આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આપણા શરીરમાં દરેક પોષક તત્વો હોવા ખુબ જ જરૂરી છે. પરંતુ જેમ જેમ ઉંમરમાં વઘારો થાય છે તેમ તેમ આપણા શરીરના હાડકા નબળા થઈ જાય છે. જેના કારણે સાંઘાના દુખાવા, સ્નાયુના દુખાવા, ઘુંટણના દુખાવા જેવી સમસ્યા થતી હોય છે.

માટે આપણા શરીરમાં હાડકાને પૂરતું કેલ્શિયમ મળી રહે તે ખુબ જ જરૂરી છે. જો શરીરમાં કેલ્શિયમની ઉણપ નહી રહે તો આપણા શરીરના દરેક હાડકા મજબૂત રહેશે. જેના કારણે સાંઘાના દુખાવાની સમસ્યા રહેશે નહિ.

ઉંમર વઘવાની સાથે જ શરીરમાં કેલ્શિયમની ઉણપ રહેતી હોય છે. માટે જો 60 વર્ષની ઉંમર પછી પણ હાડકાને એકદમ મજબૂત બનાવી રાખવા હોય તો તેના માટે આજે અમે તમને એવા કેટલાક આહારનું સેવન કરવા વિશે જણાવીશું જેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળી રહેશે. જેથી શરીરમાં ક્યારેય કેલ્શિયમની ઉણપ સર્જાશે નહીં.

દેશી ચણા: દેશી ચણા માં ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળી રહે છે. કહેવા માં આવે છે કે જે ચણા ખાય છે તે ઘોડા જેવા મજબૂત રહે છે. માટે દરરોજ રાત્રીના સમયે સુવાના પહેલા અડઘી મુઠી દેશી ચણા લઈને એક ગ્લાસ પાણીમાં પલાળીને આખી રાત રહેવા દેવા.

ત્યાર પછી સવારે ઉઠીને તે ચણા ને ચાઇ ચાવીને ખાઈ લેવા. ચણા નું સેવન કર્યા પછી તેનું પાણી પણ પી શકાય છે. જે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ સારું માનવામાં આવે છે.

દૂઘ અને ખજૂર: દૂઘ કેલ્શિયમની ખાણ માનવામાં આવે છે. તેમાં જો ખજૂર મિક્સ કરીને પીવામાં આવે તો તેનાથી શરીરમાં ભરપૂર એનર્જી પણ મળી રહે છે અને શરીરના દરેક હાડકાને મજબૂત બનાવી રાખે છે. જેથી લાંબા સમયે પણ શરીર મજબૂત અને હેલ્ધી રહે છે. માટે રાત્રે સુતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધ માં બે ખજૂર નાખીને પીવાથી શરીરમાં ભરપૂર કેલ્શિયમ મળી રહેશે.

દહીં: દહીં ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ અને ખાટું હોય છે. દહીંમાં સારી માત્રામાં કેલ્શિયમનો ભંડાર મળી રહે છે. પરંતુ જો તમે બજાર કરતા ઘરનું દહીં ખાસો તો તેમાં વઘારે કેલ્શિયમ મેળવી શકશો. માટે દરરોજ વધારે નહિ તો બે થી ત્રણ ચમચી દહીંને ખાઈ લેવું જોઈએ.

બદામ અને અખરોટ: બદામ અને અખરોટમાં સારી માત્રામાં કેલ્શિયમ ઉપરાંત અન્ય પોષક તત્વોનો ખજાનો મળી રહેં છે. ડ્રાયફ્રૂટમાં બદામ અને અખરોટ ખાવા મગજ સ્વસ્થ રહે છે જેથી મગજની યાદ શક્તિ માં વધારો થાય છે.

માટે બાળકો માટે પણ બદામ અને અખરોટ ખુબ જ લાભદાયક સાબિત થાય છે. માટે દરરોજ રાત્રે બદામ અને અખરોટને પલાળીને ખાવી જોઈએ. ડ્રાય ફ્રૂટ આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયક છે.

મોસંબી: મોસંબીમાં ભરપૂર માત્રામાં વિટામિન-સી અને કેલ્શિયમ જેવા અન્ય પોષક તત્વો સારી માત્રામાં મળી રહે છે. જો શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય તો તેમાં મોસંબીનો જ્યુસ પીવાથી ઈમ્યુનીટી મજબૂત થાય છે. કેલ્શિયમની ઉણપને દૂર કરવા માટે અઠવાડિયામાં બે વખત મોસંબીનો જ્યુસ પીવો જોઈએ.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *