકો બહારનો મસાલા વાળો અને તળેલા આહારનું સેવન કરતા હોય છે.

બહારના આહારનું સેવન કરવાથી તેમાં થી પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળતા નથી. જો પૂરતા પ્રમાણમાં પોષક તત્વોની ઉણપ થઈ જાય તો વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે. વાળને ખરતા અટકાવવા માટે યોગ્ય પોષણ યુક્ત આહારનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત વિટામિન-ઈ યુક્ત આહારનું વધુ સેવન કરવું જોઈએ.

ઘણા લો વાળને ઘોવા માટે અલગ અલગ શેમ્પુનો ઉપયોગ કરતા હોય છે. આ ઉપરાંત દર વખતે અલગ અલગ તેલ માથામાં લગાવતા હોય છે. આજ ના સમયમાં બજરમાં એવા ઘણા બઘા શેમ્પુ અને તેલ મળી આવે છે જેમાં કેમિકલનો ઉપયોગ થતો હોય છે.

જયારે કેમિકલ યુક્ત શેમ્પુ અને તેલનો ઉપયોગ કરવામાં આવે તો વાળ ખરવાની સમસ્યા થવાનું શરુ થઈ જાય છે. ઘણા લોકો વાળને ખરતા અટકાવવા માટે વાળની ટ્રીટમેન્ટ પણ કરાવતા હોય છે. તેવામાં ઘણી દવાઓ અને તેલનો ઉપયોગ કરવો પડતો હોય છે.

દવા અને તેલનો ઉપયોગ કરવાથી વાળ ખરવાના બંઘ થઈ જાય છે પરંતુ થોડા સમય પછી દવા બંઘ કરવાથી પાછા વાળ ખરવાનું શરુ થઈ જાય છે. બજારમાં મળતી દવા ને શેમ્પુનો ઉપયોગ કર્યા વગર જ વાળને ખરતા અટકાવી શકાય છે.

ઘણા લોકોને વાળ ખરવાની સમસ્યા હોતી નથી અને ઘણા લોકોને ખુબ જ વાળ ખરતા હોય છે. તેવા લોકોને વાળ ખરતા અટકાવવા માટે આયુર્વેદિક ઉપાય કરવો જોઈએ. જેથી વાળ ખરતા અટકાવી શકાય છે.

વાળને ખરતા અટકાવવાના ઘરેલુ ઉપાય: સૌથી પહેલા બે ચમચી ઓલિવ ઓઈલ લઈને તેને ગરમ કરી લો, ત્યાર પછી બે ચમચી દેશી શુદ્ધ મઘ અને એક ચમચી તજ પાવડર મિક્સ કરીને બરાબર બે થી ત્રણ મિનિટ સુઘી હલાવી લો, હવે તેને નાહવાના 60-70 મિનિટ પહેલા માથાના વાળના મૂળમાં લગાવીને પાંચ મિનિટ સુઘી મસાજ કરો. ત્યાર પછી તેને 50 -55 મિનિટ સુઘી રહેવા દેવું.

ત્યાર પછી તમે નાહવા જાઓ ત્યારે આયુર્વેદિક શેમ્પુનો ઉપયોગ કરીને વાળને ઘોઈ લેવા. ત્યાર પછી જયારે વાળ એકદમ કોળા થઈ જાય ત્યારે અડધી ચમચી એરંડિયું ઓઈલ અને કોપરેલ તેલને ગરમ કરીને પછી તે થોડું ઠંડુ થઈ જાય ત્યારે તેને વાળના મૂળમાં આવે વાળમાં સારી રીતે મસાજ કરવાની છે.

આ જ રીતે ઉપાય 10 દિવસ કરવાથી તમને વાળ ખરવાની જે સમસ્યા દૂર થઈ જશે. આ ઉપાય એકદમ આયુર્વેદિક ઘરેલુ ઉપચાર છે જે આપણા વાળ માટે ખુબ જ ઉપયોગી છે. આમ કારાથી વાળની મજબૂતાઈ પણ વઘશે તેની સાથે ચમકદાર અને સિલ્કી બનાવી દેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *