આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આજે અમે તમને કિડનીની પથરીની સમસ્યાને દૂર કરવા માટે લીંબુનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે જણાવીશું. લીંબુમાં બળતરા વિરોધી ગુણધર્મો છે, માટે તેનો ઉપયોગ ઘણા રોગોને મટાડવા માટે થાય છે, જેમાંથી એક રોગ ઘણા લોકોને પરેશાન કરે છે તે કિડની સ્ટોન છે.

તેમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે. શરીર માટે અને કિડનીમાં રહેલ પથરીને દૂર કરવામાં મદદ કરે છે. કિડનીમાં પથરી હોવાના કારણે જયારે તેનો દુખાવો ઉપડે છે ત્યારે ખુબ જ પીડાદાયક હોય છે. શરીરમાં યુરિક એસિડ નાના એવા ટુકડાઓ ભેગા થાય છે ત્યારે પથ્થર બને છે જેને પથરી તરીકે ઓળખવામાં આવે છે.

શરીરમાં પાણીની ઉણપ, મોટાપો વગેરે સમસ્યા હોવી તે કિડનીમાં પથરી થવાના કારણો છે. કિડનીમાં પથરી પુરુષો અને સ્ત્રીઓ બંને માં જોવા મળે છે. જે કોઈ પણ ઉંમરની વ્યક્તિને કોઈ પણ સમયે થઈ શકે છે. જયારે પણ કિડનીમાં પથરી હોય ત્યારે તમે ડોક્ટરની સલાહ અને સારવાર પણ લઈ શકો છો.

કિડનીમાં થઈ રહેલ પથરીને બહાર નીકળવા માટે લીંબુનો શરબત બનાવીને પી શકાય છે. તે પથરીનો ભૂકો કરીને બહાર નીકાળવામાં મદદ કરે છે. પથરી નાની પણ હોય છે અને મોટી પણ હોય છે. આ માટે જો તમને નાની પાથરી હશે તો તે ખુબ જ ઝડપ થતી પેશાબ વારે બહાર નીકળી જશે.

પરંતુ જો પથરી મોટી હશે તો તે નીકાળવા માટે વધુ સમય આ ઉપાય અપનાવવો જોઈએ. જેથી તેનું પરિણામ ખુબ જ સારું જોવા મળશે. આ ઉપાય કરવા માટે તમારે રોજે દિવસમાં બે થી ત્રણ વખત લીંબુના શરબત માં સિંધાલું મીઠું મિક્સ કરીને પીવાનો છે.

જો તમને કિડનીમાં 5 -7 mmની પથરી હશે તો તે 7-10 દિવસમાં જ પથરીનો ભૂકો કરીને પેશાબ વાટે બહાર નીકાળી દેશે અને તેનાથી થોડી મોટી હશે તો થોડા વધુ દિવસ લીંબુનું શરબત બનાવીને પીવાથી તેને પણ ભૂકો કરીને બહાર નીકાળવામાં મદદ કરે છે.

આ ઉપાય કરવાથી તમારે બીજો કોઈ પણ ઉપાય કરવાનો જરૂર પણ પડશે નહીં, આ ઉપાય પથરીની સમસ્યામાં ખુબ જ રામબાણ માનવામાં આવે છે. આ ઉપરાંત બીજારૂ પણ ખુબ જ ફાયદાકારક છે, તેનો રસ નીકાળીને સવારે ખાલી પેટ પીવામાં આવે તો ખુબ જ સારું પરિણામ મળશે.

જો તમે પથરીને સંપૂર્ણ પણે દૂર કરવી હોય તો રોજે સવારે બીજારૂનો રસ અને દિવસમાં ત્રણ થી ચાર વખત અવાર નવાર લીંબુનો શરબત બનાવીને પી જાઓ. કિડનીમાં ગમે તેવી પથરી હશે તો તેનો ભૂકો કરીને પેશાબ વાટે બહાર નીકાળી દેશે.

પથરી હોય તેવા વ્યક્તિ માટે આ ઉપય 100% અસરકારક સાબિત થશે. પથરી હોય ત્યારે આ વસ્તુનું સેવન કરવાનું ટાળવું જોઈએ, આ માટે બીજવાળા શાકભાજી ના ખાવા જોઈએ. આ ઉપરાંત વધારે પડતા ચરબી યુક્ત અને તળેલા ખોરાક ખાવાનું ટાળવું જોઈએ.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *