શું તમે પણ વજન ઘટાડવા માટે અનેક પ્રયત્નો કર્યા છે, શું તમારે પેટની ચરબી ઘટાડવી છે, શું તમારે કમરની ચરબી ઘટાડવી છે, શું તમારે વજન ઘટાડવું છે, તો આજે અમે તમને ચરબીને દૂર કરીને વજનને ઘટાડવા માટે કેટલાક ઉપાય જણાવીશું. જે ઉપાય તમારે રોજિંદા જીવનમાં અપનાવી લેવાના છે.
આ નિયમોનું તમે રોજે અમલ કરશો તો તમારું વજન માત્ર એક જ મહિનામાં 7-10 કિલો ઓછું થઈ જશે. વજનની સાથે તમે પેટની ચરબી પણ ઘટાડી દેશો. આ નિયમો દરેક વ્યક્તિ ચુસ્ત પણે પાલન કરશે તો દરેક વ્યક્તિ લાંબા સમય સુઘી સ્વસ્થ અને હેલ્ધી અને ફિટ રહેશે.
હાલના સમયમાં મોટાભાગે લોકો બેઠાળુ જીવન જીવતા હોય તેમને ચરબી અને વજન વઘારે હોવાની શક્યતા વધુ જોવા મળતી હોય છે. વજન અને ચરબી વધારે હોવાથી ચાલવામાં, દોડવામાં, ઉઠવા બેસવામાં ઘણી બધી તકલીફનો સામનો કરવો પડતો હોય છે.
આપણી કેટલીક ખરાબ ટેવોના કારણે આપણા પેટમાં ચરબીનું પ્રમાણ વઘતું હોય છે. પેટમાં વધારે ચરબી ભેગી થઈ જવાથી આપણા શરીરમાં ઘણી બીમારી થવાની સંભાવના વઘી જાય છે. માટે બીમારી બચવા માટે આપણે કેટલાક નિયમોનું પાલન કરીને સરળતાથી વજન ઘટાડી શકીએ છીએ. ટોક ચાલો જાણીએ કયાં નિયમોનું પાલન કરવું જોઈએ.
સૂર્યોદય પહેલા ઉઠવું: વજન ઘટાડવા માટે સવારે વહેલું ઉઠવું ખુબ જ જરૂરી છે. સવારે વહેલા ઉઠવાથી તમને બીજી અન્ય કોઈ એક્ટિવિટી કરવી હોય તો તે તમે સરળતાથી કરી શકો છો. સવારે વહેલા ઉઠીને અન્ય એક્ટિવાઈટી માટે 10-15 મિનિટ નો સમય તમે આપી શકો છો જે તમારું વજન ઘટાડવા માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે.
વાસી મોઢે હૂંફાળું પાણી પીવું: વહેલા ઉઠીને સૌથી પહેલા તમારે એક ગ્લાસ નવશેકું હૂંફાળું પાણી ગરમ કરીને પીવું જોઈએ. જો તમારી પેટની ચરબી વઘારે છે તો સવારે જે હૂંફાળું પાણી કર્યું હોય તેમાં એક લીંબુનો રસ મિક્સ કરીને પી જવું. વજન અને ચરબીને ઘટાડવા માટે પાણી પીવાનો આ બીજો નિયમ ખુબ જ ફાયદાકારક સાબિત થશે. જો કોઈને વજન વધારે ના હોય તે વ્યક્તિ પણ પોતાના શરીરને સ્વસ્થ અને ફિટ રાખવા માટે નવશેકા પાણીનું સેવન કરી શકે છે.
રોજ 30 મિનિટ ચાલવું: રોજે ચાલવું આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. જેમને વજન અને પેટની ચરબી છે તેમને રોજે સવારે અને સાંજે બંને સમયે ચાલવું જોઈએ. ચાલવાથી પેટની ચરબી ઓછી થવા લાગે છે અને વજન પણ ઘટવા લાગે છે. આ નિયમનું જો દરેક વ્યક્તિ પાલન કરે તો તે પોતાની બોડીને મેઈન્ટેઈન રાખી શકે છે. આ ત્રીજો નિયમ વજન ઘટાડવા માટે ખુબ જ ઉપયોગી છે.
કસરત અને યોગા કરવા: રોજે ઓછામાં ઓછી 20-25 મિનિટ કસરત અને યોગા કરવા જોઈએ. કસરત અને યોગા કરવાથી આપણા શરીરના દરેક અંગો યોગ્ય રીતે કામ કરી શકે છે. જેથી આપણા શરીરને ભરપૂર એનર્જી મળી રહે છે. આ ચોથી નિયમ પેટની ચરબીને ઘટાડવા માટે ખુબ જ ઉપયોગી છે.
પેટને સાફ કરવું: જો તમે રાત્રીના સમયે જમ્યા હોય ને તે ખોરાક પચવાનો રહી ગયો હોય તો સવારે ઉઠીને ઉપરના ચાર નિયમનું યોગ્ય રીતે પાલન કરશો તો ખોરાક પચી જશે. ખોરાક સરળતાથી પચી જવાથી પેટ સરળતાથી સાફ થઈ જશે.પેટ સાફ થવાથી ચરબી વધતી નથી અને વધેલ ચરબીના થરને પણ ઓછું કરવામાં મદદ કરશે. વજન અને ચરબીને ઘટાડવા માટે આ પાંચમો નિયમ ખુબ જ ઉપયોગી છે.
ક્યા સમયે કેટલું જમવું: સવારે 7 થી 9 વાગ્યા સુઘીમાં નાસ્તો કરવો, ત્યાર પછી 10-11 વાગે કોઈ પણ એક ફળનું સેવન કરવું, ત્યાર પછી બપોરે 12-1 વાગ્યા સુઘીમાં જમી લેવું અને રાત્રીના સમયે 7થી વાગ્યા સુધીમાં જમી લેવું, રાત્રિનું ભોજન હંમેશા હળવું જ લેવું. ઘ્યાનમાં રાખવું કે કોઈ પણ ખોરાક લો તો તે ખોરાક ભરપેટ ક્યારેય ના ખાવું.
જમતી વખતે શું ના પીવું: ઘણા લોકોને ભોજન કરતા હોય ત્યારે વચ્ચે પાણી પીવાની આદત હોય છે. માટે ભોજન કરતી વખતે પાણી ના પીવું જોઈએ. આ ઉપરાંત જમ્યાં પછી ઠંડુ પાણી કે ઠંડા પીણાંનું સેવન ના કરવું જોઈએ. જમ્યાના 45 મિનિટ પછી પાણીનું સેવન કરવું જોઈએ.
જમ્યા પછી શું ખાવું: જમ્યા પછી રોજે એક ચમચી વરિયાળીનું સેવન કરવું જોઈએ. વરિયાળીનું સેવન કરવાથી આપણા શરીરમાં પાચનક્રિયાને સુઘારે છે. પાચનક્રિયામાં સુઘારો થવાથી પાચનતંત્ર મજબૂત બંને છે. માટે રોજે જમ્યા પછી આ નિયમનું ખાસ પાલન કરવું જોઈએ.
જમ્યા પછી કયારેય સૂવું ના જોઈએ. જમ્યાના બે થી ત્રણ કલાક પછી જ સૂવું. જો તમારે પેટની ચરબી અને વજન ઘટાડાવું હોય તો બહારના ફાસ્ટ ફૂડ અને જંકફૂડનું સેવન ના કરવું જોઈએ. આ ઉપરાંત મેંદા વાળી વસ્તુ ના ખાવી જોઈએ. આખા દિવસ દરમિયાન હૂંફાળા ગરમ પાણીનું સેવન પણ કરી શકાય છે. જે ચરબીને ઝડપથી ઓગાળી દેવામાં મદદ કરે છે.
જો તમે આ આટલા નિયમોનું ચુસ્ત પણે પાલન કરશો તો તમે ખુબ જ સરળતાથી પેટની ચરબીને ઓગાળીને વજન ઘટાડી શકો છો. વઘારે પૈસાનો ખર્ચ જિમ માં કર્યા કરતા આ નિયમોનું પાલન કરશો તો કોઈ પણ ખર્ચ કર્યા વગર જ પેટની ચરબી ઓગળી જશે અને વજન પણ ઓછું થઈ જશે.