ત્રણ ઋતુમાં શિયાળાની ઋતુમાં ઘણા હેલ્ધી અને પૌષ્ટિક ખોરાક જોવા મળે છે. તમે શિયાળામાં ઠંડીથી બચવા માટે ગુંદરના લાડુ, મેથીના લાડુ, કચરિયું વગેરેનું સેવન કરતા હશો. તમે શિયાળા દરમિયાન આખો દિવસ ગરમ ચા અથવા કેફીનયુક્ત પીણાં પીવાનું પસંદ કરી શકો છો.
પરંતુ આ ઋતુનો વધુમાં વધુ ઉપયોગ કરવા માટે, તમારે શિયાળાના કેટલાક ખાસ ખોરાકનો ઉપયોગ કરવો જોઈએ. શિયાળામાં ભરપૂર પ્રમાણમાં તાજા પાંદડાવાળા શાકભાજીથી લઈને વિટામિન-સીથી ભરપૂર ખોરાક સારા પ્રમાણમાં મળે છે.
એટલે કે શિયાળામાં ભોજનની પસંદગી માટે તમને ગણી બધી વસ્તુઓ મળી રહે છે. જો તમે વિચારી રહ્યા હોવ કે શિયાળાની આ ઋતુમાં તમારા રોજિંદા આહારમાં કયો ખોરાક સમાવેશ કરવો તમારે માટે શ્રેષ્ઠ હોઈ શકે તો તમે અમે તમને કેટલાક ખોરાક વિષે જણાવીશું.
શિયાળાની ઋતુ માટે 5 શ્રેષ્ઠ ખોરાક, શેરડી: નિષ્ણાતોની યાદીમાં સૌથી જૂના ડિટોક્સ ફૂડ્સ પૈકી એક શેરડી છે. શેરડી લીવરને પુનર્જીવિત કરે છે અને શિયાળાના તડકામાં ત્વચાને ચમકદાર રાખે છે. શિયાળાની ઋતુમાં શેરડીનો રસ પીવો એ તમારા આહારમાં સામેલ કરવાનો સૌથી સરળ ઉપાય છે.
શેરડીના રસમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે જો તમે વજન ઓછું કરવા ઈચ્છો છો તો તમારા માટે ઘણું સારું સાબિત થઈ શકે છે. આ ઉપરાંત, શેરડી શરીરના મેટાબોલિક દરને વધારવામાં મદદ કરે છે અને તમને ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે .
કમરી બોર : બોર રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. શિયાળાની ઋતુમાં વારંવાર બીમાર પડતાં બાળકો માટે તે ઉત્તમ છે. આ ઉપરાંત આપણા આહારની વિવિધતાને સુધારવામાં બોર મદદ કરે છે. બોરને નાસ્તા તરીકે ખાઈ શકો છો.
બોરમાં વિટામીન-સી અને એન્ટીઓક્સીડેન્ટ પ્રમાણમાં રહેલું છે જે ત્વચા માટે ખૂબ સારા છે. એન્ટીઑકિસડન્ટો મુક્ત રેડિકલ સામે લડે છે, સેલને નુકસાન અટકાવે છે. તે વૃદ્ધત્વના ચિહ્નોના દેખાવને અટકાવે છે.
આમલી: આમલી એક ઉત્તમ પાચક છે. શિયાળામાં તમારું પાચન સુધારવા માટે તમે તેને ડાયટમાં સમાવેસ કરી શકો છો. ઘણા લોકો જાણતા હશે કે આમલીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે પરંતુ એ નહિ જાણતા હોય કે તેમાં ચરબી બિલકુલ હોતી નથી.
ટાઇટરીક એસિડ, મેલિક એસિડ અને પોટેશિયમની સામગ્રીને કારણે પ્રાચીન સમયથી આમલીનો ઉપયોગ રેચક તરીકે કરવામાં આવે છે. આમલીના એન્ટિહિસ્ટામિનિક ગુણધર્મોને કારણે એલર્જીક અસ્થમા અને ઉધરસ ને મટાડવા માટે અસરકારક સાબિત થાય છે.
આમળા : આમળા શિયાળાનો રાજા છે. આમળા ચેપ સામે લડવામાં મદદ કરે છે. આમળાનું સેવન ચ્યવનપ્રાશ, શરબત અથવા મુરબ્બાના રૂપમાં પણ કરી શકાય છે. આમળા એક એવું સુપર ફૂડ છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
આમળામાં વિટામિન-સી, આયર્ન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. આમળાની સૌથી સારી વાત એ છે કે તેને ઘણી રીતે ખાઈ શકાય છે અને જ્યારે રાંધવામાં આવે છે ત્યારે તેના પોષક તત્વો અકબંધ રહે છે.
તલના લાડુ: તલના લાડુ એ શિયાળાની વાનગી છે જેમાં જરૂરી ચરબી હોય છે. તલના લાડુ હાડકાં અને સાંધા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તલના લાડુ એ તલ અને ગોળ વડે બનાવવામાં આવતી પરંપરાગત મીઠાઈ છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.