આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

શરીરમાં મેદસ્વીતા અનેક બીમારીઓ થવાનું સૌથી મોટી બીમારી છે, શરીરમાં મેદ વધવાના કારણે આપણી લાઈફસ્ટાઈલમાં ઘણા બઘા બદલાવ લાવી દેશે. આજના સમયમાં દરેક વ્યક્તિની જીવન શૈલી વ્યસ્ત થઈ ગઈ છે તેવામાં ઘણા લોકો નું જીવન બેઠાળું થઈ ગયું છે.

તેવામાં મેદ ખુબ જ ઝડપી વઘવાનું શરુ થઈ જાય છે. મેદસ્વીતા વધવાના ઘણા બધા કારણો હોય છે, જેમ કે, બહારના ચરબી યુક્ત ખોરાક ખાવા, તળેલા વધુ ખોરાક ખાવા, ભોજન કરીને તરત સુઈ જવું, મેંદા વાળી વસ્તુ ખાવાથી જેવા અનેક કારણો મેદસ્વીતા વઘવાના કારણો છે.

ઘણા લોકોની વ્યસ્ત જીવન શૈલીમાં યોગા, હળવી કસરત, વોકિંગ માટે સમય પણ મળતો નથી, જેના કારણે આપણી જીવન શૈલી પર ખુબ જ ખરાબ અસર થઈ શકે છે, આ માટે જેમને કસરત માટે સમય મળતો નથી તેમના માટે કેટલાક નિયમો નો ચુસ્ત પણે પાલન કરવું જોઈએ જેથી મેદને ખુબ જ સરળતાથી ઘટાડી શકાય છે.

મેદસ્વીતા ઘટાડવાના ઘરેલુ ઉપાય:
વઘારે પાણી પીઓ: વધારે પાણી પીવાથી આપણા શરીરના ચરબીના પ્રમાણમાં ખુબ જ ઘટાડો થાય છે, જેથી આ માટે દિવસ દરમિયાન ઓછામાં ઓછું 4 લીટર પાણી પીવું જોઈએ, જેથી આપણે શરીરમાં જે પણ ખોરાક ખાઘો છે તેને પાચક રસ બનાવવામાં મદદ કરે છે.

ખોરાક ખાવાની સાચી રીત: ઘણા લોકોની ટેવ હોય છે કે તે ખુબ જ ઝડપથી ખાઈ ને ઉભા થઈ જતા હોય છે આવી રીતે ખુબ જ ઝડપથી ખાવાથી આપણે ખોરાક ખાઈ એ છીએ તે ખોરાક ચાવિયાં વગર જ ઉતારી દેતા હોઈએ છીએ, જે ખોરાક પચવાણમ અખૂબ જ સમય લે છે જેથી અમુક ખોરાક ખાવામાં ખુબ જ સમય લે છે માટે કોઈ પણ ખોરાકનું એક કોડિયું મોં માં નાખો તો તેને ઓછામાં ઓછું 30 વખત ચાવીને ખાવું જોઈએ જેથી જે એક દમ ઝીણો ખોરાક થઈ જશે અને ખોરાકને ખુબ જ ઝડપથી પચાવશે જેથી મેદસ્વીતા ધીરે ઘટવા લાગશે.

રાત્રીનું ભોજન: રાત્રીના ભોજનમાં હંમેશા હળવો ખોરાક જ લેવો જોઈએ, આ માટે રાત્રીના સમયે સૌથી બેસ્ટ ખીચડી છે. આ માટે ખીચડી અને દૂધ રાત્રીના ભોજનમાં સમાવેશ કરવો જોઈએ જેથી તે ખોરાક ઝડપી પચે અને મેદસ્વીતા પણાને ખુબ જ ઝડપથી ઓછું કરશે. ધ્યાનમાં રાખવું કે રાત્રિનું ભોજન હંમેશા સુવાના 2-3 કલાક પહેલા લેવું જોઈએ.

દહીં ખાવું: દહીં આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે, જે વાળથી લઈને મેદને ઘટાડવા માં ખુબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. આ માટે તમારે રોજે દહીંને આહારમાં સમાવેશ કરવો જોઈએ , આ ઉપરાંત સવારે નાસ્તા સમયે પણ ખાઈ શકાય છે. દિવસમાં એક વાટકી દહીં ખાવાથી પેટની ચરબી ઓગાળવા લાગશે અને મેદસ્વીતા પણુંને દૂર કરી દેશે.

આદું નો ઉપયોગ: રાત્રે સુતા પહેલા એક ગ્લાસ પાણીનર હૂંફાળું ગરમ કરીને એક ચમચી ચમચી આદુંનો રસ ઉમેરો અને 5 મિનિટ પછી તેને બંધ કરીને તે થોડું ઠંડુ થઈ જાય ત્યારે તેને સુવાના 30 મિનિટ પેહલા પી જવાનું છે, જે ચરબીના થર ને ઓગાળવામાં મદદ કરશે અને મેદસ્વીતાને દૂર કરી દેશે.

ચાલવું જોઈએ: દિવસ દરમિયાન 25-30 મિનિટ ચાલવા માટે સમય નીકળવો જોઈએ, આ માટે તમે સવારે વહેલા ઉઠીને પણ ચાલવું જોઈએ અને રાત્રીના ભોજન પછી પણ ચાલવું જોઈએ જેથી કેલરી બર્ન થશે અને મેદસ્વીતા ઘટાડવામાં ખુબ જ મહત્વનું યોગદાન મળશે. માટે દિવસ દરમિયાન ચાલવું ભાગ બનાવી દેવો જોઈએ. આ ઉપરાંત સવારે એક ગ્લાસ લીંબુ પાણી સાથે એક ચપટી કાળા મળી નો પાવડર મિકસ કરીને પીણું જોઈએ. જે ચરબીના થરને ખુબ જ ઝડપથી ઘટાડશે.

મેદસ્વીતા પણું ચરબીના કારણે બને જે ખોરાક ના પચવાના કારણે થાય છે, જેના કારણે ડાયબિટીસ, હૃદયને લગતી બીમારી, બ્લડપ્રેશર જેવી અનેક બીમારીનું જોખમ રહે છે માટે આ નિયમોને રોજિંદ જીવનશૈલી માં એક ભાગ બનાવી લેવો જોઈએ જે મેદસ્વીતા ને ઘટાડવામાં મહત્વની ભાગ ભજવશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *