આયુર્વેદ માં દરેક પ્રકાર ની સમસ્યા નું નિવારણ છે, જે આપણી સમસ્યા નું નિવારણ જ નહિ, પરંતુ તેને કાયમ માટે તેના મૂળ માંથી જ દૂર કરી દે છે. ચાલો જાણીયે, 7 આયુર્વેદિક જડી બુટીયા જે આપણ ને સ્વસ્થ રહેવા માં મદદ રૂપ રહેશે અને કોઈ પણ પ્રકાર ની આડઅસર વગર થશે નહિ.

1) ફુદીનો: ફુદીના ના પાન આપણા શરીર માં લોહી ને શુદ્ધ કરે છે અને માથા નો દુખાવો ઓછો કરે છે. તે ઉપરાંત ગળા ની સમસ્યા નું નિવારણ લાવે છે. ઉલ્ટી થતા રોકે છે, અને દાંત માં થતા રોગો થી દૂર રાખે છે. ફુદીનો એક એન્ટી બટેરીઅલ તરીકે પણ ઉપયોગી છે, જે આપણા શરીર માં બેકરીયા થી દૂર રાખે છે.

2) હળદર: આપણે જાણીયે છીએ તે મુજબ દરેક શાકભાજી માં અને ખાદ્ય ચીજવસ્તુ માં આપણે હળદર નો ઉપયોગ કરીયે છીએ. તેના મૂળ અને પાંદડા માં દવા ના ધર્મો રહેલા છે. જે આપણા શરીર ના સાંધા ના દુખાવા, હૃદય, પાચન શક્તિ, અને લીવર ના રોગો સામે લાડવા ની ક્ષમતા આપે છે. હળદર આપણી ત્વચા માટે પણ સારી છે.

3) લેમન ગ્રાસ: લેમન ગ્રાસ એટલે લીંબુ ઘાસ. મુખ્યત્વે આ ઘાસ ભારત માં ઉગાડવા માં આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે. જે આપણે શાર્પ એટલે કે આપણી બુદ્ધિ ની શક્તિ માં વધારો કરે છે. શરીર ના જુદા જુદા ભાગ ના દુખાવા દૂર કરવા આપણે ચા લેમનગ્રાસ પીવી જોઈએ, જે ખુબ જ ફાયદાકારક હોય છે.

4) સફેદ કમળ: સફેદ કમળ ના પાંદડા અને ફૂલ નો ઉપયોગ પેટ ને લગતી બીમારી અને આંખ ના ચેપ માટે કરવા માં આવે છે. જો તમારી આંખો નબળી હોય તો આ તમને જાદુઈ ઉપાય તરીકે ઉપયોગી બનશે. આ ઉપયોગ કરવાથી તમારી આંખો ના નંબર થોડાક સમય માં દૂર થઇ જશે. સફેદ કમલ ના બિજ નો ઉપયોગ કામોત્તેજક તરીકે પણ થાય છે.

5) મહેંદી ના પાન: મહેંદી ના પાંદડા આપણી માટે મૂત્ર વર્ધક છે, જે આપણ ને કોઈ પણ પ્રકાર ની પીડા સામે આરામ આપે છે. તે આપણા શરીર ને ડીટોક્સ કરે છે. મહેંદી ના પાન કબજિયાત જેવી બીમારી માં પણ રાહત આપે છે. મહેંદી ના પાંદડા તાવ, પગ માં પડેલા ફોડલા અને રક્તસ્ત્રાવ માં પણ રાહત આપે છે.આ ઉપરાંત, તે માસિક સ્ત્રાવ માં પણ આરામ આપે છે.

6) સબજ: સબજા ને ઠંડક તરીકે ફાલુદા માં ઉપયોગ કરવા માં આવે છે. તેમાં ઓમેગા – 3 ફેટી એસિડ હોય છે. જે આપણું બ્લડ પ્રેસર ને નિયંત્રણ માં રાખે છે. તે આપણા શરીર માં હૃદય ની તંદુરસ્તી માં વધારો કરે છે. તેનું સેવન કરવા થી આપણી ત્વચા ને ચમકદાર બનાવે છે, અને તડકા માં આપણી બોડી ને બળતરા થી ઘટાડે છે.

7) કપૂર: કપૂર ના અગણિત ફાયદા છે. કપૂર નો ઉપર નો ભાગ આપણ ને બેક્ટેરિયા અને ફૂગ થી દૂર રાખે છે. કપૂર આપણ ને વાગેલા ભાગ ઉપર લાગવા થી આપણ ને આરામ આપે છે. આપણા માનસિક સ્વસ્થ ને સુધારે છે, જે આપણ ને સ્વસ્થ જીવન જીવવા માં મદદ રૂપ નીવડે છે. આ ઉપરાંત, તેનો મુખ્ય ઉપયોગ સ્નાયુ અને નસો ના દુખાવા માં થાય છે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી શેર કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય અને ફિટનેસ વિષે ઘરે બેસી માહિતી જાણવા અને શીખવા માટે અમારાં Page ” ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ” ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ.

 

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *