શિયાળાની ઋતુમાં ઘણા લોકો ઠંડી થી બચવા માટે ગુંદરની બનાવેલ વાનગીઓનું સેવન કરતા હોય છે. ગુંદરને શેકીને કે તરીને તેનું સેવન કરવાથી ઘણી બીમારીઓ દૂર થાય છે. ગુંદરમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, આયર્ન, ફાયબર, વિટામિન, એન્ટી ઓક્સીડેન્ટ તત્વો આવેલ છે.

જે કેન્સર કે હદય ને લગતી બીમારી માંથી છુટકાળો મેળવવા માટે મદદ કરે છે. આ ઉપરાંત શરદી, ખાંસી, ફલૂ, ઈન્ફેક્શન જેવી સમસ્યા માં પણ રાહત આપે છે. માટે આજે આ આર્ટિકલમાં દૂઘમાં શેકેલો ગુંદર નાખીને ખાવાથી થતા ફાયદા વિશે જણાવીશું.

ગુંદરનું સેવન કરવા માટે સૌથી પહેલા એક પેનમાં તેલ ગરમ કરીને તેમાં ગુંદર નાખીને સેવન કરવાથી ફાયદો થાય છે. 1.શરદી અને ખાંસી: શિયાળાની ઋતુમાં શરદી અને ખાંસી થવી એક સામાન્ય સમસ્યા છે. માટે આ સમસ્યા માં રાહત મેળવા માટે ગૂંદરને ગરમ પાણીમાં નાખીને સેવન કરવાથી શરદી, ખાંસી અને ફલૂ મટે છે.

2.અનિદ્રાની સમસ્યા: જો તમને રાત્રે ઊંઘ નથી આવતી અને ઊંઘ આવે છે તો રાત્રે ઉઠી ગયા પછી નથી આવતી તો આ સમસ્યા ને દૂર કરવા માટે ગરમ પાણીમાં ગુંદર નાખીને સેવન કરવાથી ખુબ જ સારી ઊંઘ આવે છે અને અનિદ્રાની સમસ્યા દૂર થાય છે.

3.એનિમિયાની સમસ્યા: ગુંદર માં ફોલિક એસિડ અને પ્રોટીન વઘારે પ્રમાણમાં હોય છે જે શરીરમાં આવેલ લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે નવું લોહી બનાવવા માટે મદદ કરે છે જેથી લોહીની ઉણપ દૂર થાય છે.

4.હદયને સ્વસ્થ રાખે: હૃદયને સ્વસ્થ અને હેલ્ધી રાખવા માટે ગુંદર ફાયદાકારક છે. શેકેલા ગુંદરનું સેવન કરવાથી હાર્ટ અટેક અને સ્ટ્રોક જેવી બીમારીનું જોખમ ઓછું રહે છે. આ ઉપરાંત શેકેલા ગુંદરનું સેવન કરવાથી માંશપેશીઓ પણ મજબૂત રહે છે.

5.નબળાઈ દૂર કરે: ઘણા શારિરી કે માનસિક રીતે નબળા હોય છે. માટે તેમને દરરોજ એક ગ્લાસ દૂઘમાં એક ચમચી ગુંદર નાખીને સેવન કરવાથી થાક, માઈગ્રેન, ચક્કર, શારીરિક નબળાઈ જેવી સમસ્યા દૂર થઈ જાય છે.

6.પાચન સુઘારે: કબજિયાત, ગેસ, અપચો જેવી સમસ્યા હોય તો એક ગ્લાસ દૂઘમાં ગુંદર નાખીને સેવન કરવાથી પેટની સમસ્યા દૂર થઈ જાય છે. એનું સેવન કરવાથી પેટ સાફ રહે છે અને પાચનતંત્ર પણ મજબૂત થાય છે.

7.રોગપ્રતિકારક શક્તિ વઘારવા: ઈમ્યુનીટી વઘારવા માટે દૂઘમાં શેકેલો ગુંદર નાખીને પીવામાં આવે તો ઈમ્યુનિટી ઝડપથી વધે છે અને અનેક રોગ સામે રક્ષણ આપે છે. દૂઘ અને ગુંદરમાં કેલ્શિયમ અને પ્રોટીન જેવા તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે. જે સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

8.પીરિયડસમા રાહત: મોટાભાગે દરેક મહિલાઓને અનિયમિત પીરિયડ્સ ની સમસ્યા રહેતી હોય છે. માટે તેમને ઠંડા તાજા દૂઘમાં ખાંડ અને ગુંદર મિક્સ કરીને સેવન કરવાથી આ સમસ્યા દૂર થાય છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *