અત્યારે દરેક લોકો કોરોના કાળ થી લોકો બહુ જ પરેશાન છે. કોરોનાની મહામારી સામે લડવા માટે આપણી રોગપ્રતિકારક શક્તિ સ્ટ્રોંગ હોવી જરૂરી છે. જેથી આપણે કોરોના સામે જીતી શકીશું. તમે બઘા જાણતા જ હશો કે હવે ફરીથી કોરોના એમીક્રોન નામથી પાછો આવી રહીયો છે. જે ખુબ જ ભંયકર રૂપ લઈ શકે છે.

માટે એમીક્રોન થી બચવા માટે આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી ખુબ જરૂરી છે. માટે આજે અમે તમારા માટે એવી કેટલીક વસ્તુ લઈને આવ્યા છીએ જે નો ઉપયોગ કરવાથી તમે તમારી ઈમ્યૂનિટી સિસ્ટમને મજબૂત કરી શકો છો.

ખાટા ફળોનું સેવન: ખાટા ફળોમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન-સી મળી આવે છે. જે રોગપ્રતિકારક શક્તિને વઘારવામાં મદદ કરે છે. આમળા, મોસંબી, કીવી, ડ્રેગન ફ્રૂટ્સ, લીંબુ, સ્ટ્રોબેરી જેવા ખોટા ફળો નું સેવન કરવું જોઈએ.

દરરોજ ખાટા ફળોનું સેવન કરવાથી શરીર હંમેશા માટે સ્વસ્થ રહે છે. કોરોના કાળમાં આ ફળો ખાવા ખુબ જ આવશ્યક છે જે કોરોના જેવી મોટી બીમારીથી દૂર રાખવામાં ખુબ જ મદદ કરશે. શરીરમાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત હશે તો કોઈ પણ રોગ થશે નહીં.

હળદર: હળદરમાં કરક્યુમીન તત્વ શરીરમાં ઈમ્યુનિટી ને બુસ્ટ કરવાનું કામ કરે છે. આ ઉપરાંત શરીરમાં સોજા આવ્યા હોય તેને પણ સરળતાથી દૂર કરવામાં મદદ કરે છે.

દરરોજ સવારે ઉઠીને પાણીને થોડું ગરમ કરીને તેમાં હળદરની એક ચમચી નાખીને સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. આ ઉપરાંત શરદી, ઉઘરસ અને કફને દૂર કરવામાં મદદ કરે છે.

ગળો: ગળો આયુર્વેદિક ઔષધી માં સૌથી ઉત્તમ માનવામાં આવે છે. જે અનેક રોગોને દૂર કરવામાં મદદ કરે છે. રોગપ્રતિકારક શક્તિ વઘારવા માટે ગળો અમૃત સમાન માનવામાં આવે છે. લોહીની શુદ્ધિ કરવામાં મદદ કરે છે.

લીલી કે સૂકી ગળોના ટુકડા કરી એક ગ્લાસ પાણીમાં પલાળી દેવાના. ત્યારબાદ તે પાણીને સવારે ઉકાળીને અડધું થાય ત્યાર પછી તે પાણીનું સેવન કરવું. આ ઉકાળા ની 3-4 ચમચી પીવાથી ઘણી બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે.

આદુનું સેવન: આદુનો ઉપયોગ દરેક ના ઘરે થતો હોય છે. આદુંમાં રહેલ જિજેરોલ નામનું તત્વ મળી આવે છે.જે અનેક રોગો સામે લડવામાં મદદ કરે છે. આદુનો ઉપયોગ રોગપ્રતિકારક શક્તિ વઘારવા ઉપરાંત સાંધામાં થતા દુખાવામાં પણ રાહત આપે છે.

આદુંનો ઉપયોગ ચા માં નાખીને અથવા રાત્રે તુલસીના પાન અને આદુંનો ઉકાળો બનાવીને પીવાથી શરદી, ઉઘરસ ને દૂર કરી ને રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવામાં મદદ કરે છે.

દહીં: દરેક વ્યકતિને દહીં ખાવું ખુબ જ ગમે છે. દહીંમાં કેલ્શિયમ, પ્રોટીન, ફોસ્ફરસ, લેક્ટોજ જેવા તત્વો રહેલ છે. જે પાચન ક્રિયા ને સુધારવામાં મદદ કરે છે. આંતરડામાં રહેલ ઝેરી તત્વોને દૂર કરીને રોગોથી બચાવામાં મદદ કરે છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *