શિયાળાની ઋતુમાં દરેક વ્યકતિને જમ્યા પછી કંઈક ને કંઈક ખાવાની ઈચ્છા થતી હોય છે. તેટલા જ માટે આજે અમે તમને શિયાળામાં રાતે બઘા ફેમિલી સાથે બેસીને ખાઈ શકે તેવી વસ્તુની વાત કરીશું.
અમે જે વસ્તુની વાત કરવાના છીએ તે વસ્તુનું નામ મગફળી અને ગોળ છે. શિયાળાની ઠંડી ની ઋતુમાં મગફળી ખાવાની ખુબ જ મજા આવે છે. મગફળીમાં બદામના ગુણ મળી આવે છે. મગફળીનું સેવન કરવું આરોગ્ય માટે લાભદાયક છે.
મગફળી અને ગોળ ખાવી સ્વાસ્થ્ય માટે અમૃત સમાન માનવામા આવે છે. તેમાં રહેલ પ્રોટીન શારીરિક વૃદ્ધિ કરવામાં મદદ કરે છે. માટે તેનું સેવન કરવાથી શરીરમાં તાકાત મળી આવે છે.
મગફળીમાં કેલ્શિયમ, ઓમેગા 6, ઝીંક, આયર્ન, પ્રોટીન વિટામિન-બી6, વિટામિન-ઈ જેવા મહત્વ પૂર્ણ તત્વોનો સ્ત્રોત મળી આવે છે. જે સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તો ચાલો જાણીએ શેકેલી મગફળી અને ગોળનું સેવન કરવાથી થતા ફાયદા વિશે.
1. કબજિયાત: મગફળી અને ગોળનું સેવન કરવાથી પેટે લગતી અનેક સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. માટે દરરોજ રાત્રે જમ્યા પછી મગફળીનું સેવન કરવાથી ગેસ, કબજિયાત જેવી સમસ્યામાંથી છૂટકાળો મળે છે. આ ઉપરાંત પેટ સાફ રહે છે અને પાચનક્રિયામાં સુઘારો થાય છે.
2. તાકાત મળે: દરરોજ મગફળી સાથે ગોળનું સેવન કરવાથી શરીરમાં તાકાત મળે છે. ગોળને શક્તિનો રાજા કહેવામાં આવે છે. માટે ગોળ અને મગફળી ને સાથે ખાવાથી શરીરમાં ભરપૂર ઉર્જાનો સંચાર થાય છે.
3. મહિલાઓ માટે: ખાસ કરીને દરેક મહિલાઓએ મગફળી અને ગોળનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત ગર્ભવતી મહિલાઓએ ગોળ અને મગફળીનું સાથે સેવન કરે તો ગર્ભમાં રહેલા બાળકનો વિકાસ ખુબ જ સારો થાય છે.
4. ત્વચા માટે: દરેક મહિલા અને પુરુષને સુંદર દેખાવું હોય છે તેમને દિવસમાં એક વાર ગોળ અને મગફળીનું સેવન કરવું જોઈએ. જેથી ચહેરો સુંદર, કોમળ અને ચમકદાર બની શકે છે. તેમાં રહેલ એન્ટી ઓક્સીડેન્ટ ત્વચા પરની કરચલી દૂર કરી દેશે.
5. લોહીની ઉણપ દૂર કરે: શરીરમાં પૂરતા પ્રમાણમાં લોહી ના હોય તો અનેક રોગ થઈ શકે છે. માટે લોહીની ઉણપને કાયમ માટે દૂર કરવા માટે ગોળ અને મગફળીનું સેવન કરવું જોઈએ. દરેક મહિલાઓએ ખાસ સેવન કરવું જોઈએ.
6. હદયને સ્વસ્થ રાખે: દરરોજ ગોળ અને મગફળીનું સેવન કરવાથી બ્લડ સર્ક્યુલેશન ખુબ જ સારૂ થાય છે. જેના કારણે હૃદયને લગતી બીમારી જેવી કે હાર્ટ અટેકનું જોખમ ઓછું થઈ જાય છે. લોહીનું યોગ્ય રીતે પરિભ્રમણ થવાથી હદય ને લગતી બીમારી થતી નથી અને હદયને હંમેશા માટે સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.