જે વ્યક્તિઓને મસ્તિક અને સ્નાયુ નબળા પડી જાય છે, તેવા વ્યક્તિની યાદશક્તિ નબળી પડી જાય છે એટલે કે તેને કઈ જ યાદ રહેતું નથી જેનો આપણે ભૂલકણો કહીએ છીએ. આપણામાંથી દરેક લોકો એવું ઈચ્છે છે તેની યાદશક્તિ મજબુત રહે.

પરંતુ એવું કહેવામાં આવે છે કે ઉંમર થવાની સાથે યાદશક્તિ નબળી પડતી જાય છે. પરંતુ એવું નથી, ફક્ત ઉંમરને કારણે તમારી યાદશક્તિ નબળી નથી પડતી પણ તમારી ખરાબ જીવનશૈલીના કારણે પણ તમારી યાદશક્તિ કમજોર થતી હોય છે.

આ સિવાય જો તમે પોતાના શરીરનું યોગ્ય રીતે ધ્યાન નથી રાખતા તો તમે જલ્દી જલ્દીમાં અમુક વસ્તુઓ ભૂલી જતા હોય છે.  સ્થિતિ તમારી કમજોર યાદશક્તિનો સંકેત આપે છે. અહીંયા તમને એવી કેટલીક વસ્તુઓ વિષે જણાવીશું જે વસ્તુઓનું સેવન કરવાથી તમારી યાદશક્તિ ઘડપણમાં પણ નહીં ઘટે.

અખરોટ : અખરોટ ઓમેગા-3 ફેટી એસિડનો ભરપૂર સ્ત્રોત માનવામાં આવે છે જે મસ્તિષ્ક માટે ખુબ જ સારું માનવામાં આવે છે. અખરોટ નું સેવન કરવાથી મગજ તેજ બને છે અને યાદશક્તિમાં વધારો થાય છે. દરરોજ એક અખરોટનું સેવન કરો છો તો તમારું મગજ તેજ બને છે અને લાંબા સમય સુધી યાદશક્તિ સારી રહે છે આ ઉપરાંત તે હૃદયને સ્વસ્થ રાખવાનું કામ કરે છે.

દેશી ઘી : ઘીનો ઉપયોગ પ્રાચીન સમયથી થતો આવ્યો છે પરંતુ આજના સમયમાં ઘી માં ઘણો ભેળસેર આવે છે. ઘણા લોકો કહેતા હોય છે કે વ્યાપારીનું મગજ ખુબ જ તેજ હોય છે. કારણ કે તે દેશી ઘીનું સેવન કરે. દેશી ઘીનું સેવન કરવાથી યાદશક્તિમાં વધારો થાય છે

પરંતુ ધ્યાન રાખો કે ઘીનું વધુ સેવન કરવું નુકશાનકારક સાબિત થાય છે. તમે એક ચમચી ઘીનું સેવન કરો છો અથવા તો ખોરાક સાથે તેને મિક્સ કરીને સેવન કરો છો તો તમારી યાદશક્તિમાં વધારો થશે.

ચિયા સીડ્સ : ચિયા સીડ્સનું સેવન મગજ માટે ખુબ જ ફાયદાકારક છે કારણકે તેમાં ઉચ્ચ માત્રામાં એન્ટી ઓક્સીડેંટ હોય છે. જો તમે દરરોજ રાત્રે એક ચમચી ચિયા સીડ્સ પાણીમાં પલાળીને સવારે તેનું પાણી પીવો છો તો તમારી યાદશક્તિ પહેલા કરતા મજબુત બને છે. આ ઉપરાંત ચિયા સીડ્સ તમારા વાળ, હાડકાઓ અને ત્વચા માટે પણ ખુબ જ ફાયદાકારક છે.

અળસી ના બીજ : અળસી ના બીજમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર અને પ્રોટીન હોય છે તેથી અળસીના ઉપયોગથી તમારું મગજ તેજ થશે.
પાલક: પાલક શરીમાં ઘણી બધી રીતે ફાયદાકારક છે. દરરોજ પાલકનો ઉપયોગ કરવાથી શરીરમાં થતા ઘણી જાતના રોગથી બચી શકાય છે.

પાલક: પાલકમાં મેગ્નેશિયમ નું પ્રમાણ સારું હોય છે જે આપણા શરીર અને મગજ માટે ફાયદાકારક હોય છે. આંબળા : આંબળા નો ઉપયોગ ઘણી બધી રીતે કરી શકાય છે પરંતુ જો આંબળા નો રસ એક ચમચી કાઢીને તેમાં બે ચમચી મધ ભેળવીને પીવામાં આવે તો, તેનાથી મગજ તેજ બને છે અને યાદશક્તિમાં પણ સારી રહે છે.

ધાણા : ધાણાનું સેવન કરવાથી યાદશક્તિમાં વધારો થાય છે. આ માટે સૌથી પહેલા ધાણાનો પાવડર બનાવી લેવો. ત્યારબાદ અડધી ચમચી પાવડરમાં બે ચમચી મધ ભેળવીને ખાવું. આમ કરવાથી તમારી યાદશક્તિમાં વધારો થશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *