વધારે વજન હોવાના કારણે વજનને ઓછું કરવા માટે ઘણા લોકો ખાવા નું પણ ઓછું કરી દેતા હોય છે. પરંતુ ખાવાનું બંધ કરવાથી વજન ઓછું થતું નથી, જો તમે યોગ્ય ખોરાક લેવાની સાથે રોજિંદા જીવનમાં કેટલીક ભૂલોને સુધારી લેશો તો વજન કંટ્રોલમાં રહેશે.
વજન ઓછું કરવા માટે રોજિંદા જીવનમાં પરિશ્રમ કરવો ખુબ જ આવશ્યક છે. પરિશ્રમ કરવાથી કેલરી બર્ન થાય છે. આજના સમયમાં વ્યક્તિની ખાવાની કેટલીક ખરાબ કુટેવ હોવાના કારણે વ્યકતિનું વજન વધતું જાય છે. વજન વધવાના કારણે વ્યક્તિનું પેટ પણ બહાર આવવા લાગે છે.
જેના કારણે વ્યક્તિનો દેખાવ પણ ઓછો થઈ જાય છે. જો તમે વજન ધટાડવા માટે અનેક પ્રયત્નો કર્યા છે અને વજન ઘટી રહ્યું નથી તો તમે યોગ્ય ડાયટ પ્લાન ફોલો કરીને વજનને ઘટાડી શકો છો. વજન ને ઘટાડા માટે ભોજન લેવાની સાથે શારીરિક પ્રવૃત્તિ અને કસરત યોગા પર પણ ઘ્યાન એવું જોઈએ.
જેથી તમે ખુબ જ આસાનીથી વજન ને ઘટાડી શકો છો. જો તમે વધુ વજન હોવાના કારણે ખુબ જ પરેશાન છો અને તમે વજન ને ઘટાડવા માંગતા હોય તો નીચે જણાવેલ ટિપ્સને અપનાવી લો. જે વજન ને ઓછું કરવામાં મદદ કરશે.
જો તમારે જીમ માં જવું ના હોય તો તમે ઘરે અથવા તો ગાર્ડનમાં જઈને કસરત અને યોગા કરવા જોઈએ. આ સાથે તમે વોકિંગ અને જોગિંગ પણ કરી શકો છો, જેના કારણે શરીરમાં કેલરી બર્ન થશે અને વજન પણ નિયત્રંણ માં આવશે.
જો તમે સવારે 30-50 મિનિટ આ કામ કરશો તો ચોક્કસ તમારું પેટ થોડા જ દિવસમાં અંદર જતું દેખાશે અને વજન પણ ઘીરે ઘીરે ઓછું થશે. વજન ને કંટ્રોલમાં રાખવાનો આ સૌથી ઉત્તમ અને શ્રેષ્ટ વિકલ્પ છે. વજન ને ઓછું કરવા માટે બહારના ફાસ્ટ ફૂડ અને જંકફૂડ નું સેવન કરવાનું ટાળવું જોઈએ.
આહારમાં પ્રોટીન વાળો ખોરાક ખુબ જ ઓછો લેવો જોઈએ. આ સિવાય જો તમે તળેલી વસ્તુઓ ખાઓ છો તો તેનાથી પણ પેટની ચરબીમાં વધારો થાય છે આ માટે પેટની ચરબીને ઓછી કરવા માટે તળેલા ખોરાક ખાવાનું ટાળવું જોઈએ.
ઠંડા પીણાં કે આલ્કોહોલનું સેવન કરવાથી ફેટમાં વધારો થાય છે આ માટે ફેટને વધતા અટકાવવા માટે ઠંડા પીણાં અને આલ્કોહોલનું સેવન કરવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત મીઠાઈઓ અને વધુ પડતી ખાંડ નો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.
જો તમે બદામ, અખરોટ, કિસમિસ જેવા ડ્રાયફ્રૂટ્સ નો સમાવેશ કરો છો તો તે ખોરાકને આસાનીથી પચાવે છે અને પેટને સાફ રાખવામાં મદદ કરે છે જેથી ચરબીમાં વધારો થતો નથી અને વજન કંટ્રોલમાં રહે છે.
આ ઉપરાંત તમે લીલા પાન વાળા શાકભાજી નો સમાવેશ કરી શકો છો, કાચા શાકભાજી ખાવાથી ચરબીને વઘતી અટકાવે છે. તેમાં કાર્બોહાઇટેર્ટ અને કેલરીનું પ્રમાણ ખુબ જ નહિવત હોય છે તેમાં સારી માત્રામાં ફાયબર હોય છે જે વજન ને વધવા અટકાવી ઘટાડવામાં મદદ કરે છે.
દિવસ દરમિયાન વધુ માં વધુ પાણી પીવું જોઈએ, વધુ પાણી પીવાથી ખોરાક લેવાની માત્રામાં ઘટાડો થાય છે અને વજનને નિયત્રંણમા રાખે છે. આ સિવાય શરીરના દરેક અંગોને કાર્ય સીલ બનાવી અંગોને હાઈડ્રેટ રાખે છે. જો તમે પણ વજન ને ઓછું કરવા માંગતા હોય તો રોજિંદા જીવનમાં આ ટિપ્સને ફોલો કરી લો વજન ઘીરે ઘીરે ઓંછું થતું જોવા મળશે.