જો તમારું વજન વધુ છે અને તમે આગામી 3-4 અઠવાડિયામાં વધારાની ચરબી ઘટાડવાનું વિચારી રહ્યા છો, તો આજની અહીંયા જણાવેલી માહિતી તમારા માટે ખુબજ ઉપયોગી સાબિત થઇ શકે છે. જુદા જુદા વૈજ્ઞાનિક અભ્યાસો પરથી જાણવા મળ્યું છે કે, ક્રેશ ડાયેટિંગ પેટની ચરબી ઘટાડે છે અને સ્નાયુ સમૂહ ઘટાડે છે. એટલા માટે ક્રેશ અથવા ફેડ ડાયટ અથવા વજન ઘટાડવા માટે ડાયેટિંગ એ સારો ઉપાય નથી.
વજન ઘટાડવા માટે શરીરનું સંતુલન બનાવવું જરૂરી છે. આપણી રેગ્યુલર તંદુરસ્ત જીવનશૈલીને ટેકો આપવા માટે આપણે યોગ્ય માત્રામાં યોગ્ય પ્રકારનો ખોરાક લેવો ખુબજ મહત્વપૂર્ણ છે. આજની માહિતીમાં તમને બે દેશી કઠોળ વિષે જણાવીશુ જે તમને કુદરતી રીતે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.
આ બે ભારતીય દેશી કઠોળ એટલે કે લીલા મગની દાળ અને મસૂર દાળ છે. આ બંને દેશી દાળો કાર્બોહાઇડ્રેટ્સ અને પ્રોટીનનો ભરપૂર સ્ત્રોત છે જે વધારાની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. વજન ઘટાડવા માટેની આ દાળોમાં સારા પ્રમાણમાં ફાઇબર અને વિટામિન્સથી ભરપૂર છે.
આ બંને દાળો લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે જેથી તમને ઓછી ભૂખ લાગે છે અને તમને વધુ ખાવાની ઈચ્છા થતી નથી. આ બંને દાળો ઓછા કાર્બોહાઇડ્રેટ અને ઉચ્ચ પ્રોટીનને કારણે વજન અને ચરબી ઘટાડવાનું આયોજન કરતી વખતે ભોજનમાં જરૂરી ન્યૂનતમ કેલરી પણ પૂરી પાડે છે.
આ બંને દાળોને દિવસ દરમિયાન ખાવી જોઈએ કારણકે તેમાં ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર હોય છે જે પચવામાં અને સિસ્ટમમાં આગળ વધવામાં થોડો સમય લાગે છે. હવે જાણીએ આ દાળો વિષે.
મગની દાળ: મગની દાળ વધારાની ચરબી ઘટાડવા માટે ફાયદાકરાક સાબિત થાય છે. મગની દાળને સ્પ્લિટ યલો બીન તરીકે પણ ઓળખવામાં આવે છે, મગની દાળ ભારતમાં સૌથી વધુ ખવાતું કઠોળ છે અને તેનો ઉપયોગ આપણે ઘણી વાનગીઓમાં કરીએ છીએ.
મગની દાળ એક એવી દાળ છે જેમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર અને પ્લોટ આધારિત પ્રોટીન હોય છે જે તમને વજન ઘટાડવામાં મદદ કરે છે. મગની દાળ પચવામાં સૌથી સરળ અને ખૂબ જ હળવી, પ્રોટીનથી ભરપૂર હોય છે. એટલા માટે જે લોકોને પાચનની સમસ્યા હોય તેમને મગની દાળ ખાવાની સલાહ આપવામાં આવે છે.
મગની દાળ પાચન સાથે સાથે શરીરના કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે જે હૃદયની કોઈ પણ સમસ્યાઓનું જોખમ ઘટાડે છે. મગની દાળ બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. હવે જાણીએ મસૂર દાળ વિષે.
મસૂર દાળ વધારાની ચરબી ઘટાડવા માટે: મગની દાળની જેમ મસૂર દાળ વધારાની ચરબી ઘટાડતા આહાર માટે ફાયદાકારક ગણવામાં આવે છે. મસૂર દાળમાં કાર્બોહાઇડ્રેટ્સ ભરપૂર માત્રામાં હોય છે. મસૂર દાળમાં ફાઈબર હોય છે જે પાચનની પ્રક્રિયાને ધીમી કરે છે, જેનાથી વજન ઘટાડવા પર તેની અસર વધે છે.
ભોજન તરીકે એક કપ મસૂર દાળ એટલે કે 100 ગ્રામ દાળમાં તમને સરળતાથી 352 કેલરી અને 24.63 ગ્રામ અથવા 44% પ્રોટીન મેળવી શકો છો.
વજન ઘટાડવાની સાથે સાથે મસૂર દાળ આપણા સ્વાસ્થ્ય માટે પણ ઘણા લાભો કરે છે. મગ દાળ ની જેમ મસૂર દાળ શરીરના કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે જે હૃદયને સ્વસ્થ રાખે છે. મસૂર દાળ દાંત અને હાડકાંને પોષણ આપે છે જેથી તમને દાંત અને હાડકાની સમસ્યા ઓછી થાય છે.