આજના સમયમાં ઘણા લોકોનું વજન વધારે હોય છે જે આપણી કેટલીક ભૂલો ના કારણે વધતું હોય છે, જેમાં આપણી વ્યસ્ત જીવન શૈલી સૌથી વધારે જવાબદાર છે. અત્યારે કોઈને પોતાના સ્વાસ્થ્ય માટે પૂરતું ઘ્યાન રાખવા માટે સમય મળતો નથી, જેના કારણે વજન વધવા સિવાય પણ અન્ય બીમારીઓના શિકાર બનતા હોય છે.

વજન માં વધારો થવો આપણી મંદ પડી ગયેલ ડાયજેશન સિસ્ટમના કારણે વધે છે. જે આપણી કેટલીક બેદરકારીના કારણે ડાયજેશન પર ખરાબ અસર થતી હોય છે. ડાયઝેશનને સુધારવા માટે આપણે ફાયબરથી ભરપૂર તેવા આહાર ખાવા જોઈએ.

આ માટે આપણે પાણીથી ભરપૂર તેવા આહાર ખાવા જોઈએ જેમાં ઉચ્ચ ફાયબરની માત્રા હોય. આ માટે આજે અમે તમને એવા કેટલાક ફૂડ વિષે જણાવીશું જેને ખાવાથી ડાયજેશન સિસ્ટમ માં સુધારો આવશે અને ચરબીને ધટાડવામાં મદદ કરશે. જે વજનને કંટ્રોલમાં લાવશે.

બેરી ખાવી: બેરીમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ મળી આવે છે, આ માટે રોજિંદા ડાયટમાં બ્યુબેરી, સ્ટ્રોબેરી, રાસબરી નો સમાવેશ કરવો જોઈએ. જે ચરબીને ઓછી કરી વજન ને કંટ્રોલમાં રાખશે, બેરીનુ નિયમિત સેવન કરવાથી કેન્સરના વધતા કોષોને અટકાવે છે, આ માટે કેન્સર પીડિત દર્દી માટે બેરી ખાવી ખુબ જ ફાયદાકારક છે.

તરબૂચ: તરબૂચમાં 92 % પાણી મળી આવે છે માટે એને ખાવાથી પેટ ભરેલું રહે છે અને કઈ પણ ખાવાની ઈચ્છા થતી નથી જેથી વજન કંટ્રોલમાં રહે છે. તરબૂચ ખાવાથી શરીરમાં ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે જે શરીરને હાઈડ્રેટ રાખી ગરમીથી શરીરને બચાવી રાખે છે.

ટામેટા ખાવા: ટામેટામાં પુષ્કળ પ્રમાણમાં પાણી મળી આવે છે, આ ઉપરાંત તેમાં ફાયબર, પોટેશિયમ નો પણ સારો સ્ત્રોત મળી આવે છે, આ માટે વજન ને ઓછું કરવા માટે ડાયટમાં ટામેટા ને સલાડમાં ખાઈ શકાય છે.

કાકડી ખાવી: કાકડીમાં 15-20 કેલરી મળી આવે છે, આ ઉપરાંત કાકડીમાં પાણીની માત્રા પણ સારી હોય છે, જે શરીરને હાઇડ્રેટ રાખવાનું કામ કરે છે, કાકડીમાં મળી આવતું ફાયબર ડાયઝેશનને સુધારે છે અને ચરબીને બનતા અટકાવી વજન ને કંટ્રોલમાં લાવે છે. માટે વજન ને કંટ્રોલમાં લાવવા માટે કાકડીને સુપર ફૂડ માનવામાં આવે છે.

ગાજર: ગાજરમાં લોહ તત્વ ને વધારવા માં માટે ખુબ જ ફાયદાકરાક છે, આ ઉપરાંત આંખોનું તેજ વધારવા માટે પણ ખુબ સારું માનવામાં આવે છે, ગાજરમાં મળી અવતતુ ઉચ્ચ સ્તરીય ફાયબર વજન ને વધવા દેતું નથી. માટે ગાજરને સલાડ અને જ્યુસ બનાવીને પીવું જોઈએ.

અજમો: અજમો ફાયબરનો સારો સ્ત્રોત મળી આવે છે, આ સાથે તેમાં વિટામિન-સી, પણ મળી આવ છે, આ માટે એક ગ્લાસ હૂંફાળા પાણીમાં એક ચમચી અજમો નાખી પી જવાથી ડાયજેશન માં સુધારો કરે છે અને ચરબીને ઓગાળવાનું કામ કરે છે, જેથી વજન ઓછું થાય છે.

વજન ને કંટ્રોલમાં રાખવા માટેઆ આપણે મેંદા અને ચીજ વળી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ. જે વજનને ધટાડવામાં મદદ કરે છે. વજન ને કંટ્રોલમાં રાખવા માટે ડાયજેશન સિસ્ટમને મજબૂત કરવી જોઈએ જે ચરબીને વધવા નહીં દે અને વજન ને ઓછું કરશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *