આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

મિત્રો આ લેખમાં આજે અમે તમને એવી મુખ્ય 3 શાકભાજી વિશે માહિતી આપવા માંગીએ છીએ કે જેમાં સૌથી વધુ પ્રમાણમાં દવાનો છંટકાવ કરવામાં આવે છે અને આપણે પણ તે શાકભાજીનું સૌથી વધુ પ્રમાણમાં ખાઈએ છીએ. આ લેખમાં આ શાકભાજીનું સેવન કર્યા પછી તેમને તેની કોઈ આડઅસર ન પડે એટલા માટે તમને એક સારામાં સારો ઉપાય બતાવવા માંગીએ છીએ જે તમને ખુબજ ઉપયોગી થશે.

મિત્રો આપણે જે શાકભાજી ખાઈએ છીએ એમાંથી મુખ્ય ત્રણ શાકભાજી એવા છે કે જેમાં સૌથી વધુ પ્રમાણમાં દવા છાંટવામાં આવતી હોય છે. તમને જણાવે કે તાજેતરમાં એલોપેથી સાઈન્સ અને નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવ્યું કે કેન્સર થવા માટે ઘણાબધા કારણો જવાબદાર છે. તેમાંના એક કારણ જંતુનાશક દવાઓ પણ છે .

શાકભાજીની સાથે આ જંતુ નાશક દવાઓ આપણા શરીરમાં જઈને તે સેલ્સને મારીને ખતમ કરી નાખે છે. અત્યારના સમયે ખુબજ ઝડપી કેન્સરના કેસો વધી રહ્યા છે તેની પાછળનું મુખ્ય આ જ કારણ છે. એટલા માટે જ સરકારે ઓર્ગેનિક ખેતી તરફ વધુ ધ્યાન આપ્યું છે. અત્યારે તમે બજારમાં સીટીમાં કે પછી મોટા મોટા મોલમાં જોશો તો ઘણી વસ્તુઓ ઓર્ગેનિક મળવાની શરૂઆત થઇ ગઈ છે.

ઓર્ગેનીક પ્રોડક્ટના સ્પેશિયલ સ્ટોલ પણ શરુ થઇ ગયા છે જે તમને થોડા મોંઘા મળશે પરંતુ તમે ભાવ સાથે ક્યારેય પણ ન જોશો. તમારા શરીરના સ્વાસ્થ્ય માટે ભાવ સામે ન જોશો, કારણકે શરીર માટે પૈસાની કિંમત નથી પૈસા કરતા શરીર વધુ કિંમતી છે. બને ત્યાં સુધી તમારે પણ દરેક ઓર્ગેનિક ખાવાનું રાખવું જોઈએ.

હવે મુખ્ય ત્રણ શાકભાજી છે તે બરાબર સમજી લ્યો કે કઈ કઈ છે ? 1) મરચી 2) રીંગણ ૩) ફ્લાવર. તમને જણાવીએ કે આ ત્રણ મુખ્ય શાકભાજીમાં સૌથી વધુ પ્રમાણમાં દવા છાંટવામાં આવે છે. તો હવે પ્રશ્ન થશે કે તે ખાવી કે ન ખાવી? તો એ તમારી ઈચ્છાની વાત છે.

તમને શહેરમાં રહેતા હોય તો તમને કદાચ ખબર ન હોય તો જણાવી દઈએ કે જો ખેડૂતોની પણ એક મજબૂરી હોય છે કે જો ફર્ટીલાઈઝર ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ કદાસ ન કરવામાં આવે તો તેમને જે ઉત્પાદન થતું હોય તેના કરતા અડધું ઉત્પાદન થઇ જાય છે.

જયારે તેમને ઉત્પાદન અડધું થઇ જાય ત્યારે તેમને મજૂરી સાથે સાથે બજારનો ખર્ચો પણ નીકળતો હોતો નથી. આવી સ્થિતિમાં ખેડૂત ખુબજ ચિંતાતુર થઇ જતો હોય છે. ખેતી વિશે તો એક કહેવત પણ છે કે “ખેતી થઇ તો ખેતી નહીતર ફજેતી” “ખેતી એ એક પ્રકારનો જુગાર છે” આ વખતે ખુબજ શાકભાજીના ભાવ ઓછા થઇ ગયેલા જોવા મળેલ છે. આવી પરિસ્થતીના કારણે ઘણા ખેડૂતો આત્મહત્યા પણ કરી દેતા હોય છે.

ખેડૂતો પણ હવે હોશિયાર થવા લાગ્યા છે અને ઓર્ગેનિક તરફ આગળ વધ્યો છે ત્યારે કોન્ટાકટરો ખેડૂત પાસે ઓર્ગેનિક ખેતી કરાવે છે, પ્યોર ઓર્ગેનિક ખેતી કરાવે છે અને તે ડબલ ભાવ આપે છે ઓછુ ઉત્પાદન થાય છતાં પણ તેમને વધુ ભાવ આપે છે માટે ખેડૂતોને તે સરળતાથી પોચાઈ રહે છે.

જો ગ્રાહકો પણ પોતે ઓર્ગેનિક વસ્તુઓ વાપરવાનો આગ્રહ વધુ રાખશે અને વધુ ભાવ આપીને પણ ઓર્ગેનિક વસ્તુઓ વાપરશે તો તેમના સ્વાસ્થ્ય માટે પણ સારું રહેશે અને ખેડૂત ને પણ વાંધો નહિ આવે. પરિણામે ખેડૂતો પણ ધીમે ધીમે ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધશે.

હવે ટૂંકા જ સમયમાં સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી થઇ જશે જે આપણા સ્વાસ્થ્યને ખુબજ ફાયદો કરશે. એટલા માટે ખાસ ઓર્ગેનિક ખેતી તરફ જોર વધુ આપજો. તેમજ તમે હવેથી વધુ પડતી ઓર્ગેનિક વસ્તુઓ વાપરવાનો જ આગ્રહ રાખજો.

જો તમે નથી જાણતા કે ખેતી કેવી રીતે થાય છે તો તમને જણાવીએ કે સૌથી વધુ પ્રમાણમાં ખાતર અને દવાઓ છાંટવામાં આવે છે. જો તમારે કોઇપણ પ્રકારની સાઈડ ઈફેક્ટ સામે રક્ષણ મેળવવું હોય તો તમારે આ એક ઉપાય અવશ્ય અજમાવવાનો રહેશે અને તે મુજબ તમે કરશો એટલે તમને આ જંતુનાશક દવાઓ અને ફર્ટિલાઇઝર ખાતરની સાઈડ ઈફેક્ટ થતી જોવા નહિ મળે.

તમારે બજારમાંથી સૌથી પહેલા ફટકડી લાવવાની રહેશે. તેનો પાઉડર કરીને તેનો એક ડબ્બો ભરી લેવાનો રહેશે. ત્યારબાદ તમારે ગરમ પાણી કરવાનું છે તે ગરમ કરેલા પાણીમાં તમારે એક ચપટી ફટકડીનો પાઉડર ઉમેરી દેવાનો છે.

ત્યારબાદ તે ફટકડીના પાઉડરને પાણીમાં બરાબર ઓગાળી નાખો અને તેમાં જે તે શાકભાજી તેમાં નાખો અને તેને 30 મિનિટ સુધી ફટકડી વાળા પાણીમાં રહેવા દો. પછી તેમાંથી શાકભાજી બહાર કાઢી તેને સ્વચ્છ પાણીની મદદથી સારી રીતે ધોઈ નાખો ત્યારબાદ તમે શાકમાં ઉપયોગ કરી શકો છો.

આમ, ઉપર જણાવ્યું તેમ બજારમાં મળતા સૌથી વધુ શાકભાજી પૈકી જે આ મુખ્ય ત્રણ શાકભાજીમાં સૌથી વધુ પ્રમાણમાં દવાઓ અને ખાતરનો ઉપયોગ થતો હોય છે માટે તે એક કેન્સરનું કારણ બનતું હોય છે. અમે તમને આ લેખમાં તેની સામે રક્ષણ મેળવવા માટે સરસ મજાનો ફટકડીનો ઉપાય પણ બતાવ્યો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *