આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

ભોજન કર્યા પછી ઘણા લોકો મુખવાસ માં વરિયાળી ખાઈ લેતા હોય છે, વરિયાળી નો ઉપયોગ ઘણી બધી વિવિધ વાનગીઓ માં નાખીને તેનો સ્વાદ વધારવા માટે ઉપયોગ કરવામાં આવે છે, મુખવાસમાં ખવાતી વરિયાળીમાં ઘણા બઘા ઔષધીય ગુણો મળી આવે છે.

વરિયાળીને મુખવાસમાં ખાવાથી ખાધેલ ખોરાક પચવામાં આસાની રહે છે. આ માટે ઘણા લોકો ભોજન પછી વરિયાળી ખાવાનું વધુ પસંદ કરતા હોય છે, પરંતુ ઘણા લોકો ભોજન પછી વરિયાળી ખાવાથી થતા ફાયદાઓ વિષે અજાણ છે આ માટે આજે અમે તમને ભોજન પછી દરરોજ એક ચમચી વરિયાળી ખાવાથી થતા ફાયદાઓ વિષે જણાવીશું.

વરિયાળીમાં ઘણા બધા પોષક તત્વોનો ખજાનો મળી આવે છે, જેમ કે મેગ્નેશિયમ, પોટેશિયમ, ફાયબર, ઝીંક, વિટામિન-ઈ, કેલ્શિયમ, આયર્ન, વિટામિન-એ જેવા તત્વો મળી આવે છે, જે શરીરના ત્રિદોષનો નાશ કરી તેને સમ કરે છે. આ ઉપરાંત ઘણા બધા રોગોમાં ફાયદાકારક છે.

વરિયાળીમાં સારી માત્રામાં ફાયબરનું પ્રમાણ મળી આવે છે જે પાચન ને સુધારવામાં મદદ કરે છે. આ માટે ભોજન પછી શેકેલી વરિયાળી ખાવાથી પાચનતંત્ર મજબૂત બને છે અને પેટને લગતી સમસ્યા જેવી કે, ગેસ, અપચો, કબજિયાત, એસિડિટીમાં દૂર કરે છે.

આયુર્વેદિક અનુસાર વરિયાળીને ખાવાથી યાદશક્તિમાં વધારો થઈ શકે છે. આ માટે જો તમને ભૂલવાની બીમારી છે કે કઈ યાદ રહેતું નથી તો એક વાટકી દૂધ ગરમ કરીને એક ચમચી વરિયાળી ખાવાથી યાદશક્તિમાં વઘારો થાય છે.

રાતે દૂધમાં વરિયાળીને મિક્સ કરીને પીવામાં આવે તો મગજ શાંત રહે છે અને માનસિક તણાવ અને ડિપ્રેશન ઓછું થાય છે જેના કારણે રાતે સુવા જાઓ ઓ તે સમયે સારી અને ઘસઘસાટ ઊંઘ આવે છે.

શરીરમાં ગરમીનું પ્રમાણ વધુ હોવાના કારણે મોં માં ચાંદા પડે તો વરિયાળીનું પાણી ઉકાળી કોગળા કરવાથી 24 કલાકમાં ચાંદા મટે છે, આ ઉપરાંત કબજિયાત થવું, પેશાબમાં બળતરા થવી જેવી સમસ્યા હોય તો વરિયાળીનું પાણી પીવાથી રાહત મળે છે.

વધારે પડતું કામ કરીને થાક લાગતો હોય અને શરીરમાં કમજોરી અને સુસ્તી આવી જાય તો એક વાટકી દૂધમાં વરિયાળી અને સાકર સાથે મિક્સ કરીને પીવાથી શરીરમાં આવેલ કમજોરી દૂર થાય છે અને શરીરમાં આવેલ સુસ્તીને દૂર કરી ઉર્જા અને એનર્જી આપે છે.

આજના સમયમાં વાતાવરણમાં ખુબ જ પ્રદુષણ ફેલાઈ રહ્યું છે જેના પરિણામે ચહેરા પરના ખીલ અને કરચલીઓ જોવા મળતી હોય છે જેને દૂર કરવા માટે રોજે ભોજન પછી વરિયાળી ખાવી જોઈએ જે લોહીને શુદ્ધ કરી સ્કિનમાં નિખાર લાવશે અને સ્કિન ને લાગતી સમસ્યાને દૂર કરશે.

હૂંફાળા પાણી સાથે વરિયાળીને મિક્સ કરીને પીવાથી પેટની કે કમરની વધી ગયેલ ચરબીને ઓગળે છે જેના પરિણામે વજન પણ કંટ્રોલમાં રહે છે. મોં માં આવતો ખરાબ દુર્ગધ ને દૂર કરવા માટે પણ વરિયાળીનું સેવન કરવું જોઈએ.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *