આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આપણા શરીરમાં મોટાભાગના દુખાવા કેલ્શિયમની ઉણપના કારણે થતા હોય છે. ખાસ કરીને કેલ્શિયમની ઉણપના કારણે સાંઘાના દુખાવા, હાડકાના દુખાવા, સ્નાયુના દુખાવા જેવી સમસ્યા થતી હોય છે.

ખાસ કરીને મોટી ઉંમરના લોકોમાં કેલ્શિયમની ઉણપ રહેતી હોય છે. પરંતુ અત્યારના સમયમાં 35-40 વર્ષની ઉંમરે પણ શરીરમાં કેલ્શિયમ ની ઉણપ થવાના કારણે સાંઘાના દુખાવા, હાડકાના દુખાવા થતા હોય છે.

કેલ્શિયમની ઉણપ થવાના કારણે ડોક્ટર પણ કેલ્શિયમની ગોળીઓ લેવાનું કહેતા હોય છે. ઉંમર વધવાની સાથે કેલ્શિયમની ઉણપ પણ સર્જાતી હોય છે. માટે ઉંમર વધવાની સાથે પણ જો કેલ્શિયમની ઉણપ ના થવા દેવી હોય તો કેટલીક વસ્તુઓનું સેવન કરવું જોઈએ. જેથી શરીરમાં સરળતાથી કેલ્શિયમ વઘારી શકાય અને લાંબા સમય સુઘી હાડકાને મજબૂત રહે અને સાંઘાના દુખાવાથી છુટકાળો મેળવી શકાય.

જો નાનપણ માંથી જ આપણા બાળકને કેલ્શિયમની ઉણપ રહેતી હોય તો બાળકોનો ગ્રોથ ઓછો થાય છે. આ ઉપરાંત હાડકા નબળા પડી જાય છે. માટે નાની ઉંમરથી જ બાળકોને મજબૂત અને તેમનો સારો વિકાસ કરવા માટે કેલ્શિયમ યુક્ત આહારનું સેવન કરાવવું જોઈએ. જેથી બાળકોનો વિકાસ સારો થાય.

આજે આ લેખમાં કેલ્શિયમ કઈ વસ્તુ માંથી મળી રહે છે તેના વિશે જણાવીશું. 1. દહીં: દહીં આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. તેનું સેવન નિયમિત કરવાથી કેલ્શિયમની ઉણપ પૂર્ણ થાય છે. તેમાં કેલ્શિયમ ઉપરાંત પોટેશિયમ,વિટામિન-બી12, ફોસ્ફરસ જેવા પોષક તત્વો મળી આવે છે. માટે દરરોજ ભોજન સાથે ઘરે બનાવેલ દહીં ત્રણ થી ચાર ચમચી ખાઈ જવું.

2. દૂઘ: દૂઘ માં ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળી આવે છે. દૂઘને સંપૂર્ણ પૌષ્ટિક આહાર માનવામાં આવે છે. માટે દરરોજ તેનું એક ગ્લાસ સેવન કરવાથી કેલ્શિયમની ઉણપ દૂર થાય છે. નાના બાળકો માટે પણ દૂઘ ખુબ જ ફાયદાકારક છે.

3. કાળા તલ: તલ બે કલરમાં આવે છે. સફેદ તલ અને કાળા તલ. કાળા તલ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક છે. કાળા તલમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં મળી આવે છે. કાળા તલ નું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા પણ દૂર કરે છે. માટે જમ્યા પછી અડધી ચમચી કાળા તલનું સેવન કરવું જોઈએ.

4.પાલક: પાલક માં સારી માત્રામાં કેલ્શિયમ માઇ આવે છે. લીલી શાકભાજીમાં પાલક આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. અઠવાડિયામાં બે વખત પાલકની ભાજી બનાવીને ખાવાથી કેલ્શિયમની ઉણપ દૂર થાય છે. આ ઉપરાંત આંખોનું તેજ વઘારવામાં મદદ કરે છે.

5. ફળોનું સેવન: ફળો આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે. ફળોનું સેવન કરવાથી આપણા શરીરને જરૂરી દરેક વિટામિન અને પોષક તત્વો મળી આવે છે. માટે દિવસમાં કોઈ પણ એક ફળનું સેવન કરવું આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને શરીરમાં કેલ્શિયમની ઉણપને દૂર કરી દેશે.

6. ડ્રાયફ્રૂટ્સ: ડ્રાયફ્રૂટ્સમાં બદામ અને અંજીર ખુબ જ લાભદાયક છે. આ માટે પાંચ બદામ અને બે અંજીરને રાત્રે પાણીમાં પલાળીને આખી રાત રહેવા દો. સવારે ઉઠીને તેને ચાવી ચાવીને ખાઈ જાઓ. ત્યાર પછી તેનું વઘેલ પાણી પણ પી શકાય છે. તે પણ ખુબ જ ફાયદાકારક છે. આ બંને વસ્તુને પલાળીને સેવન કરવાથી કેલ્શિયમની ઉણપ દૂર થઈ જશે.

આ ઉપરાંત દરરોજ સવારનો તડકો 10 થી 15 મિનિટ લેવામાં આવે તો શરીરમાં વિટામિન ડી ની ઉણપ પણ દૂર થાય છે અને હાડકા પણ મજબૂત રહે છે. શરીરને સ્ફૂર્તિલું બનાવી રાખશે. જો શરીરમાં કેલ્શિયમની ઉણપ હોય તો નિયમિત પણે આ વસ્તુઓનું સેવન કરવામાં આવે તો શરીરમાં કેલ્શિયમની ઉણપ પણ દૂર થશે.

નાની ઉંમરથી જ આ વસ્તુઓનું સેવન કરવામાં આવે તો ઉંમર વઘવાની સાથે કેલ્શિયમની ઉણપ સર્જાતી નથી. જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *