આજના આધુનિક સમય માં બદલાયેલ જીવન શૈલી ના કારણે સ્વસ્થ પર ઘણી બઘી સમસ્યાઓનો સામનો કરે છે. બહારના જંકફૂડ અને ફાસ્ટ ફૂડ ખાવાની સાથે બેઠાળુ જીવન હોવાથી નાની ઉંમરે જ ઘણી બધી બીમારીઓ ના શિકાર બનાવે છે.
તેવો જ એક રોગ છે જે આજના સમયમાં નાની ઉંમરે વધુ જોવા મળે છે. તે બીમારી યુરિક એસિડ વધવાની સમસ્યા છે. જયારે શરીરમાં યુરિક એસિડમાં વઘારો થાય ત્યારે સાંઘાના દુખાવા, સ્નાયુના દુખાવા, સોજા જોવા મળે છે.
જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ, ત્યારે તેમાંથી યુરિક એસિડ બનવા લાગે છે. સામાન્ય રીતે કિડની યુરિક એસિડ ફિલ્ટર કરીને કચરો શરીરમાંથી બહાર કાઢી નાખે છે. પરંતુ એવા કેટલાક લોકો હોય છે જેમાં શરીરમાંથી કિડની યુરિક એસિડ ને નીકાળવામાં અસમર્થ રહે છે.
એવા સમયે શરીરમાં યુરિક એસિડ નું પ્રમાણ માં વધારો થાય છે, જેના કારણે અસહ્ય સાંધા ના દુખાવા અને સોજા જેવી ગંભીર બીમારીનો સામનો કરવો પડતો હોય છે. શરીરમાં વધુ લાંબા સમય સુધી યુરિક એસિડ નું સ્તર વધુ રહે તો આયુષ્યમાં ઘટાડો થાય છે.
ઘણી વખત યુરિક એસિડ નું પ્રમાણ વધુ થઈ જવાના કારણે કિડની ફેલ પણ થઈ શકે છે. આ માટે આજે અમે તમને યુરિક એસિડ ને કંટ્રોલ કરવા માટે એક ફળ વિષે જણાવીશું જેને ખાવાથી શરીરમાં યુરિક એસિડ નું સ્તર કંટ્રોલમાં રહે છે.
આ ફળનું નામ પપૈયું છે, પપૈયું કાચું ખાવાથી જ યુરિક એસિડ કંટ્રોલમાં રહે છે. જેથી દવાઓ ખાવી પડતી નથી. કાચા પૈપયા માં એવા કેટલાક તત્વો મળી આવે છે જે શરીરમાં ક્ષાર સ્વરૂપે ઉત્પન્ન થતા યુરિક એસિડ ને બહાર કાઢવાનું કામ કરે છે.
આ સાથે શરીરમાં બનતા લોહીમાં યુરિક એસિડ નું પ્રમાણ ઘટાડે છે. તમને જણાવી દઉં કે કાચું પપૈયું ખાવાથી ખોરાક આસાનીથી પચી જાય છે. આ માટે ખોરાક પચવામાં મુશ્કેલી પડતી હોય તો કાચું પપૈયું ખાવું જોઈએ.
પપૈયા માં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે જે યુરિક એસિડ ને કંટ્રોલ કરવાની સાથે અનેક પ્રકારના સ્વાસ્થ્ય લાભો પણ થતા હોય છે. પરંતુ જો તમે નિયમિત પણે કાચું પપૈયું ખાઓ છો તો સાંધા ના દુખાવા, વા, સોજા જેવી અનેક પ્રકારની સમસ્યામાં ઘણી રાહત આપે છે.
આ માટે તમે યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે ડાયટમાં કાચા પપૈયા નો સમાવેશ કરી શકો છો. યુરિક એસિડ ની સમસ્યા ખુબ જ ગંભીર માનવામાં આવે છે આ માટે તેને ખુબ જ ઝડપથી કંટ્રોલ કરવું જરૂરી છે નહીં તો વધતી ઉંમરે ઘણી તકલીફનો સામનો કરવો પડી શકે છે.
અહીંયા આપવામાં આવેલ માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે, માટે કોઈ પણ બીમારી માં કોઈ પણ ઉપાય અપનાવતા પહેલા ડોક્ટર અથવા નિષ્ણાત ની સલાહ લઈ શકો.