આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આજે મોટાભાગે લોકો સ્થૂળતાની સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છે. જે ખાવાની ખરાબ કુટેવ, ખરાબ દિનચર્યા અને પરિશ્રમના અભાવના કારણે થતી જોવા મળતી હોય છે, વઘી ગયેલ સ્થૂળતાને દૂર કરવા માટે લોકો અનેક પ્રકારના પ્રયત્નો કરે છે.

સ્થૂળતાને નિયત્રંણમાં રાખવા માટે સંતુલિત અને યોગ્ય આહાર લેવો ખુબ જ જરૂરી છે. પરંતુ બહારના ચરબી યુક્ત જંકફૂડ ખોરાક ખાઈ લેવાના કારણે કેલરી વધે છે આ માટે બહારના ચરબી યુકત જંકફૂડ ખાવાનું ટાળવું જોઈએ.

આ સાથે ફિટ અને સ્વસ્થ રહેવા માટે નિયમિત પણે રોજે કસરત અને યોગા કરવા જોઈએ. જે વજન ને ઓછું કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. આ માટે આજે અમે તમને એક એવા ડ્રિન્ક વિષે જણાવીશું જેને પીવાથી વધી ગયેલ ચરબીને ઓગાળીને સ્થૂળતાને દૂર કરશે.

આ સુપર ડ્રિન્ક નું સેવન રોજે સવારે ખાલી પેટ કરવાનું છે, જે સ્થૂળતાને દૂર કરવામાં ખુબ જ ફાયદાકારક સાબિત થશે. આ ડ્રિન્ક ને પીવાથી કબજિયાત માં પણ ઘણી રાહત મેળવી શકાય છે.

અંજીર નું ડ્રિન્ક: અંજીરનું ડ્રિન્ક બનાવવા માટે રોજે રાતે એક ગ્લાસ પાણી લઈને તેમાં બે અંજીર નાખીને આખી રાત માટે પલાળીને રાખવાના છે, ત્યાર પછી તે પાણી ને સવારે ઉઠીને ઉકાળીને ખાલી પેટ તે પાણી પી જવાનું છે, પછી તેમાં રહેલ અંજીર ને ચાવીને ખાઈ જવાના છે.

આ ડ્રિન્ક પીવાથી કેલરી બર્ન થશે, આ સાથે ચરબી ને ઓગાળવા માટે કસરત અને યોગા પણ કરવા જોઈએ. અંજીરમાં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે, જેમ કે, ફાયબર, ઓમેગા-3 ફેટી એસિડ, ઓમેગા-6 ફેટી એસિડ મળી આવે છે.

જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. જે વજન ઓછું કરવા ની સાથે ઘણી બધી બીમારીઓ ને દૂર કરવામાં પણ મદદરૂપ સાબિત થશે. જો તમે કબજિયાત થી પરેશાન હોય તો ખાલી પેટ પલાળેલ અંજીર ખાવાથી કબજિયાત ની સમસ્યા દૂર થશે.

જો તમે પેટની વધી ગયેલ ચરબીને કારણે સ્થૂળતાના શિકાર હોય તો આ ડ્રાયફ્રૂટ્સ વાળું ડ્રિન્ક બનાવીને પીવાથી સ્થૂળતાની સમસ્યા દૂર થઈ જશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *