જયારે ઉનાળાની શરૂઆત થાય અને માથે ગરમી લાગવા લાગે ત્યારે સૌથી પહેલા તમારા મગજમાં જે ફ્રૂટ ખાવાની ઈચ્છા થાય તે તરબૂચ છે. તરબૂચનો ઉપયોગ ઉનાળામાં ગરમી સામે રક્ષણ મેળવવા ખુબજ થાય છે. એક તરબૂચ ની અંદર ૯૦ થી ૯૫ ટકા જેટલું પાણી રહેલું છે,જે આપણા શરીર માટે ઉનાળામાં પૂરતું છે.
હવે આ તરબૂચ કોણે ખાવું જોઈએ, કોણે ન ખાવું જોઈએ, સવાર-બપોર-સાંજ માંથી કયા સમયે ખાવું, ભૂખ્યા પેટે કે જમ્યા બાદ ખાવું આના વિષે તમને સંપૂર્ણ માહિતી આ આર્ટિકલમાં મળશે.
સૌથી પહેલી વાત કરી કે તરબૂચ ની અંદર કયા કયા તત્વો રહેલા છે. તરબૂચ માં સૌથી પહેલાં તો સુગર વધારે રહેલું છે, બીજી વસ્તુ પ્રોટીન છે, આની અંદર મેગ્નેશિયમ અને ફોસ્ફરસ વધારે રહેલું છે, ફાઈબર તત્વ રહેલું છે. વિટામીન એ પોટેશિયમ અને વિટામિન સી જેવા તત્વો પણ આની અંદર ભરપૂર માત્રામાં રહેલાં છે.
ઉનાળાની ગરમીમાં શરીરમાં ડીહાઈડ્રેશન થી બચવું હોય, શરીરને જરૂરી પાણી પૂરું પાડવું છે તો પાણી સિવાય બીજો કોઈ વિકલ્પ હોય તો એ છે તરબૂચ. તરબૂચ પ્રોટીન ધરાવે છે જેથી તમારી રોગ પ્રતિકારકશક્તિ ઉનાળામાં જળવાઈ રહે છે, શરીરમાં નબળાઈ કે કમજોરી આવી શકતી નથી.
પરંતુ તમને જણાવીએ કે તરબુચની અંદર સુગર રહેલી હોય છે જે ડાયાબીટીસ ધરાવતા દર્દીઓ માટે નુકસાનકારક થઇ શકે અને વધારે પડતું તરબૂચનું સેવન કરવાથી તમારા શરીરમાં ડાયાબીટીસની તકલીફ પણ એક સમયે ઉત્પત્તિ થઈ શકે છે.
તો જે લોકોને ડાયાબિટીસ ની તકલીફ હોય એ લોકોએ તરબૂચથી અંતર બનાવીને રાખવું જોઈએ. હવે ક્યા સમયે તરબૂચ ખાવું જોઈએ તો તરબૂચ ખાવાનું સૌથી સારો સમય સવારનો સમય ગણવામાં આવ્યો છે.
તરબૂચ ખાવા પાછળ જણાવવામાં આવ્યું છે કે સવારે 11 થી લઈને બપોરે 2 વાગ્યા સુધીનો જે સમય છે તે તરબૂચ ખાવા માટે સૌથી અનુકૂળ સમય છે એવું આયુર્વેદના પુસ્તકોની અંદર જણાવવામાં આવ્યું છે. હવે જાણીએ તરબૂચ ક્યારે ન ખાવું જોઈએ: તરબૂચ ને રાત્રે ન થવું જોઈએ. રાત્રે તરબૂચ ખાવામાં આવે તો તમારું પેટ ભારે થઈ શકે છે.
તમે જમ્યા બાદ તરબૂચનું સેવન કરો તો તમારું પેટ વધારે ભૂલી શકે છે અને જેના કારણે તમે બેચેની આવી શકે, ગેસ પણ થઈ શકે, સવારે તમને કબજિયાત નો સામનો પણ કરવો પડે અને બેસીને કારણે તમારું પેટ માં પાણી વધવાના કારણે રાત્રે તમને ઊંઘ પણ સારી ન આવી શકે અને તમારે વધારે પડતો પેશાબ કરવા પણ ઊઠવું પડે છે.
જેનાથી આપણી ઊંઘ ડિસ્ટર્બ થાય છે અને ઊંઘ ન પણ આવી શકે છે. ઊંઘ ન આવવાથી શરીરમાં કમજોરી આવી શકે છે. તો રાત્રે તમારે તરબૂચનું સેવન નથી કરવાનું.
હવે જાણીએ તરબૂચની સાથે કઈ વસ્તુઓ ખાવાની નથી: તો તમારે ખાટા ફળોનુ સેવન નથી કરવાનું, કારણ કે બંને વસ્તુઓ છે જે તમારા પેટમાં એસિડ વધારી શકે. તમારા શરીરમાં હાથ-પગમાં, છાતીમાં બળતરા વધારી શકે છે. તો ખાટી વસ્તુઓ, ખાટા ફળોનું સેવન નથી કરવાનું.
તરબૂચ ખાધા પછી તમારે એક કલાક સુધી પાણીનું સેવન નથી કરવાનું. આના કારણે પણ ગેસ કે એસિડિટીની સમસ્યા તમને થઈ શકે છે. બીજી વસ્તુ કે તમારે તરબૂચ ખાધા પછી ગરમ વસ્તુઓનું સેવન પણ નથી કરવાનું કારણ કે આ બંને એકદમ વિરુદ્ધ છે જે આપણા શરીર માટે મોટામાં મોટું નુકસાન લઈને આવી શકે છે.
હવે જાણીએ એક દિવસમાં કેટલું તરબૂચ ખાવું જોઈએ: તો જે લોકો વધારે ફિટ છે તેવા લોકોએ દિવસનું ૩૦૦ ગ્રામ જેટલું તરબૂચ ખાવું જોઈએ. બાકી તમે ૨૦૦ ગ્રામ થી ૩૦૦ ગ્રામ સુધી તરબૂચ ખાઈ શકો છો. જો વધારે પડતું તરબૂચ ખાવામાં આવે તો શરીરમાં પાણી વધી જાય જેના કારણે શરીરમાં લોહી પણ વધી શકે છે અને એક સમયે આપણા શરીરમાં સોજા પણ આવી શકે.
હાથ-પગમાં સોજો આવી શકે, થકાવટ પણ થઈ શકે કે કમજોરી પણ આવી શકે એટલે તમારે ધ્યાન રાખવાનું છે, તરબુચ ખાવાનો સમય, કોણે કોણે તરબૂચ ન ખાવું એ પણ ધ્યાન રાખવું.
જે લોકોને લીવરની તકલીફ હોય તેમણે ઓછું તરબૂચનું સેવન કરવાનું છે કારણ કે આની અંદર એક પ્રકારનું સુગર આવે છે જે લીવર વચ્ચે ખૂબ જ મોટું નુકસાન કારક પણ સાબિત થઇ શકે .