આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આજકાલ લોકો વધતા વજનને નિયંત્રિત કરવા માટે ડાયટિંગ અને એક્સરસાઇઝ પર વધુ આધાર રાખે છે. જો કે, જંક ફૂડના સેવનને કારણે તેમને વજન ઘટાડવામાં સફળતા મળતી નથી. હેલ્થ એક્સપર્ટ્સ આ વિશે કહે છે – જંક ફૂડમાં ફેટ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જંક ફૂડના વધુ પડતા સેવનથી પણ શરીરમાં વધારાની ચરબી જમા થાય છે.

સ્થૂળતાની સમસ્યા કેલરી ગેઇનના પ્રમાણમાં કેલરી બર્ન ન કરવાને કારણે થાય છે. આ માટે સંતુલિત આહાર લો અને દરરોજ કસરત કરો સાથે સાથે જંક ફૂડ ટાળો. દરરોજ આ નિયમોનું પાલન કરીને તમે હંમેશા સ્વસ્થ રહી શકો છો.

આ સાથે સાથે જો તમે પણ સ્થૂળતાની સમસ્યાથી પરેશાન છો અને વધતા વજનને કંટ્રોલ કરવા માંગો છો તો રોજ આ ખાસ ડ્રિન્ક પીઓ. આ ડ્રિન્ક વધતા વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તો આવો જાણીએ આ ખાસ ડ્રિન્ક વિષે.

આદુ લવિંગ પીણું: આયુર્વેદમાં આદુને ઔષધી ગણવામાં આવે છે. આદુનો ઉપયોગ રસોડામાં સ્વાદને વધારવા માટે કરવામાં આવે છે. આ સાથે જ આદુનો ઉપયોગ ચા અને ઉકાળામાં પણ થાય છે. તેમાં સારી માત્રામાં વિટામિન-એ, ડી, આયર્ન, ઝિંક સહિત ઘણા જરૂરી પોષક તત્વો મળી આવે છે.

સાથે જ લવિંગમાં આયર્ન, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ અને હાઇડ્રોક્લોરિક એસિડ મળી આવે છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ માટે સ્વાસ્થ્ય નિષ્ણાતો વધતા વજનને નિયંત્રિત કરવા માટે આદુ-લવિંગનું પાણી પીવાની સલાહ આપે છે.

કેવી રીતે સેવન કરવું: આ ડ્રિન્ક બનાવવા માટે આદુ, લવિંગ અને ફુદીનાના પાનને બે ગ્લાસ પાણીમાં સારી રીતે ઉકાળો. હવે તમે આ પીણુંનું સેવન કરી શકો છો. આ સિવાય હૂંફાળા પાણીમાં આદુ અને લવિંગ પાઉડર મિક્સ કરીને તેનું સેવન કરો. તેનો ઉપયોગ વધતા વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ પીણું વધતા સુગરને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.

જીરાનું પાણી : જો તમે ખુબજ જલ્દી વજન ઉતારવા માંગતા હોય તો ખાલી પેટે જીરાનું પાણી ઉકાળીને પી શકો છો. આ ડ્રિંકના સેવનથી તમારું વજન જલ્દી જ ઘટે છે અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

જીરું,અજવાઇન અને મેથી: જીરું,અજવાઇન અને મેથીને પાણીમાં નાખીને ઉકાળીને પીવાથી પણ વજન જલ્દીથી ઘટે છે. તેનાથી અપચાની સમસ્યા નથી થતી અને બહાર નીકળે પેટની ચરબી તરત જ ઓગળી જાય છે.

ગ્રીન ટી પીવાથી પણ પેટની ચરબી ઝડપથી જ ઓગળવા લાગે છે. દરરોજ કસરત કર્યા પછી વજન ઘટાડવા માટે ડાઈટમાં ગ્રીન ટીનો સમાવેશ કરો. વજન ઘટાડવા માટે અજવાઇનની ચા પણ ઘણી ફાયદેમંદ છે. સાથે જ એ પીવાથી ઘણા રોગોથી પણ છુટકારો મળી રહે છે. ખાસ કરીને શરદી-ઉધરસ જેવી બીમારીમાંથી તુરંત છુટકારો મળી જાય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *