ઘણા વર્ષોથી ભારતીય મસાલામાં લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે. રસોઈનો સ્વાદ વઘારવા માટે લવિંગનો ઉપયોગ થાય છે. તેમાં ભરપૂર માત્રામાં ઔષઘીય ગુણો મળી આવે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે.
અમે તમને જણાવી દઈએ કે લવિંગ માત્ર સ્વાદ વઘારવા ઉપરાંત અનેક બીમારીને દૂર કરવા માટે પણ ખુબ જ ઉપયોગી સાબિત થશે. લવિંગમાં કેલ્શિયમ, આયર્ન, વિટામિન-એ, વિટામિન-સી, વિટામિન-ઈ, મેંગેનીઝ, મેગ્નેશિયમ, ઓમેગા-3 ફેટી એસિડ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે.
લવિંગ પેટને લગતી સમસ્યા, શરદી, ખાંસી, ગાળામાં જામેલ જીદી કફ વગેરે દૂર કરવા માટે ખુબ જ ફાયદાકારક છે. માટે આજે અમે તમને ગરમ પાણીમાં માત્ર ત્રણ લવિંગ નાખીને પીવાથી થતા ફાયદા વિશે જણાવીશું.
માછલીમાં મળી આવતું ઓમેગા-3 ફેટી એસિડ લવિંગમાં મળી આવે છે જે આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. મો માં આવતી દુર્ગંઘને દૂર કરવા માટે લવિંગ વાળું પાણીનું સેવન કરવું જોઈએ. લવિંગમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણ મળી આવે છે.
જે મો માં રહેલા બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે. જેથી મો માં આવતી દુર્ગઘ પણ દૂર થઈ જાય છે. લવિંગનું પાણીનું સેવન કરવાથી પેટને ગલતી સમસ્યામાં પણ છૂટકળો મેળવી શકાય છે.
માટે દરરોજ રાત્રે જમ્યા પછી એક ગ્લાસ લવિંગ વાળું પાણીનું સેવન કરવાથી ખોરાક ને પચાવવામાં મદદ કરે છે અને પેટને સાફ રાખે છે. જેથી ગેસ, કબજિયાત, અપચો જેવી સમસ્યા માંથી કાયમી માટે છુટકાળો મેળવી શકાય છે. આ ઉપરાંત પાચનક્રિયામાં સુઘારો થાય છે અને પાચનતંત્ર પણ મજબૂત થાય છે.
વાતાવરણમાં બદલાવ થવાના કારણે ઘણા લોકોને શરદી, ઉઘરસ, ગાળામાં દુખાવો, ગાળામાં કફ જામી જવો જેવી સમસ્યામાંથી છુટકાળો મેળવવા માટે લવિંગનું પાણી ફાયદાકારક છે. રાત્રે સુતા પહેલા લવિંગનું પાણી પીવાથી ગળામાં જામેલ જીદી કફ ગળફા વાટે બહાર નીકળી જાય છે. જેથી ખાંસીમાં રાહત મળે છે.
મો માં બેક્ટેરિયા જમા થવાંના કારણે દાંતમાં સડો થવાની શક્યતા વઘે છે. સડો થવાના કારણે દાંત પણ નબળા પડી જાય છે. માટે લવીંગવાળા પાણીનું સેવન કરવાથી મોમાં બેક્ટેરિયાનો નાશ થાય છે અને સડો દૂર કરીને દાંત ને મજબૂત રાખવામાં મદદ કરે છે.
ઘણા લોકોને હાથ પગમાં ખાલડી ચડતી હોય તો અથવા વૃદ્ધા વસ્થામાં હાથ અને પગમાં ધ્રુજારી રહેતી હોય તો તેમને લવિંગવાળા પાણીનું સેવન કરવાથી આ સમસ્યામાં રાહત મેળવી શકાય છે
લવિંગવાળું પાણી બનાવવાની રીત: સૌથી પહેલા એક પેનમાં એક ગ્લાસ પાણી લઈને ગરમ કરો તેમાં ત્રણ લવિંગ નાખીને પાણીને ઉકળવા દો. ત્રણ મિનિટ પછી ગેસને બંઘ કરીને પાણીને ઢાંકી રાખો. 15 મિનિટ પછી તે પાણી થોડું ઠંડુ થાય પછી પાણીને પી લેવું. આ પાણીનુ સેવન રાત્રે સુવાના 30 મિનિટ પહેલા પી લેવું. લવિંગવાળું પાણીનું સેવન કરવાથી સ્વાસ્થ્ય ને અનેક લાભ થાય છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.