ઉનાળાની ગરમીની શરૂઆત થઈ ગઈ છે તેવામાં વધુ કાળઝાળ ગરમીમાં આપણા શરીરને સ્વસ્થ રાખવું પણ ખુબ મુશ્કેલ થઈ છે. તમને જણાવી દઉં કે ઉનાળામાં ગરમીમાં આપણા શરીરને સૌથી વધુ પાણીની જરૂર પડતી હોય છે. શરીરમાં પાણી ઓછી થવાથી ડિહાઈડ્રેશન ની સમસ્યા પણ થઈ શકે છે.

આ માટે આપણે કેટલાક ફળોનું સેવન કરવું જોઈએ જે આપણા શરીરાને હાઈડ્રેટ રાખે માટે આપણે વધુ માત્રામાં પાણી હોય તેવા ફળોનું સેવન કરવું જોઈએ. આ માટે ઉનાળામાં સૌથી વધ ફળો મળી આવે છે જે આપણા શરીરને ગરમીમાં પણ ઠંડક આપે છે.

આ ઋતુમાં પાણીથી ભરપૂર ફળોનું સેવન કરવાથી ભરપૂર માત્રામાં મિનરલ્સ, વિટામિન, ખનીજ તત્વો પણ મળી આવે છે. જે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી હોય છે. માટે આજે અમે તમને પાણીથી ભરપૂર હોય તેવા ફળો ખાવા જોઈએ જેના વિષે જણાવીશું.

તરબૂચ: આ ફળ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારું માનવામાં આવે છે, જેમાં 90 ટકા થી પણ વધુ પાણી મળી આવે છે, જે શરીરના તાપમાનને જાળવી રાખે છે અને શરીરને હાઈડ્રેટ રાખે છે, તેમાં વિટામિન-એ, વિટામિન-સી, મેગ્નેશિયમ, ફાયબર, મિનરલ્સ જેવા પોષક તત્વો મળી આવે છે આ ઉપરાંત તેમાં ખુબ જ ઓછી કેલરી હોય છે. આ ફળનું સેવન કરવાથી પાણીની કમી પૂર્ણ થઈ જાય છે.

કાકડી: મોટાભાગના લોકો કાકડીને સલાડના રૂપમાં સેવન કરતા હોય છે, જેમાં કુદરતી રીતે પાણીનો સારો સ્ત્રોત મળી આવે છે, જે પાણીના લેવલને જાળવી રાખે છે, માટે તમે કાકડીને સલાડ અને જ્યુસ બનાવીને પણ સેવન કરી શકો છો.

કેરી: દરેક વ્યક્તિનું સૌથી પ્રિય ફળ છે જેને ખાવાથી કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, વિટામિન-ઈ, વિટામિન-સી, મિનરલ્સ જેવા ઘણા બઘા પોષક તત્વો મળી આવે છે, જે શરીરને એનર્જી પુરી પાડે છે, સાથે સૂર્યપ્રકાશના કિરણોથી ત્વચાને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.

મોસંબી: આ ફળમાં સૌથી વધુ પાણી મળી આવે છે, જેમાં વિટામિન-સી, કેલ્શિયમ, ફાયબર, પોટેશિયમ, વિટામિન-એ, મિનરલ્સ જેવા તત્વોનો સારો સ્ત્રોત મળી આવે છે. માટે ઉનાળાની ગરમીથી બચવા અને શરીરને હાઈડ્રેટ રાખવા માટે મોસંબીનું જ્યૂસ પીવું જોઈએ. જે રોગપ્રતિકારક શક્તિ પણ વઘારશે.

નારિયેળ પાણી: કુદરતી રીતે મળી આવતા આ પીણું પીવાથી શરીરમાં પાણીનું સ્તર જળવાઈ રહે છે, જે કાળઝાળ ગરમીમાં પણ શરીરને ઠંડક આપી હાઈડ્રેટ રાખશે. તેમાં ભરપૂર માત્રામાં ફાયબર મળી આવે છે, જેથી વજન ઘટાડવામાં મદદ મેળવી શકાય છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં શરીરને હાઈડ્રેટ રાખવા માટે દાડમનું જ્યુસ, પાઈનેપલનું જ્યુસ જેવા અનેક પ્રકારના ફળોનું જ્યૂસનું સેવન કરવું જે શરીરને પાણી પૂરું પડશે ને પાણી ઓછું નહીં થવા દે.

આ ઉપરાંત આખા દિવસ દરમિયાન 10-12 ગ્લાસ પાણીનું સેવન કરવું જોઈએ, જે શરીરને હાઈડ્રેટ રાખશે અને શરીરને ગરમી સામે લડવામાં મદદ કરશે. પાણીનું સેવન એક કલાકમાં અડઘો ગ્લાસ પાણી પીવું જોઈએ. શરીરમાં પરસેવો વધુ થતો હોય તો વધારે પાનું સેવન કરવું જોઈએ. માટલાનું પાણી પીવાથી તરસ ઓલવાશે માટે ફ્રિજના પાણીનું સેવન કરતા માટલાનું પાણીનું સેવન કરવું સૌથી સારું માનવામાં આવે છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *