આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આજના યુગમાં મોટાભાગના લોકો ઘણી બીમારીથી પરેશાન રહેતા હોય છે. આપણા શરીરમાં બીમારીનું મુખ્ય કારણ અનિયમિત ખોરાકનું સેવન કરવાથી શરીરમાં ચરબી નો વધારો થાય છે. જેના કારણે વજન સરળતાથી વઘે છે.

અત્યારે હાલના આધુનિક યુગમાં હરેક વ્યક્તિ ફિટ અને સ્વસ્થ રહેવા ઈચ્છે છે. જો વ્યક્તિના શરીરમાં પેટની ચરબી વઘવા લાગે તો તેમના શરીરની ફિગર ખુબ જ ખરાબ દેખાવા લાગે છે. જેના કારણે તે વ્યક્તિ ખુબ જ પરેશાન થઈ જતો હોય છે.

માટે પેટની ચરબીને ઓછી કરવી ખુબ જ જરૂરી બની રહે છે. માટે વજન ને ઓછું કરવા અને ચરબીને ઘટાડવા માટે યોગ્ય હેલ્ધી ડાયટ, યોગા અને હળવી એક્સરસાઈઝ કરવી પણ ખુબ જ જરૂરી છે. જેથી શરીરમાં ચરબી વધે નહિ અને વજન પણ ઓછું રહે.

જો તમે વજન ઘટાડવા માટે ઘણા પ્રયત્નો કર્યા હોય અને જો વજન કંટ્રોલમાં ના આવતું હોય તો અમે તમને કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું જેને ફોલો કરવાથી તમે તમારી ચરબીને ઘટાડીને વજન ઓછું કરી શકશો. આ ઉપરાંત અનેક બીમારીથી બચવામાં મદદ કરશે.

માટે આજે આ આર્ટિકલમાં એવી કેટલીક વસ્તુ સેવન વિશે જણાવીશું જેનું સેવન કરવાથી વજન અને ચરબીને સરળતાથી ઘટાડવા ખુબ જ મદદ કરશે. આ વસ્તુનું સેવન કરવાથી આપણું શરીર પણ સ્વસ્થ અને હેલ્ધી રહે છે.

નારિયેળ પાણી: પેટની ચરબીને ઓગાળવા માટે નારિયેળ પાણી ખુબ જ અસરકારક સાબિત થશે. આ માટે દરરોજ એક નારિયેળ પાણીનું સેવન કરવું જોઈએ. નારિયેળ પાણીમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, સોડિયમ જેવા પોષક તત્વો મળી આવે છે.

તેમાં રહેલ પોષક તત્વો પેટની ચરબીને ઓગળે છે. આ ઉપરાંત તેનું સેવન કરવાથી પેટ ભરેલું લાગે છે અને ખાવાની ઈચ્છા થતી નથી. આ સિવાય તેનું નિયમિત સેવન કરવાથી આપણું સ્વાસ્થ્ય પણ ખુબ જ સારું રહે છે. માટે વજન ઘટાડવા માટે નારિયેળ પાણી ખુબ જ ફાયદાકારક સાબિત થશે છે.

કઠોળનું સેવન: કઠોળ આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. કઠોળમાં ઘણા પોષક તતવો મળી આવે છે. ખાઘેલ ખોરાકને પચાવા માટે ખુબ જ મદદ કરે છે. તેનું સેવન કરવાથી પાચન ક્રિયા મજબૂત થાય છે. જો ખાઘેલ ખોરાક પેટમાં ના પચે તો ચરબીનું પ્રમાણ વઘવાનું શરુ થઈ જાય છે જેના કારણે વજન પણ વઘે છે.

માટે જો દરરોજ રાત્રે કઠોળને પલાળી રાખવા અને સવારે તેનું સેવન કરી લેવું. જેથી ખાઘેલ ખોરાક પચવામાં આસાની રહે અને ચરબી ઉપરાંત વજન પણ ઓછું થઈ જાય. આ ઉપરાંત દરરોજ કઠોળનું સેવન કરવાથી હાડકા અને મશપેશીઓ પણ મજબૂત થાય છે.

બદામનું સેવન: રાત્રે સુતા પહેલા પાંચ થી સાત બદામ ને પાણીમાં આખી રાત પલાળીને રહેવા દો. ત્યાર પછી સવારે ઉઠીને ખાલી પેટ તે બદામ ને ખાઈ જાઓ અને તેનું પાણી પણ પી જવું. આમ બદામ સાથે પાણીનું સેવન કરવાથી પેટ હંમેશા માટે સાફ રહે છે અને પેટમાં ચરબીનું પ્રમાણ વધવા દેતું નથી. માટે દરરોજ બદામનું સેવન કરવું ખુબ જ ફાયદાકારક છે. દરરોજ તેનું સેવન કરવાથી હદય પણ સ્વસ્થ રહે છે અને હદય ને લગતી અનેક સમસ્યા દૂર થઈ જાય છે.

કેળાં: કેળાંનું સેવન કરવાથી ઘણા લોકો એવું માને છે કે કેળાનું સેવન કરવાથી વજન વઘે છે હા વજન તો વઘે છે. કેળાંમાં ફાયબરની માત્રા આવેલ છે જે બેટાબોલિઝમને વધારે છે જેના કારણે ભૂખ લાગતી નથી અને ભૂખ ના લાગવાના કારણે ખાવાનું ઓછું ખવાય છે અને વજન પણ કંટ્રોલમાં રહે છે. માટે ડાયટમાં રોજ એક-બે કેળાનું સેવન કરવું જોઈએ.

જો તમે પણ વધુ પૈસાનો ખર્ચ કર્યા વગર વજન ઘટાડવા માંગો છો તો દરરોજ આ વસ્તુનુ સેવન કરવું જોઈએ. જો તમે પણ વજન અને ચરબીને ઘટાડવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે અને વજન કે ચરબી ઓછી નથી થતી તો તમારા માટે આ વસ્તુનું સેવન ખુબ જ ફાયદાકારક સાબિત થશે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *