આખી દુનિયામાં એવા ઘણા લોકો હશે જે મોટાપાની સમસ્યાથી પીડાતા હોય છે. તેમની વઘેલ ચરબી અને બહાર નીકળેલ પેટને કારણે તે પોતાને અસુરક્ષિત મહેશુસ કરતા હોય છે. પેટ બહાર નીકળવાના કારણે તેમની પર્સનાલિટી પર અસર થઈ શકે છે.
એવા માં જો તમે ઓફિસ કે ક્યાંક પાર્ટીમાં ગયા હોય તો બહાર નીકળેલ પેટને જોઈને ઘણા લોકો મજાક પણ ઉડાવતા હોય છે. એવામાં ઘણા લોકો ચરબી અને બહાર નીકળતા પેટને દૂર કરવા માટે ઘણા પ્રયત્નો કરતા હોય છે.
મોટાભાગે બહાર પેટ નીકળવાના કારણે ઉઠવામાં, બેસવામાં, ચાલવામાં ઘણી તકલીફનો સામનો કરવો પડતો હોય છે. માટે પેટની ચરબી અને બહાર નીકળતા પેટને અંદર કરવું ખુબ જ જરૂરી બની જાય છે.
બહાર નીકળતા પેટ અને ચરબી અંદર કરવામાં થોડો સમય લાગી શકે છે તેમાં ખુબ જ મહેનત કરવી પડતી હોય છે. પરંતુ જો તમે રોજિંદા લાઈફ માં અમુક વસ્તુ ઘ્યાન રાખો તો તમે સરળતાથી ચરબી અને બહાર નીકળતા પેટને અંદર કરી શકો છો. જો તમે ચરબી ને ઘટાડશો તો તમારું પેટ પણ અંદર જતું રહેશે.
વહેલી સવારની તાજી હવામાં ચાલવું અને દોડવું: વહેલી સવારની ફ્રેશ હવા આપણા માટે લાખો રૂપિયા બરાબર માનવામાં આવે છે. માટે વહેલી સવારની તાજી હવામાં 15-20 મિનિટ થોડી ઝડપથી ચાલવું જોઈએ અને ત્યાર પછી 15 મિનિટ જેટલું દોડવું. જો તમે વહેલી સવારની તાજી હવામાં દરરોજ 30 થી 40 મિનિટનો સમય કાઠીને આ રીતે કરશો તો તમારી ચરબી પણ ઓગળશે અને પેટ પણ અંદર જવા લાગશે.
કુદરતી રીતે મળતી આ લાખો રૂપિયાની હવા જો મફતમાં મળે છે તો તેનો ભરપૂર ઉપયોગ કરી લેવો જોઈએ. આ ઉપરાંત શરીરમાં પૂરતું ફ્રેશ ઓક્સિજન પણ મળી રહેશે. જેથી આપનો આખો દિવસ તાજગી ભર્યો અને ઉર્જાવાન રહેશે
જમ્યા પહેલા એક ગ્લાસ પાણી પીવું: જો તમે દરરોજ એક ગ્લાસ જમ્યા પહેલ પાણી પીશો તો તમારું પેટ સાફ થઈ જશે અને ભૂખ પણ ઓછી લાગશે. જેથી તમે વઘારે ખાઈ નહિ શકો. જેથી આપણી પાચનક્રિયા પણ યોગ્ય રીતે કામ કરશે અને ખોરાકને પચાવશે.
ખોરાક પચવાના કારણે શરીરમાં ચરબી ભેગી થતી નથી અને જે ચરબી ભેગી થઈ હોય તેને પણ ઘીરે ઘીર ઓછી કરવામાં મદદ કરે છે. માટે હંમેશા જમવાના પહેલા એ ગ્લાસ પાણીનું સેવન કરવું જોઈએ. જેથી તમે સરળતાથી પેટની ચરબી ઉતારી શકશો અને પેટને અંદર પણ કરી દેશો.
સવારે નાસ્તામાં પૌષ્ટિક આહાર લેવો: આમ તો દરેક વ્યક્તિ સવારનો નાસ્તો હળવો જ કરે છે. પરંતુ નાસ્તામાં યોગ્ય પૌષ્ટિક આહાર લેવો પણ જરૂરી છે. આ માટે તમે ઈંડા, મગ, મગનું પાણી વગેરેનું સેવન કરવું જોઈએ. જેથી પચવામાં પણ સરળતા રહે અને સ્વાસ્થ્ય પણ સારું રહે.
પૂરતી ઊંઘ લેવી: જો આપણા શરીરને પૂરતી ઊંઘ ના મળે તો મોટાપા વઘી પણ શકે છે. માટે આખા દિવસ દરમિયાન સળંગ 7 કલાકની ઊંઘ લેવી જરૂરી છે. ઊંઘ પુરી થવાથી આપણો માનસિક તણાવ ઓછો થઈ જાય છે. આ ઉપરાંત જમ્યા પછી તરત ક્યારેય સૂવું ના જોઈએ.
ડાયટમાં સમાવેશ કરો: દરરોજ સલાડના રૂપમાં બીટ, કોબી, ગાજર જેવી વસ્તુને ડાયટમાં સમાવેશ કરવો જોઈએ. આ વસ્તુને ડાયટમાં સમાવેશ કરવાથી આપણું શરીર સ્વસ્થ તો રહે છે ઉપરાંત ચરબીને ઘટાડવામાં મહત્વની ભૂમિકા પણ ભજવે છે. માટે દરરોજ ડાયટમાં સમાવેશ કરવો જોઈએ.
જો તમારે ચરબી અને બહાર નીકળતા પેટને ઘટાડવું હોય તો બહારના ફાસ્ટ ફૂડનું સેવન બંધ કરવું જોઈએ આ ઉપરાંત કોલ્ડ્રિંકનુ સેવન પણ બંઘ કરી દેવું જોઈએ. જેથી તમે સરળતાથી વજન ઓછું કરી શકશો.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.