આજે અમે તમને એક એવા આયુર્વેદિક ઔષઘીય ફળ વિશે જણાવીશું. જેનું સેવન દરેક વ્યક્તિએ નાની ઉંમરમાં સેવન કર્યુ જ હશે. જયારે આપણે સ્કૂલમાં જતા હતા અને રીશેષ પડે ત્યારે બહાર જઈને આ વસ્તુને ખરીદીને ખાતા હતા.

આ ફળ ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ અને ખટ મીઠું લાગે છે. આ ફળ ખાવાથી આપણું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. કુદરતી રીતે મળી આવતું આ ફળ એક અમૃત સમાન માનવામાં આવે છે. આ ફળનું સેવન કરવાથી આપણા સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાથી દૂર રાખવામાં મદદ કરે છે.

આજે અમે તમને જે સ્વાદિષ્ટ ફળ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેનું નામ કોઠું છે. હા કોઠું ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે. આ ઉપરાંત તેમાં મસાલો ઉમેરીને ખાવાથી તે એક અમૃત સમાન ફળ બની જાય છે.

કોઠું ફળમાં કેલ્શિયમ, આયર્ન, સોડિયમ, ફાયબર, વિટામિન-સી, પ્રોટીન, પોટેશિયમ જેવા તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે. કોઠાનું સેવન કરવાથી શ્વાસ લેવામાં પડતી તકલીફ માં પણ રાહત મળે છે. આ ઉપરાંત તે કફનો નાશ કરવા માટે ખુબ જ ઉપયોગી છે માટે તેને કફનાશક ફળ કહેવામાં આવે છે.

આપણા શરીરમાં નબળી પડી ગયેલ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે અને અનેક વાયરસ અને ઈન્ફેક્શનથી બચાવે છે. અને આપણા શરીરને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. ચાલો જાણીએ કોઠું ખાવાના સ્વાસ્થ્ય લાભો વિશે.

લોહીની શુદ્ધિ કરે: લોહીના રક્ત કણોમાં રહેલ અશુદ્ધિ ઓને દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત જો તેનું સેવન નિયમિત પણે કરવામાં આવે તો તે આપણા લોહીના પ્રવાહની ગતિને વઘારે છે અને લોહીને શુદ્ધ કરીને લોહીની માત્રામાં વઘારો કરે છે.

કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે: આપણા શરીરમાં રહેલ ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરીને કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે છે. જેથી હૃદયને લગતી સમસ્યા થતી નથી અને હૃદયને સ્વસ્થ અને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.

કફને તોડવા: જો ગળામાં કફ જામી ગયો હોય તો બે દિવસ કોઠાનું સેવન કરવામાં આવે તો ગળામાં જામેલ કફને તોડીને બહાર નીકાળી દે છે. જેથી ઉઘરસમાં રાહત થશે અને ગાળામાં થતી બળતરા પણ દૂર થઈ જશે.

શારીરિક કમજોરી દૂર કરે: મોટાભાગે ઘણા લોકો થોડું કામ કરે અને થાકી જતા હોય છે. જો તે કોઠાનું સેવન કરે તો શરીરમાં થાક, નબળાઈને દૂર કરી દે છે અને શરીરમાં ભરપૂર ઉર્જાનો સંચાર કરે છે અને શરીરમાં રહેલ શારીરિક કમજોરીને દૂર દે છે. માટે શારીરિક દરેક સમસ્યા માંથી છુટકાળો મેળવવા માટે કોઠાનું સેવન કરવું જોઈએ.

શ્વાસ ની તકલીફ દૂર કરે: ઘણા લોકોને થોડું ચાલે અને શ્વાસ ચડી જતો હોય તો તેમના માટે આ કોઠાનું સેવન કરવું જોઈએ જે વાતારણમાં થતા બદલાવના કારણે થતા ગળામાં કફ અને પ્રદુષણના કારણે શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરવો પડતો હોય છે. માટે આ સમસ્યા દૂર કરવા કોઠાનું સેવન કરવું જોઈએ. જે ઈન્ફેક્શન અને ગાળામાં જામેલ કફને છૂટો કરશે અને ફેફસા ને સાફ કરીને શ્વાસ લેવામાં પડતી તકલીફમાં રાહત આપશે.

અહીંયા જણાવેલ મુદ્દાઓ સામાન્ય માહિતી છે. જો તમે કોઈ પ્રકારની બીમારીથી પીડિત છો, તો પહેલા નિષ્ણાત અથવા ડોક્ટરની સલાહ જરૂર લો. જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *