આપણી જીવન શૈલી અને આપણા આહારના કારણે આપણા શરીરમાં અને ચહેરા પર વૃદ્ધાવસ્થા આવતી હોય તેવું દેખાવા લાગે છે. આપણી ખરાબ તેવો આપને અનેક રીતે નુકસાન કરી શકે છે.
વાતાવરણમાં થતું પ્રદુષણ, આલ્કોહોલ નું સેવન, ધુમ્રપાન કરવું, તણાવ, કમજોરી વગેરેના કારણે વૃદ્ધ હોવાના સંકેતો જોવા મળે છે. આરોગ્ય નિષ્ણાત અનુસાર જો યોગ્ય આહાર લેવામાં આવે તો સ્વાસ્થ્ય જળવાઈ રહે છે.
આપણા આહારમાં એવી કેટલીક વસ્તુનો સમાવેશ કરવામાં આવે તો વૃદ્ધા વસ્થા દેખાવાની ઓછી થઈ જાય છે. માટે જો તમે પણ 50 વર્ષની ઉંમર પછી પણ યુવાન અને ફિટ રહેવા માટે નીચે જણાવ્યા અનુસાર વસ્તુનો આહારમાં સમાવેશ કરો.
લીલા શાકભાજી: સ્વાસ્થ્ય ને સ્વસ્થ અને હેલ્ધી રાખવા માટે લીલા શાકભાજીનું સેવન અવશ્ય કરવું જોઈએ. લીલા શાકભાજીમાં એન્ટી ઓક્સીડેન્ટ, વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ જેવા તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે. જેથી શરીરમાં વિટામિનની ઉણપને દૂર કરવામાં મદદ કરે છે.
માટે નિયમિત લીલા શાકભાજીનું સેવન કરવાથી સ્વાસ્થ્ય હંમેશા માટે સ્વસ્થ રહે છે અને લીલા શાકભાજીનું સેવન કરવાથી લાંબા સમય સુઘી યુવાન રહેવા મદદ મળે છે. આ ઉપરાંત અનેક બીમારી સામે પણ રક્ષણ મેળવામાં મદદ કરે છે.
સૂકો મેવો: સ્વાસ્થ્ય ને સ્વસ્થ, હેલ્ધી અને ફિટ રાખવા માટે સુકામેવાનું સેવન કરવું ફાયદાકારક છે. સુકામેવામાં પ્રોટીન, એન્ટી ઓક્સીડેન્ટ, વિટામિન્સ જેવા પોષક તત્વો મળી આવે છે. સુકા મેવાનું સેવન કરવાથી વઘતી ઉંમરમાં પણ જવાન દેખાવામાં મદદ કરે છે.
બદામનું સેવન કરવાથી સ્વાસ્થ્ય ને અનેક ફાયદા થાય છે. બદામનું સેવન કરવાથી વજન પણ નિયંત્રણમાં લાવી શકાય છે. આ ઉપરાંત બદામને રાત્રે પલાળીને સવારે સેવન કરવાથી ત્વચા સુંદર બને છે.
એવોકાડો: એવોકાડોમાં મેગ્નેશિયમ, ફોલેટ, એન્ટી ઓક્સીડેન્ટ, વિટામિન-બી, વિટામિન-સી, બીટા કેરોટીન જેવા તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે. એવોકાડો નું સેવન કરવાથી 50 વર્ષની ઉંમરે પણ જવાન દેખાવમાં મદદ કરે છે. આ ઉપરાંત તેનું સેવંન કરવાથી શારીરિક અને માનસિક બીમારીને દૂર કરવામાં મદદ કરે છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.