આપણા શરીરના સ્વાસ્થ્ય ને સ્વસ્થ રાખવા માટે દૂધ ખુબ જ ઉપયોગી છે. આયુર્વેદમાં પદ્ધતિમાં જણાવ્યા અનુસાર દૂઘ પીવાથી અનેક ફાયદાઓ થાય છે. કારણકે દૂધમાં અનેક પ્રકારના પોષક તત્વો આવેલા છે. દૂધમાં મુખ્યત્વે આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામિન-ડી, વિટામિન બી-12 ભરપૂર પ્રમાણમાં આવેલ છે. જે ઘણા બધા રોગો સામે લડવાની શક્તિ આપે છે.

પરંતુ જો દૂધમાં અમુક વસ્તુ ઉમેરીને પીવામાં આવે તો તે દવા બની શકે છે. જે મોંઘી દવા કરતા પણ ખુબ જ અસરકારક સાબિત થાય છે. માટે આજે અમે તમને આ અર્ટિકલમાં એક એવી વસ્તુ ની વાત કરીશું જે વસ્તુ દૂધમાં નાખીને જો પીવામાં આવે તો તેના અનેક ફાયદા થશે. તે વસ્તુનું નામ ખજૂર છે.

ખજૂર લોહી બનાવામાં ખુબ જ ઉપયોગી છે. ખજૂરમાં પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન- બી, ફાયબર, પોટેશિયમ, પ્રોટીન જેવા તત્વો ખુબ જ વધુ પ્રમાણમાં આવેલ છે. જેથી ખજૂરને દૂધમાં નાખીને પીવામાં આવે તો તેના અનેક ફાયદા થાય છે.

બનાવવાની રીત : સૌથી પહેલા 1 ગ્લાસ દૂઘ લઈ તેને ગરમ કરો, ગરમ દૂધમાં 2 ખજૂર નાખીને હલાવો, હલાવશો તો ખજૂર ઓગળશે અને ખજૂર નો રસ થઈ જશે. અને ખજૂર ઓગળી જાય એટલે બનાવેલ દૂધનું સેવન કરી લેવું. આ દૂધ તમારે રાત્રે સૂતી વખતે જ પીવાનું છે જેથી તમને તેના ફાયદા વઘારે મળે.

દૂધ અને ખજૂર આપણા શરીરને આયર્ન પૂરું પડે છે. આ બનેના મિશ્રણ થવાથી લોહીમાં વધારો થાય છે. જેથી શરીરમાં હિમોગ્લોબીન માં વધારો થાય છે. જો તમારા શરીરમાં લોહીની કંઈ હોય તો આ દૂધ પીવાથી લોહીની ઉણપ હંમેશા માટે દૂર થઈ જશે. આ ઉપરાંત એનિમિયાની સમસ્યા પણ દૂર થઈ જશે.

દૂધ અને ખૂજુરનું સેવન ગર્ભવતી મહિલાઓ માટે ખુબ જ સારું છે. જો ગર્ભવતી મહિલા ગાયના દૂધમાં ખજૂર નાખીને પીવે તો તેના ખુબ જ ફાયદો થાય છે. આ દૂધ અને ખજૂરના સેવનથી ગર્ભવતી મહિલા લોહીની ઉણપ હોય તો તેને પણ દૂર કરે છે. માટે તમને આ ડ્રિન્કનું સેવન કરવું ખુબ જ જરૂરી છે.

આજના જમાનામાં પ્રદુષણ વાળા વાતાવરણ માં ખોરાકના કારણે વૃદ્ધાવસ્થા ના લક્ષણો વધુ જોવા મળી આવે છે. જેથી ચહેરા પરની કરચલીઓ વધી જાય છે. જેના કારણે વૃદ્ધ દેખાવા લાગીયે છીએ. તેના માટે તમારે આ દૂધ અને ખજૂર ના ડ્રિન્કનું સેવન કરવું જોઈએ જેથી તમારી વૃદ્ધાવસ્થા ને રોકી શકે છે.

દૂધ અને ખજૂરમાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણધર્મો રહેલા છે જે ચામડી માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. જો તમને ચામડીના રોગની સમસ્યા હોય તો તમે આ ખજૂર અને દૂધના ડ્રિન્કનું સેવન કરી શકો છો. રાત્રે ખજૂરને દૂધમાં પલાળીને રાખવા અને સવારે તેમાં મઘ ઉમેરીને તેની પેસ્ટ બનાવીને ચહેરા પાર લાગવાથી ચહેરો એકદમ સાફ અને ચમકદાર બનશે.

જો તમને આંખોની સમસ્યા હોય તો તમારા માટે આ ડ્રિન્ક ખુબ જ ઉપયોગી છે. કારણકે એમાં વિટામિન ભરપૂર હોય છે જેથી આંખોને સ્વસ્થ રાખે છે. માટે આ ડ્રિન્કનું નિયમિત સેવન કરવું જોઈએ.

જો કોઈ વ્યક્તિને પેશાબની સમસ્યા હોય તો તમને માટે આ ડ્રિન્ક ખુબ જ લાભદાયક છે. જો તમને પેશાબમાં બળતરા થતી હોય, ખજવાળ આવતી હોય, પેશાબ અટકીને આવતો હોય તેમના માટે આ ડ્રિન્ક અમૃત સમાન છે. એનું સેવન કરવાથી પેશાબને લગતી સમસ્યા દૂર થઈ જાય છે.

આજકાલ ઘણા લોકોને શ્વાસ ચડવાની સમસ્યા થતી હોય છે. તેમના માટે આ ડ્રિન્ક એક વરદાન રૂપ સાબિત થશે. આ સિવાય શરદી, ઉઘરસ, તાવ, અસ્થમા જેવી સમસ્યામાં આ ડ્રિન્ક પીવાથી રાહત થાય છે.

ડાયબીટીના દર્દી માટે પણ આ ડ્રિન્ક ઉપયોગી છે. કારણકે આના સેવન થી બલ્ડ સુગર લેવલ ને કંટ્રોલમાં રાખે છે. માટે એક ગ્લાસ પાણીમાં 3-4 ખજૂર નાખીને પીવામાં આવે તો ઈન્સ્યુલીન લેવલ જળવાઈ રહે છે અને સુગર લેવલ વઘતું નથી.

શરીરમાં હાડકાને મજબૂત કરવા માટે પણ આ ખજૂર અને દૂધનું સેવન કરવું જોઈએ. દૂધ અને ખજૂરમાં રહેલ કેલ્શિયમ ના કારણે હાડકા એકદમ મજબૂત થઇ જાય છે અને સાંધાના દુખાવાની સમસ્યા પણ થતી નથી. શરીરમાં કોઈ પણ પ્રકારનો થાક કે તણાવ રહેતો નથી. માટે દરરોજ રાત્રે સુતા પહેલા આ ડ્રિન્કનું સેવન કરવું ખુબ જ આવશ્યક છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *