હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા મોટાભાગે વૃદ્ધ લોકોમાં વઘારે જોવા મળે છે. પરંતુ અત્યારના સમય માં યુવાનો એટલેકે 35 કે 45 વર્ષના લોકો ને પણ હાઈ બ્લડ પ્રેશર ની સમસ્યા થવા લાગી છે. જે ખુબ જ ગંભીર સમસ્યા છે.

હાઈ બ્લડ પ્રેશર થવાના કારણે ઘણા લોકો સ્ટ્રોક અને હાર્ટ અટેક થી મૃત્યુ વઘારે થાય છે. માટે આ સમસ્યાથી બચવા માટે આપણે આપણી રોજિંદા જીવનશૈલી માં ઘણા ફેરફાર કરવા ખુબ જ જરૂરી છે.

આ ઉપરાંત જો તમને વઘારે સમસ્યા જેવું લાગે તો તરતજ ડોક્ટરની સલાહ લેવી જોઈએ. જો તમે જીવન શૈલી અને આહારમાં થોડા ફેરફાર કરો તો આ સમસ્યા ને કંટ્રોલમાં કરી શકો છો. તો ચાલો હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે ક્યાં ફેરફાર કરવા જોઈએ તેના વિશે જણાવીશું.

1. યોગા અને કસરત: આપણા શરીરને હંમેશા સ્વસ્થ રાખવા માટે યોગા અને કેટલીક હળવી કસરત કરવી જોઈએ. હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેમને દરરોજ સવારે ઓછામાં ઓછી 20 મિનિટ કસરત અને યોગા કરવા જોઈએ જેથી હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખી શકાય છે.

2.વજન કંટ્રોલમાં રાખવું: હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે વજન ને કંટ્રોલમાં રાખવું જરૂરી છે. જો તમારા શરીરમાં ચરબી વઘારે હશે તો અનેક બીમારીનું જોખમ પણ વધી શકે છે. માટે આહારમાં હેલ્ધી ડાયટનો સમાવેશ કરો. વજન ઓછું હશે તો હાઈ બ્લડ પ્રેશર ઝડપથી કન્ટ્રોલમાં આવી જશે.

3. ખાંડનું સેવન ઓછું કરો: બ્લડ પ્રેશરને વઘારવા માટે વઘારે પડતી ખાંડ સૌથી વઘારે જવાબ છે. માટે ખાંડનું સેવન ઓછું કરવું જોઈએ. આ ઉપરાંત તમારે ખાંડની જગ્યાએ દેશી ગોળનું સેવન કરવું જોઈએ જે શરીરમાટે ઘણું ફાયદાકારક સાબિત થશે. ખાંડનું સેવન ઓછું કરવામાં આવે તો હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.

4.પોટેશિયમ યુક્ત આહાર: બ્લડ પ્રેશરને ઘટાડવા માટે પોટેશિયમ યુક્ત આહાર જેવા કે શક્કરિયા, માછલી, દુઘ, કેળાં, દેશી ગોળ વગેરે નું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. આ ઉપરાંત આહારમાં કઈ વસ્તુનું સેવન કરવું તેની માહિતી ડોક્ટરની સલાહ લઈને કરી શકો છો.

5. મીઠું: ઘણા સંશોઘનમાં જાણવા મળ્યું છે કે મીઠાનું ઓછા પ્રમાણમાં સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. આ ઉપરાંત શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવી રાખવામાં મદદ કરે છે.

6. ફાસ્ટ ફ્રુડ: બહારના ફાસ્ટ ફૂડ ખાવા પણ શરીર માટે હાનિકારક છે. બહારના ફાસ્ટ ફૂડ માં વધારે તીખું, મીઠું અને તેલ વાળું હોય છે. માટે તે આરોગ્ય માટે સારું નથી. માટે ઘરે બનાવેલ શુદ્ધ અને તાજો ખોરાક ખાવાની આદત રાખવી જોઈએ. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

7. ઘુમ્રપાન ના કરવું: ઘુમ્રપાન કરવાથી સ્વાસ્થ્ય ખરાબ થાય છે. આ ઉપરાંત ખુબ જ ગંભીર બીમારી પણ થઈ શકે છે. માટે હાઈ બ્લડ પ્રેશર વાળા દર્દીએ ઘુમ્રપાન ના કરવું જોઈએ. અને જો કરતા હોય તો તેમને ઘીરે ઘીરે આદતને બદલવી જોઈએ.

8. તણાવ: વઘારે પડતા તણાવ અને ચિંતા ના કારણે પણ બ્લડ પ્રેશરની સમસ્યાનું જોખમ રહેતું હોય છે. તે માટે દરરોજ 5 થી 10 મિનિટ માટે એક શાંત જગ્યા એ બેસીને શ્વાસ ઊંડો લઈને બહાર કાઠવો. એવું કરવાથી તણાવ માંથી મુક્તિ મળે છે અને બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે મદદ કરે છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *