ઘણી વખત એવી થતું હોય છે કે આપણું શરીર સ્વસ્થ હોય છે પરંતુ મગજ બરાબર કામ ના કરતુ હોય તો તે વ્યક્તિને ઘણી પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. આપણા શરીરમાં સૌથી વઘારે જોર આપણા મગજને પડે છે. જેથી આપણા માટે મગજને સ્વસ્થ રાખવું જરૂરી છે.

જો આપણું મગજ સ્વસ્થ હશે તો તે કોમ્પ્યુટર જેટલું તેજ થઈ જશે. આજના સમયમાં જો મગજ તેજ થઈ જાય તો દુનિયાની કોઈ તાકાત નથી કે તેને રોકી શકે. પરંતુ ઘણા લોકોને કોમ્યુટર જોઈને એવું ફીલ થતું હોય છે કે આપણું મગજ પણ કોમ્પ્યુટર જેવું હોવું જોઈએ.

અમે તમને જણાવી દઈએ કે કોમ્પ્યુટર પણ આપણા જેવા સામાન્ય વ્યક્તિએ જ બનાવી છીએ. માટે મગજ ને તેજ બનાવવા માટે ખાસ પોષક તત્વોથી ભરપૂર આહાર પર ઘ્યાન આપવું જરૂરી છે. માટે અમે તમારા માટે કેટલીક વસ્તુ જણાવીશું જેને આહાર સમાવેશ કરશો તો તમારુ મગજ પણ સ્વસ્થ અને તેજ થઈ જશે.

પાલકનું સેવન કરવું: પાલક શિયાળામાં ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. પાલકમાં સૌથી વઘારે પોટેશિયમ, વિટામિન-બી6, ફોલેટ, વિટામિન-બી6, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો આવેલ છે. જે યાદશક્તિ વધારે અને મગજને તેજ કરવામાં મદદ કરે છે.

અખરોટનું સેવન કરવું: મગજ જેવું બંઘારણ અખરોટનું હોય છે. માટે મગજને સ્વસ્થ રાખવા અને તેજ બનાવવામાં મદદ કરે છે. અખરોટમાં પોટિન, ઓમેગા-3 ફેટી એસિડ ની માત્રા વઘારે છે. જે ઘમનીઓનું રક્ષણ કરે છે. અખરોટનું સેવન કરવાથી મગજ અને હૃદય બંને સ્વસ્થ રહે છે.

કોફીનું સેવન કરવું: કોફીનું સેવન કરવાથી દિવસની શરૂઆત સારી થાય છે. કોફીનું સેવન કરવાથી મૂડ સારો થી જાય છે. અને કામ કરવામાં મન પણ લાગે છે. માટે દરરોજ માત્ર 1 કપ કોફી નું સેવન કરવું મગજ માટે ખુબ સારું માનવામાં આવે છે.

ડાર્ક ચોકોલેટ: બઘાને ડાર્ક ચોકલેટ ખાવી ખુબ જ ગમે છે. દરેક ચોકલેટમાં 65 ટકા નારિયેળ આવેલું હોય છે. જે મગજને ઉતેજીત કરવામાં મદદ કરે છે જેથી મગજ એકદમ તેજ થઈ જશે. ડાર્ક ચોકોલેટમાં રહેલ એંટીઓક્સીડેંટ મગજને સ્વસ્થ રાખે છે.

લીલા શાકભાજીનું સેવન કરવું: લીલા શાકભાજીમાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન-સી જેવા મહત્વ પૂર્ણ પોષક તત્વો મળી આવે છે. જે મગજને પાવરફુલ બનાવવામાં મદદ કરે છે. માટે દરરોજ આહારમાં લીલા શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ.

દૂઘનું સેવન કરવું: દૂધમાં ઘણા બઘા પોષક તત્વો મળી આવે છે. જેમ કે, કેલ્શિયમ, પ્રોટીન, મેગ્નેશિયમ, વિટામિન-બી6 , વિટામિન-બી12, પોટેશિયમ મળી આવે છે. જે મગજને તણાવ માંથી દૂર કરવામાં મદદ કરે છે અને મગજને તેજ કરવામાં મદદ કરે છે.

દૂધમાં બદામ નાખીને સેવન કરવું ખુબ જ ફાયદાકારક છે. માટે દરરોજ રાત્રે સુતા પહેલા દૂધનું સેવન કરવું જોઈએ. વઘારે પ્રમાણમાં પાણી પીવું: મગજનો 86 ટકા ભાગ પાણીથી બનેલો છે માટે પાણીની ઉણપના ના કારણે મગજના કોષો સંકોચાવા લાગે છે. પાણીની ઉણપના કારણે યાદશક્તિ પર વઘારે અસર કરે છે. માટે દિવસમાં 4-5 લીટર પાણી પીવું જોઈએ.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *